1. Home
  2. Tag "bomb blast"

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત 

હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ અત્યાર સુધીમાં 14 લોકોના મોત મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે. અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના […]

કાબુલમાં શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પાસે બોમ્બ બ્લાસ્ટ,પોલીસે તપાસ હાથ ધરી

શીખ ગુરુદ્વારા કાર્તે પરવાન પાસે બોમ્બ બ્લાસ્ટ પોલીસે તપાસ હાથ ધરી અફઘાનિસ્તાનના કબુલની ઘટના કાબુલ:અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા કાર્તે પરવાનના મુખ્ય દરવાજા પાસે બોમ્બ વિસ્ફોટ થયો છે.જો કે, સારી વાત એ છે કે,શીખ અને હિન્દુ સમુદાયના સભ્યો સંપૂર્ણપણે સુરક્ષિત છે.વર્લ્ડ ફોરમ ઓફ ઈન્ડિયાના પ્રમુખ પુનીત સિંહ ચંડોકે આ માહિતી આપી છે. આ પહેલીવાર નથી જ્યારે […]

વારાણસી બોમ્બ બ્લાસ્ટના આરોપી વલીઉલ્લાહે અફઘાનિસ્તાનમાં આતંકી તાલિમ લીધી હતી

લખનૌઃ વારાણસી બોમ્બ વિસ્ફોટ કેસમાં કોર્ટે આરોપી વલીઉલ્લાહને દોષિત ઠરાવ્યો છે, વલીઉલ્લાહની પોલીસે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરી હતી. તેના પર સરકાર સામે યુદ્ધ છેડવાનો અને જેહાદીઓ તૈયાર કરવાનો આરોપ હતો. આરોપીએ અફઘાનિસ્તાનમાં આતંકી તાલીમ લીધી હતી. ઈન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી હતી કે ફુલપુરનો વલીઉલ્લાહ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. 18 એપ્રિલ 2001ના રોજ, પોલીસે વલીઉલ્લાહ, ઉબેદુલ્લાહ […]

કરાંચીમાં બોમ્બ બ્લાસ્ટઃ બલૂચ લિબરેશન ફ્રન્ટની બુરખાધારી મહિલા ફિદાઈને હુમલાને અંજામ આપ્યો

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ સમાન પાકિસ્તાનના કરાંચી શહેરમાં યુનિવર્સિટી પાસે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં ચીનની 3 મહિલા પ્રોફેસર સહિત પાંચ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. દરમિયાન આ હુમલાની જવાબદારી બલોચ લિબરેશન ફ્રન્ટે લીધી છે. આ ફિદાઈની હુમલાને બુરખો પહેરેલી મહિલાએ અંજામ આપ્યો હોવાનો કરાંચી પોલીસે દાવો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કન્ફ્યુશિયસ […]

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ,12 લોકોના મોત : 25 ઘાયલ

અફધાનિસ્તાનના હેરાત શહેરમાં બોમ્બ બ્લાસ્ટ ઓછામાં ઓછા 12 લોકોના નિપજ્યા મોત 25 લોકોને પહોંચી ઈજા   દિલ્હી:અફધાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાત શહેરમાં શુક્રવારે બોમ્બ બ્લાસ્ટમાં ઓછા માં ઓછા 12 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે.અહેવાલ મુજબ,સ્વાસ્થ્યકર્મીઓનું કહેવું છે કે,હેરાત શહેરના પીડી 12 માં થયેલા બોમ્બ ધડાકામાં 12 લોકોના મોત થયા છે જયારે […]

ભાગલપુરના કાજવલીચક વિસ્તારમાં એક મકાનમાં બોમ્બ બ્લાસ્ટઃ નવના મોત

નવી દિલ્હીઃ બિહારના ભાગલપુરમાં એક મકાનમાં બ્લાસ્ટ થતા ખળભળાટ મચી ગયો છે. આ બ્લાસ્ટમાં એક મહિલા અને બાળક સહિત નવ વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. બ્લાસ્ટની તિવ્રતા એટલી જોરદાર હતી કે આસપાસના અન્ય બે મકાન પણ ધરાશાયી થયાં હતા. આ બનાવની જાણ થતા વહીવટી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયું હતું. તેમજ […]

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના એક આરોપીના પિતા સમાજવાદી પાર્ટીના નેતાઃ કેન્દ્રીય મંત્રીએ કર્યો આક્ષેપ

લખનૌઃ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો મુદ્દો ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગુંજ્યો છે પહેલા રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ એક આતંકવાદીના પરિવારનું કનેકશન સપા સાથે હોવાનો આક્ષેપ કર્યો હતો. દરમિયાન આજે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરએ અખિલેશ ઉપર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો છે. તેમજ કહ્યું હતું કે, અખિલેશે નક્કી કર્યું છે કે, આતંકીઓને બચાવા છે. અનુરાગ ઠાકુરએ જણાવ્યું […]

અમદાવાદમાં વર્ષ 2008ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં 49 આરોપીઓને કોર્ટે કસુરવાર ઠરાવ્યાં

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં વર્ષ 2008માં સર્જાયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં આજે અદાલતે ચુકાદો જાહેર કર્યો હતો. અદાલતે સુનાવણીના અંતે 49 આરોપીઓને કસુરવાર ઠરાવ્યાં હતા. જ્યારે 28 જેટલા આરોપીઓને નિર્દોશ છોડી મુકવા નિર્દેશ કર્યો હતો. કોર્ટ આવતીકાલે આરોપીઓને સજાનો આદેશ કરે તેવી શકયતા છે. અમદાવાદમાં વર્ષ 2008માં સિરીયલ બ્લાસ્ટ થયાં હતા. જ્યારે બીજા દિવસે સુરતના વિવિધ […]

પાકિસ્તાનઃ લાહોરના અનારકલી બજારમાં બોમ્બ બ્લાસ્ટ, 5ના મોતની આશંકા

નવી દિલ્હીઃ આતંકવાદીઓ માટે સ્વર્ગ ગણાતા પાકિસ્તાનના લાહોરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે. લાહોરના અનારકલી બજારમાં એક બોમ્બ બ્લાસ્ટ થતા નાસભાગ મચી ગઈ હતી. આ બ્લાસ્ટમાં 5 વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. સમગ્ર ઘટનામાં મૃત્યુઆંક વધવાની શકયતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર લાહોરમાં સૌથી વ્યસ્ત ગણાતા અનારકલી […]

ઇરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 11નાં મોત, ઇસ્લામિક સ્ટેટ્સએ જવાબદારી લીધી

ઇરાકમાં ગુરુવારે થયો જોરદાર બોમ્બ વિસ્ફોટ આ બોમ્બ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત નિપજ્યા ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી સ્વીકારી નવી દિલ્હી: ઇરાકમાં ગુરુવારે જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બોમ્બ બ્લાસ્ટમા 11 લોકોનાં મોત નિપજ્યા છે. બ્લાસ્ટ થયા બાદ પહેલા તો ઇસ્લામિક સ્ટેટએ હુમલાની જવાબદારી નહોતી સ્વીકારી પરંતુ હવે તેઓએ આ હુમલાની જવાબદારી લીધી છે. અગાઉ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code