દક્ષિણ ગુજરાતના વલસાડમાં ધોધમાર વરસાદઃ મધુબન ડેમના 9 દરવાજા ખોલાયાં
અમદાવાદઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન વલસાડ જિલ્લામાં પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે. પાણીની આવક વધવાને કારણે ડેમના 9 દરવાજા પાંચ મીટર જેટલા ખોલવામાં આવ્યાં હતા. તેમજ એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી દમણગંગા નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ […]