1. Home
  2. Tag "bjp MP"

ગુજરાતમાં નકલી બિયારણ ખૂલ્લેઆમ વેચાય છે, ભાજપના જ સાંસદે કૃષિમંત્રીને લખ્યો પત્ર

રાજકોટઃ ગુજરાતમાં રવિ સીઝનની વાવણીના ટાણે જ  ખેડુતોને ભોળવીને નકલી બિયારણનો કારોબાર બેરોકટોક ચાલી રહ્યો છે. ત્યારે ભાજપના જ  રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા દ્વારા કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. કે,  નકલી બિયારણ દ્વારા ખેડૂતને થતી છેતરપિંડી એ એક ચિંતાજનક વિષય છે. આ માટે સરકાર દ્વારા નકલી બિયારણનું વેચાણ કરતા વેપારીની […]

મોરબી દૂર્ઘટનાઃ ભાજપના સાંસદ મોહન કુંડારિયાના 12 સંબંધના મોત

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે અને હાલ સમગ્ર મોરબીમાં શોકનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પણ વેપાર-ધંધા બંધ રાખીને શોક વ્યક્ત કર્યો હતો. દરમિયાન આ દૂર્ઘટનામાં ભાજપના સાંસદના 12 સંબંધીઓના પણ અવસાન થયાનું જાણવા મળે છે. રાજકોટના ભાજપના સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, આ દૂર્ઘટનામાં જીજાજીના […]

નીતિશકુમાર પીએમ બનવા દાઉદ સાથે પણ હાથ મિલાવી શકે છેઃ ભાજપના સાંસદે કર્યો ગંભીર આક્ષેપ

નવી દિલ્હીઃ બિહારમાં રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે. નીતિશ કુમારે એનડીએનો સાથ છોડીને આરજેડી તથા અન્ય પક્ષો સાથે મળીને સરકાર બનાવી છે. બિહારના સીએમ નીતિશ કુમારના આ પગલાથી ભાજપમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સાસારામના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છેદી પાસવાને દાવો કર્યો હતો કે, મુખ્યમંત્રી અને જનતા દળ (યુનાઈટેડ)ના નેતા નીતીશ કુમાર વડાપ્રધાન પદ માટે અંડરવર્લ્ડ […]

‘સત્ય બોલવુ બળવો હોય તો અમે બળવાખોર છીએ’, સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરનું નુપુર શર્માને સમર્થન

નવી દિલ્હીઃ ભાજપના પૂર્વ મહિલા નેતા નુપુર શર્માએ પૈગમ્બર મહંમદ ઉપર કરેલી ટીપ્પણીથી વિવાદ સર્જાયો છે. મુસ્લિમ આગેવાનો, મુસ્લિમ સંગઠનો અને દુનિયાના મુસ્લિમ દેશોએ નુપુર શર્માના નિવેદનની ટીકા કરી હતી. બીજી તરફ ભાજપ દ્વારા પણ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, હવે અનેક લોકો નૂપુર શર્માના સમર્થનમાં બહાર આવી રહ્યાં હતા. ઉત્તરપ્રદેશના સમાજવાદી […]

પીલીભીતમાં પૂરની પરિસ્થિતિઃ BJPના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારને કર્યો અણીયારો સવાલ

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં પૂરની પરિસ્થિતિને લઈને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ યોગી સરકારની ટીપ્પણી કરી હતી. પોતાના મત વિસ્તાર પીલીભીતમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને ઉત્તરપ્રદેશ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સવાલ કર્યો હતો કે, જો સામાન્ય નાગરિકને તેની હાલત ઉપર છોડી દેવામાં આવે તો સરકારનો અર્થ શું ? ભાજપના સાંસદ વરૂણ […]

ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને આપ્યું સમર્થન

દિલ્હીઃ કૃષિ કાયદાના વિરોધમાં ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના જીઆઈસી મેદાનમાં કિસાન મહાપંચાયતની વચ્ચે દેખાવ કરનારા ખેડૂતોને બારતીય જનતા પાર્ટીના સાંસદ વરૂણ ગાંધીનું સમર્થન મળ્યું છે. ભલે કેન્દ્ર સરકાર અને પાર્ટી કૃષિ કાનૂનને પરત લેવાનો ઈન્કાર કરે છે. પરંતુ ભાજપના જ સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતોના સમર્થનમાં અવાજ ઉઠાવ્યો છે. વરૂણ ગાંધીએ ખેડૂતોનું દર્દ સમજવાની અપીલ કરીને કહ્યું […]

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને ભાજપના સાંસદે CMને કરી રજુઆત

સુરતઃ   શહેરમાં કોરોનાને  કાબૂમાં લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સાફ સફાઈ યોગ્ય થાય તે માટે અનેક ફરિયાદ ઊઠી છે. કોવિડ દર્દીઓને તબીબોએ વધુને વધુ પાણી પીવા સૂચન કર્યું છે. તો બીજી તરફ એપ્રિલ મહિનામાં ગરમીમાં અને ગરમ દવાના કારણે દર્દીઓમાં પીવાના પાણીનો વપરાશ વધુ છે. એટલે અહીં 24 કલાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code