1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં 1 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન અને 7 જૂનથી નવું સત્ર શરૂ કરોઃ સંચાલક મંડળ
રાજ્યમાં 1 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન અને 7 જૂનથી નવું સત્ર શરૂ કરોઃ સંચાલક મંડળ

રાજ્યમાં 1 મેથી શાળાઓમાં ઉનાળુ વેકેશન અને 7 જૂનથી નવું સત્ર શરૂ કરોઃ સંચાલક મંડળ

0
Social Share

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં વેકેશનને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી ત્યારે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી વેકેશનને લઈને એવી રજૂઆત કરી હતી કે, રાજ્યમાં 1 મેથી ઉનાળુ વેકેશન અને તા.7 જૂનથી સ્કૂલોમાં નવા શૈક્ષણિક સત્રનો કરવો જોઈએ. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયા બાદ શાળા દ્વારા તે અંગેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. હવે સ્કૂલો પરિણામ જાહેર કરવાની તારીખની રાહ જોઈ રહી છે. જેથી 30 એપ્રિલના રોજ પરિણામ જાહેર કરવાનો દિવસ જાહેર કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે.

શાળા સંચાલક મંડળ દ્વારા મુખ્યપ્રધાનને લખાયેલાં પત્રમાં રજૂઆત કરાઈ હતી. કે, માર્ચના અંતિમ સપ્તાહથી રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. હોસ્પિટલ બેડ અને ઓક્સિજનની અછતથી રોજેરોજ મોતનો આંકડો વધી રહ્યો છે. શાળાઓમાં પણ હાલમાં 50 ટકા સ્ટાફને જ બોલાવવામાં આવે છે. આમ, રાજ્યમાં કોરોનાના કહેરને પગલે સરકાર દ્વારા ધોરણ-1થી 9 અને 11માં માસ પ્રમોશન આપી દીધું છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન કઈ પધ્ધતિથી આપવું તે અંગે પરિપત્ર પણ કરી દેવાયો છે. આ જ રીતે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9 અને 11ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન અંગેની પધ્ધતિને લઈ પરિપત્ર કરી દીધો છે.

રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા અંગે સરકાર દ્વારા 15 મેના રોજ સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવનાર છે. આમ, ધોરણ-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના માસ પ્રમોશન અંગે શાળાઓ દ્વારા કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે અને માત્ર પરિણામ જાહેર કરવાની તારીખની રાહ જોવાઈ રહી છે. રાજ્ય સરકારની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ વેકેશન જાહેર કરી દીધું છે.

રાજ્યમાં શૈક્ષણિક, બિન શૈક્ષણિક સ્ટાફ તેમજજ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે વેકેશન જેવો માહોલ છે. આમ, હાલમાં વેકેશન ન હોવા છતાં વેકેશન જેવો જ માહોલ જોવા મળી રહ્યો છે. જેથી રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ધોરણ-1થી 9 અને 11ના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વર્ષ 2020-21 માટે 30 એપ્રિલને અંતિમ દિવસ જાહેર કરવામાં આવે અને આ જ દિવસે પરિણામ જાહેર કરવાનો દિવસ જાહેર કરવામાં આવે તેવી માગણી સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કરી છે. ત્યારબાદ 1 મે, 2021થી લઈને 6 જૂન, 2021 સુધી તમામ વિદ્યાર્થીઓ માટે ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવે અને 7 જૂન, 2021થી શૈક્ષણિક વર્ષ 2021-22ના શિક્ષણ કાર્યનો પ્રથમ દિવસ ગણવામાં આવે તેવી રજૂઆત કરી હતી..

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code