1. Home
  2. Tag "ayodhya"

અમદાવાદથી અયોધ્યા સુધી સીધી ફ્લાઈટનો પ્રારંભ, રામભક્તોમાં ખુશી ફેલાઈ

અમદાવાદઃ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશ અત્યારથી જ રામમય બની ગયો છે. ગુજરાતવાસીઓ પણ અયોધ્યા જવા તલપાપડ થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદથી અયોધ્યા માટેની પ્રથમ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. મુસાફરો ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના પોશાક પહેરીને એરપોર્ટ પર પહોંચ્યા હતા અને જય શ્રી રામના […]

રામલલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવઃ ઉત્તરપ્રદેશમાં 22મી જાન્યુઆરીએ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ

લખનૌઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં બહુપ્રતિક્ષિત શ્રી રામલલાની મૂર્તિના અભિષેક સમારોહ સાથે સામાન્ય લોકોના ભાવનાત્મક જોડાણને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવાની સૂચના આપી છે. આ ખાસ અવસરને ‘રાષ્ટ્રીય તહેવાર’ ગણાવતા મુખ્યમંત્રીએ કહ્યું છે કે, 22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રાખવી જોઈએ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ અયોધ્યાની મુલાકાત લીધી હતી. […]

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાઃ ભગવાન રામની તસવીરવાળી ખાસ સાડી સુરતથી અયોધ્યા મોકલાશે

અમદાવાદઃ દેશના ટેક્સટાઈલ હબ તરીકે ઓળખાતા ગુજરાતના સુરત શહેરમાં બનેલી ખાસ સાડી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે મોકલવામાં આવશે. સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે આ સાડી પર ભગવાન રામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનેલા છે અને આ સાડી માતા સીતાજી માટે તૈયાર કરવામાં આવી છે અને તે […]

અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર કરાયું ધ્વજદંડ

અમદાવાદઃ અયોધ્યામાં 500 વર્ષ પછી રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે તેમાં અમદાવાદનું મહત્વનું યોગદાન રહ્યું છે. અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં શાસ્ત્રોત્તરૂપથી પિત્તળનો ધ્વજદંડ તૈયાર થયો છે. આ ધ્વજદંડનું અમદાવાદથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અયોધ્યામાં આ ધ્વજદંડની પૂજા પણ કરવાના છે. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી અંબિકા એન્જિનિયરિંગ […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી આખો દેશ ખુશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ […]

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સુરક્ષા હવે CRPF નહીં પરંતુ યુપી પોલીસ સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ કરશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રામ મંદિરની સુરક્ષાની જવાબદારી ઉત્તર પ્રદેશ પોલીસના હાથમાં હશે, એવુ માનવામાં આવી રહ્યું છે કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ સમગ્ર મંદિર પરિસરમાં ઉત્તર પ્રદેશ પોલીસ સ્ટેશિયલ ટાસ્ક ફોર્સ તૈનાત કરવામાં આવશે. ઉત્તરપ્રદેશની એક સ્પેશિયલ ટાસ્ટ ફોર્સ પુરી રીતે અયોધ્યામાં બનનારા […]

અયોધ્યાના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં નોંધાઈ 30મી ડિસેમ્બરની તારીખ,15 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરવામાં આવ્યો

લખનઉ:અયોધ્યામાં ત્રેતાયુગનું ગૌરવ પાછું આપવા માટે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલો સંકલ્પ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના સક્ષમ નેતૃત્વ હેઠળ પૂર્ણ થઈ રહ્યો છે.શનિવારે વડાપ્રધાન મોદીની જાહેર સભામાં 15 હજાર 700 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ દેશને સમર્પિત કરતી વખતે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન અને ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના સંબોધનમાં […]

અયોધ્યાઃ પ્રાણ-પ્રતિષ્ઠા માટે બનાવેલી રામલલાની મૂર્તિઓમાં બાળક જેવી કોમળતા જોઈ ટ્રસ્ટીઓ થયા ભાવવિભોર

અયોધ્યાઃ રામ મંદિરમાં અભિષેક કરવા માટેની રામલલાની સ્થાવર મૂર્તિની પસંદગી માટે તૈયાર કરાયેલી મૂર્તિઓના ત્રણેય શિલ્પકારોએ ઉત્તમ કામ કર્યું છે. રામ મંદિરના ટ્રસ્ટી યુગપુરુષ પરમાનંદે કહ્યું કે ત્રણેય શિલ્પકારોની મહેનત અને વિચાર અદભૂત છે. મૂર્તિઓ જોઈને લાગે છે કે તેઓ રામાયણ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી બનાવવામાં આવી છે. આ શિલ્પો શાસ્ત્રો અને રામાયણ કાળના […]

અયોધ્યાઃ મહર્ષિ વાલ્મીકી એરપોર્ટનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું

અયોધ્યાઃ ભગવાન શ્રી રામજી મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચ્યાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રેલવે સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ ભવ્ય એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાલ્મીકિ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. બીજી તરફ દિલ્હીથી અયોધ્યા આવતી પ્રથમ ફ્લાઈટ રવાના થઈ હતી. એરપોર્ટને પ્રથમ તબક્કામાં રૂ. 1450 કરોડથી વધુના ખર્ચે […]

22મી જાન્યુઆરીના રોજ સાંજે દિવાળીની જેમ દિવળા પ્રગટાવવા દેશની જનતાને PM મોદીની અપીલ

અયોધ્યાઃ અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ સહિત અનેક વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે પુરી દુનિયા ઉત્સાકા સાથે 22મી જાન્યુઆરીની રાહ જોઈ રહી છે. અયોધ્યાવાસીઓમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું પણ ઉત્સાહીત છું. દેશના ઈતિહાસમાં 30મી ડિસેમ્બરની તારીખ મહત્વની રહી છે. આજના દિવસે 1934માં નેતાજી સુભાષચંદ્રજીએ અંડમાનમાં ઝંડો ફરકાવીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code