Site icon Revoi.in

નવી દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદુષણને લઈને સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી

Social Share

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ફરી એકવાર દિલ્હી-NCRમાં વધી રહેલા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે ટકોર કરી હતી કે, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે રચાયેલ એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને અપેક્ષા મુજબ કામ કર્યું નથી. કોર્ટે પંચને ઠપકો આપ્યો હતો અને તેને વધુ સારી એફિડેવિટ દાખલ કરવા કહ્યું હતું.. આ કેસની વધુ સુનાવણી 3 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે.

આ કેસમાં કોર્ટ દ્વારા નિયુક્ત કરાયેલા એમિકસ ક્યુરીએ જણાવ્યું હતું કે, પંજાબ અને હરિયાણામાં ખેડૂતોએ ફરી એકવાર પરોળ સળગાવવાનું શરૂ કર્યું છે. આ વર્ષે, પ્રદૂષણની સ્થિતિ ગંભીર બને તે પહેલા ખેડૂતોને પરસળ સળગાવવાનું બંધ કરવું જરૂરી છે. જસ્ટિસ અભય એસ ઓક અને ઑગસ્ટિન મસીહની ખંડપીઠે કમિશનને ખાતરી કરવા કહ્યું કે ખેડૂતોને પરાલીનો નાશ કરવા માટે આપવામાં આવેલા મશીનોનો ઉપયોગ કરવામાં આવે.

કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, કમિશનની પેટા સમિતિ વર્ષમાં માત્ર ચાર વખત મળે છે. કોર્ટે બેઠકોની વિગતો માંગી હતી. કોર્ટે એમ પણ કહ્યું કે, કમિશનને CAQM એક્ટની કલમ 14 હેઠળ પ્રદૂષકો સામે કડક પગલાં લેવાનો અધિકાર છે, પરંતુ પંચે 2021 માં તેની રચના થઈ ત્યારથી કોઈ પગલાં લીધાં નથી.