1. Home
  2. Tag "Aam Aadmi Party"

દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરિવાલ ઉપર ભાજપના આકરા પ્રહાર

નવી દિલ્હીઃ ઈડીએ કથિત દારુ કૌભાંડમાં અરવિંદ કેજરિવાલને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. આ મામલે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, ભાજપા ઉપર આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે, સરકાર આપને ખતમ કરી રહી છે પરંતુ હું તેમને કહેવા માંગુ છું કે, તમે પોતાની જાતને જ ખતમ કરી રહ્યાં છે. […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો,સુરત AAPના વધુ 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આમ આદમી પાર્ટી (AAP)ના કુલ 6 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા હતા પાર્ટીના કાર્યકર્તાએ કહ્યું કે સ્વાતિબેન ક્યાડા, નિરાલીબેન પટેલ, ધર્મેન્દ્રભાઈ વાવલિયા, અશોકભાઈ ધામી, કિરણ ખોખાણી, ઘનશ્યામભાઈ મકવાણા ભાજપમાં જોડાયા છે.અગાઉ આમ આદમી પાર્ટીના ચાર કોર્પોરેટરો રીટા ખૈની, જ્યોતિ લાઠીયા, ભાવના સોલંકી […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચેય ધારાસભ્યો કોંગ્રેસને સમર્થન આપી વિપક્ષની ભૂમિકા ભજવશે

ગાંધીનગરઃ આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યોએ સોમવારે  ગુજરાત વિધાનસભામાં શપથ ગ્રહણ બાદ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી વિપક્ષમાં રહેશે અને તે રીતે કોંગ્રેસનું સમર્થન કરશે. કોંગ્રેસની સાથે લઈને આમ આદમી પાર્ટી વિપક્ષની ભૂમિકા ભજવશે. અને અમે લોકોના પ્રશ્નોને વાચા આપીશું. ગુજરાત  વિધાનસભામાં 156 સભ્યો સાથે ભાજપ સર્વાધિક બહુમતીએ છે, જ્યારે કોંગ્રેસ 17 અને આપ […]

સુરતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બાખડી પડ્યા, સામસામો કરાયો પથ્થરમારો

સુરત :  ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં સુરત શહેર આમ તો ભાજપનો ગઢ ગણાય છે. સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની સ્ટાઈલમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. બન્ને પક્ષો એકબીજા સામે પ્રહાર કરવાનું છોડતા નથી.ત્યારે ગઈકાલે શહેરમાં  ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે બબાલ થઈ હતી. ભાજપ અને આપના કાર્યકરો સામસામે આવી જતા વાતાવરણ તંગ બન્યું છે. બંને […]

સુરતમાં ગુમ થયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરિવાલાએ આખરે ફોર્મ પરત ખેંચ્યુ

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે ખરાખરીના દાવ ખેલવામાં આવી રહ્યા છે.સુરત  શહેરની પૂર્વ બેઠક પર ખરાખરીનો જંગ થાય એમ છે. કોંગ્રેસ તરફથી અસલમ સાઇકલવાલા, ભાજપ તરફથી સીટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું. આવી સ્થિતિમાં […]

ગુજરાતની જનતાનો અભિપ્રાય જાણ્યા બાદ આમ આદમી પાર્ટી સીએમનો ચહેરો જાહેર કરશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત ચાલી રહી છે. આમ આદમી પાર્ટી(AAP) દ્વારા અત્યારસુધીમાં 86 ઉમેદવારોના નામ  જાહેર કરી દીધા છે.  હવે AAP ગુજરાતના મુખ્યમંત્રીપદનો ચહેરો […]

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈલું ઈલું ચાલે છે, બન્ને પ્રજાને ગુમરાહ કરી રહ્યા છેઃ કોંગ્રેસનો આક્ષેપ

રાજકોટઃ ગુજરાતમાં કેટલાક સનદી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ મલાઈદાર પોસ્ટિંગ મેળવવા માટે સત્તાધારી પક્ષના કહ્યાગરા બની જતા હોય છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જ કેટલાક અધિકારીઓ ભાજપના કાર્યકર્તા બનીને કામ કરતા હોવાનો આક્ષેપ કરાયો છે. કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,  ભાજપ અને આપ વચ્ચે ઇલુ ઇલુ ચાલે છે, બન્ને પક્ષ […]

અમદાવાદમાં રોડ પરના ખાડાઓ પુરવા ગયેલા આમ આદમી પાર્ટીના નેતાઓ-કાર્યકર્તાઓની અટકાયત

અમદાવાદઃ રાજ્યના મહાનગરોમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓની હાલત બિસ્માર બની છે. રોડ પર ડામર ઉખડીને ખાડાઓ પડેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં પણ રોડ પર ખાડાઓ પડતા વાહનચાલકો પરેશાન બની ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ખાડાઓ પુરીને વિરોધ કરવાનો મહાનગરોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપ સરકારના રાજમાં ખાડા પડ્યા અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે સુરતમાં પ્રદેશ […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના માળખાનું આજે નવ ગઠન કરાશે, જુના ચહેરાઓને પણ સ્થાન અપાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી પણ સમાજના અગ્રણીઓ અને જાણીતા લોકોને પાર્ટીમાં જોડી રહી છે. ત્યારે પાર્ટીએ પ્રમુખ સિવાયનું માળખું વિખેરી નાંખ્યું હતું અને […]

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું માળખું વિખેરી નંખાયુ, હવે નવા માળખાનું ગઠન કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે સાત મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ, કોંગ્રેસની જેમ આમ આદમીએ પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી ત્રિરંગા યાત્રા, જનસંવેદના યાત્રા યોજીને પ્રચાર કરી રહી છે, ત્યારે પાર્ટીએ ગુજરાતના પ્રદેશના માળકાને વિખેરી નાંખ્યું છે. પ્રદેશ પ્રમુખ ગોપાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code