શ્રીલંકાની નેવ એ ગેર કાયદેસર સીમા પાર કરવાનો આરોપ લગાવતા 21 ભારતીય માછીમારોની કરી ધરપકડ
દિલ્હી- શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બદલ 21 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે શ્રીલંકાની કસ્ટડીમાં રહેલા ભારતીય માછીમારોની સંખ્યા ગઈ છે.
વિતેલા દિવસને બુધવારે મન્નાર અને કોવિલાનના ઉત્તર-પૂર્વીય જળસીમામાં ભારતીય માછીમારોને તેમના ચાર ટ્રોલર સાથે જપ્ત કરવામાં આવ્યા હતા.આ બાબત ને લઈને
નેવીએ કહ્યું કે 2023માં તેમણે શ્રીલંકાના જળસીમામાં ગેરકાયદે માછીમારી કરવા બદલ 195 ભારતીય માછીમારોની ધરપકડ કરી હતી.
ભારતીય માછીમારોની ઘણીવાર કથિત રીતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા પાર કરવા અને શ્રીલંકાના જળસીમામાં માછીમારી કરવા બદલ ધરપકડ કરવામાં આવે છે.આ વખતે 21 માછીમારોની અટકાયતનું કારણ શ્રીલંકા એ ગેરકાયદેસર રીતે પ્રવેશ ગણાવ્યું છે .
નેવીએ કહ્યું કે 2023માં શ્રીલંકાના જળસીમામાંથી અત્યાર સુધીમાં 195 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના વિવાદાસ્પદ મુદ્દાઓમાં માછીમારોનો મુદ્દો મહત્વનો છે. શ્રીલંકાના નૌકાદળના જવાનોએ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કર્યો હતો.
tags:
Sri Lankan Navy