1. Home
  2. Tag "BreakingNews"

PoKમાં 69 આતંકી લૉન્ચપેડ સક્રિય, 120 આતંકીઓ ઘુસણખોરી માટે જોઈ રહ્યાં છે મોકોઃ BSF

શ્રીનગર: ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ગિલગિત-બાલ્ટિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં અનેક આતંકી ઠેકાણાઓ નષ્ટ કર્યા પછી પણ નિયંત્રણ રેખા (LoC)ની પાર હજુ પણ 69થી વધુ આતંકી લૉન્ચ પેડ સક્રિય છે. તેમ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) કાશ્મીર ફ્રન્ટિયરના ઇન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે,  PoKમાં LoC સાથેના વિસ્તારોમાં 69 લૉન્ચપેડ હાલ સક્રિય […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં FC મુખ્યાલય પર આત્મઘાતી હુમલો, 6 કર્મચારીઓનાં મોત

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના નોકુંડી વિસ્તારના ચગાઈમાં સ્થિત ફ્રન્ટિયર કોર્પ્સ (FC) મુખ્યાલયના મુખ્ય દરવાજા પર આજે સવારે આત્મઘાતી હુમલો થયો હતો. સત્તાવાર સૂત્રોએ 6 સુરક્ષા કર્મચારીઓનાં મોતની પુષ્ટિ કરી છે. હુમલો સંભવિત રીતે બલુચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF) સાથે જોડાયેલી સાદઓ ઓપરેશનલ બટાલિયન (SOB દ્વારા કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો […]

બંગાળની આંતરરાષ્ટ્રીય સરહદે BSF–બાંગ્લાદેશી તસ્કરો વચ્ચે અથડામણમાં એક ઠાર મરાયો

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના નદિયા જિલ્લામાં ભારત–બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર રાત્રે બાંગ્લાદેશી તસ્કરો અને BSF જવાનોએ વચ્ચે અથડામણ થઈ હતી. તસ્કરો દ્વારા તસ્કરીનો પ્રયાસ કરીને BSF જવાનો પર જીવલેણ હુમલોકરવામાં આવ્યો, જેને જવાનોની સતર્કતા અને ઝડપી પગલાંથી નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. BSFની જવાબી કાર્યવાહી દરમિયાન એક બાંગ્લાદેશી તસ્કર સ્થળ પર જ ઠાર મરાયો હતો. અન્ય તસ્કરો […]

દિલ્હી બ્લાસ્ટ કેસઃ કશ્મીર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં NIAના દરોડા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે કશ્મીરના પુલવામા, શોપિયાન અને કુલગામ જિલ્લાના કુલ આઠ સ્થળોએ એકસાથે છાપામારી કરીને ‘વ્હાઇટ-કોલર’ ટેરર મોડ્યૂલ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ મોડ્યૂલના તાર 10 નવેમ્બરે દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટ સાથે જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે. એજન્સી માત્ર કશ્મીર જ નહીં, પરંતુ ઉત્તર પ્રદેશના અનેક […]

રાજ્યસભાના શિયાળુ સત્રમાં સભાપતિ રાધાકૃષ્ણનનું સ્વાગત કરાયું, ખડગએ ધનખડને યાદ કર્યાં

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર સોમવારથી સત્તાવાર રીતે શરૂ થયું છે. સત્રની શરૂઆતમાં રાજ્યાસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન આપ્યું અને નવા રાજ્યસભા સભાપતિ સી.પી. રાધાકૃષ્ણનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદરણીય સભાપતિજી, શીતકાળીન સત્રની શરૂઆત સૌ માટે ગૌરવનો ક્ષણ છે. આખા સભાનાં તરફથી હું તમને હૃદયપૂર્વક શુભેચ્છા અને […]

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બસોની અસુરક્ષિત ડિઝાઇન અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જાહેર પરિવહનની બસોમાં જોવા મળતી અસુરક્ષિત ડિઝાઇન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાં બસોમાં ડ્રાઇવરનો પૂરો કેબિન અલગ બનાવવામાં આવે છે, જેને આયોગે મુસાફરોના જીવના અધિકાર (સંવિધાનના કલમ 21)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આયોગને […]

દક્ષિણ સીરિયાના ગામમાં ઇઝરાયલના હુમલામાં 13નાં મોત

દક્ષિણ સીરિયાના એક ગામમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ઓછામાં ઓછા 13 લોકોનાં મોત થયા છે. મીડિયા અનુસાર મૃતકોમાં બાળકો પણ સામેલ છે, જેના કારણે આ ઘટના છેલ્લા કેટલાક મહિનાની સૌથી ઘાતક કાર્યવાહી તરીકે નોંધાઇ છે. સ્થાનિક ન્યુઝ એજન્સીઓના જણાવ્યા અનુસાર, બેઇત જિન ગામના સ્થાનિક લોકો ઇઝરાયલી સૈનિકોને ટક્કર આપવા માટે સામેથી ઊભા રહ્યા, જેના […]

મણિપુરના તેંગનૌપાલમાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર પાસે અસ્સામ રાઇફલ્સની ચોંકી પર ઉગ્રવાદીઓનો હુમલો

નવી દિલ્હીઃ મણિપુરના તેંગનૌપાલ જિલ્લામાં ઇન્ડો-મ્યાન્માર બોર્ડર નજીક સ્થિત અસ્સામ રાઇફલ્સની એક ચોંકી પર ઉગ્રવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આ ચોંકી 3 અસ્સામ રાઇફલ્સની અલ્ફા કંપનીની હતી. હુમલાખોરોએ સૌપ્રથમ હેન્ડ ગ્રેનેડ ફેંક્યા અને ત્યારબાદ ભારે ફાયરિંગ શરૂ કર્યું હતું. ચોંકીમાં તૈનાત જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે બંને તરફથી આશરે 15–20 મિનિટ […]

દિલ્હીઃ બોગસ મોબાઇલ ફેક્ટરીનો પર્દાફાશ, ચાઈનીઝ સોફ્ટવેરની મદદથી બદલાતો હતો IMEI નંબર

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસે ઓપરેશન ‘સાઇબરહૉક’ હેઠળ કરોલ બાગના મોબાઇલ હબમાં મોટી કાર્યવાહી કરીને ફેક મોબાઇલ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કેસમાં 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી 1,826 મોબાઇલ ફોન, લેપટોપ, ચાઇનીઝ સોફ્ટવેર, IMEI સ્કેનર અને મોટી માત્રામાં મોબાઇલ બોડી પાર્ટ્સ જપ્ત કર્યા છે. આ સમગ્ર રૅકેટ હેઠળ ચાઇનીઝ સોફ્ટવેર […]

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4-5 ડિસેમ્બરે ભારત આવશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસની તારીખો નિશ્ચિત થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના ઔપચારિક પ્રવાસે આવશે. આ દરમ્યાન તેઓ 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર બેઠક (Annual Summit)માં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પુતિન 4 ડિસેમ્બરે ભારતમાં આવશે અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code