1. Home
  2. Tag "culture"

વીરબાળ દિવસઃ દેશ અને સંસ્કૃતિના રક્ષણ કાજે શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રોએ પોતાનું બલિદાન આપ્યું હતું

આજે વીર બાળ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. 9 જાન્યુઆરી, 2022ના રોજ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પૂરબના દિવસે પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ ગોવિંદસિંહના પુત્રો સાહિબજાદા બાબા જોરાવર સિંહજી અને બાબા ફતેહસિંહજીની શહાદતના પ્રતીક રૂપે 26 ડિસેમ્બરને ‘વીર બાળ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. ગુરુ ગોવિંદસિંહના પરિવારની આ મહાન શહાદતને ઈતિહાસની સૌથી મોટી શહાદત માનવામાં આવે છે. અત્યાચારીઓ સામે ધર્મની રક્ષા […]

ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે: નરેન્દ્ર મોદી

બેંગ્લોરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુના નાગાપટ્ટિનમ અને શ્રીલંકાના કંકેસંથુરાઈ વચ્ચે ફેરી સર્વિસના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ નાગાપટ્ટિનમ અને કંકેસંતુરાઈ વચ્ચે ફેરી સર્વિસની શરૂઆતને ભારત-શ્રીલંકા સંબંધોને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. ભારત-શ્રીલંકા સંબંધો પર તેમણે કહ્યું, ‘ભારત અને શ્રીલંકા સંસ્કૃતિ, વાણિજ્ય અને સભ્યતાનો ઊંડો ઈતિહાસ ધરાવે છે. અમે […]

સંસ્કૃતિ અને વિજ્ઞાન એક-બીજાના વિરોધી નહીં પરંતુ પુરક છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ‘ચંદ્રયાન-3’ની સફળતા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો), વૈજ્ઞાનિકો અને દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે, સંસ્કૃતિ અને વિજ્ઞાન એકબીજાના વિરોધી નથી, પરંતુ પૂરક છે. ‘ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રે આપણા રાષ્ટ્રની સિદ્ધિઓ વિશેની ચર્ચા’માં લોકસભામાં તેમણે એમ પણ કહ્યું કે, ‘ચંદ્રયાન-3’ની સફળતા એ તમામ લોકો માટે […]

ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતની સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ ‘માધવપુર ઘેડ મેળો’ યોજાશે

અમદાવાદઃ ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે રામનવમી, તા.30 મી માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. આ મેળાના ભવ્ય આયોજનને ઓપ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, ઉત્તર-પૂર્વીય રાજ્યોના વિકાસ માટેના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના […]

ભારતનું મહાન સિનેમા અને સંસ્કૃતિ વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડાશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે 75માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, ભારતનું સિનેમા ઉડવા માંગે છે, દોડવા માંગે છે, બસ અટકવા માંગતું નથી. આ વર્ષે, ભારત દેશની મહાન સિનેમા, તકનીકી પ્રગતિ, સંસ્કૃતિ અને વાર્તા કહેવાના ગૌરવપૂર્ણ વારસાને વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવા માંગીએ છીએ. Indian […]

મંગલારંભ-2: અમદાવાદમાં પેઇન્ટિંગનું પ્રદર્શન યોજાશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં ચિત્રો અને કલ્પચરનું પ્રદર્શન આગામી તા, 10મી ઓગસ્ટથી 12મી ઓગસ્ટ દરમિયાન હટીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, આર્ટ ગેલેરી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, સેપ્ટ, નવરંગપુરા અમદાવાદ ખાતે સાંજે 4થી 6 દરમિયાન યોજાશે. આપને જણાવી દઇએ કે આ પેન્ટિંગ એક્ઝિબીશન અને કલ્પચરનું ઉદઘાટન જાણીતા આર્ટિસ્ટ વિજય શ્રીમાળીના હસ્તે તા. 10મીએ સાંજે 4 વાગ્યે કરાશે. જેમાં લાઈવડેમો-પ્રોટેટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code