સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી કપાસના પાકમાં 20 ટકા જેટલી મોટી નુક્સાનીનો અંદાજ
રાજકોટ : સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને લીધે ખેડુતો ચિંતિત બન્યા હતા ત્યાંજ મેઘરાજાએ વધુ હેત ઊભરાવીને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. કારણકે રાજકોટ, જામનગર અને જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદથી ખરીફ પાકોમાં અને ખેતીની જમીનમાં વ્યાપક નુક્સાન થઇ ચૂક્યું છે. કપાસમાં અને ઠેકઠેકાણે તલ, મગ અને અડદ જેવા ટૂંકાગાળાના પાકમાં બગાડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. […]