1. Home
  2. ગુજરાતી
  3. પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન, 1983 વિશ્વ કપ વિજેતા ટીમમાં હતા સામેલ
પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન, 1983 વિશ્વ કપ વિજેતા ટીમમાં હતા સામેલ

પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન, 1983 વિશ્વ કપ વિજેતા ટીમમાં હતા સામેલ

0
Social Share
  • પૂર્વ ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનું 66 વર્ષની ઉંમરે નિધન
  • વર્ષ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી
  • તેઓનું હૃદયરોગના હુમલાને કારણે નિધન થયું હતું

નવી દિલ્હી: વર્ષ 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યશપાલ શર્માનું નિધન થયું છે. હૃદયરોગના હુમલાને કારણે આજે સવારે તેમનું નિધન થયું હતું. તેઓની ઉંમર 66 વર્ષ હતી.

તેમની કારકિર્દી પર નજર કરીએ તો તેઓએ ભારત માટે કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમણે લગભગ 34ની સરેરાશથી 1606 રન બનાવ્યા હતા. જ્યારે કુલ 42 વનડે મેચમાં યશપાલ શર્માએ 883 રન કર્યા હતા.

1983ના વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકા

1983 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને જીતની શરૂઆત કરી હતી. જેમાં યશપાલ શર્માની મહત્વની ભૂમિકા હતી. જ્યારે તેઓ ક્રિઝ પર ઉતર્યા ત્યારે ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાન પર 76 રન હતો જે જલદી જ પાંચ વિકેટ પર 141 થયો હતો. શર્માએ 120 બોલમાં 89 રનની ઈનિંગ રમી, તેમણે સારા શોટ તો લગાવ્યા જ સાથે સાથે વિકેટ વચ્ચે રનિંગ પણ સારી હતી.

નોંધનીય છે કે, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આક્રમક 40 રન હોય કે પછી ઈંગ્લેન્ડ વિરુદ્ધ મુશ્કેલ સ્થિતિમાં રમાયેલી 61 રનની ઈનિંગ. શર્માએ ટુર્નામેન્ટમાં 34.28ની સરેરાશથી 240 રન બનાવ્યા. ભારતે છેલ્લે વર્લ્ડ કપ પોતાને નામ કર્યો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code