1. Home
  2. Tag "Electricity"

ઉનાળામાં વીજળીની માગને પહોંચી વળવા સરકારે ગેસ-આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કર્યાં

નવી દિલ્હી: ઉનાળાની ઋતુમાં દેશમાં વીજળીની ઊંચી માગને પહોંચી વળવા માટે ભારત સરકારે ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ કાર્યરત કરવાનો નિર્ણય લીધો છે. ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોમાંથી મહત્તમ વીજ ઉત્પાદન સુનિશ્ચિત કરવા માટે સરકારે તમામ ગેસ-આધારિત જનરેટિંગ સ્ટેશનોને ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 11 હેઠળ દિશાનિર્દેશો જારી કર્યા છે (જે અંતર્ગત સરકાર તે નિર્દેશ કરી શકે છે કે […]

ગુજરાતઃ બે વર્ષમાં વીજળી ખરીદવા ફિક્સ કોસ્ટ પેટે રૂ. 29 હજાર કરોડની રકમ ચૂકવાઇ

અમદાવાદઃ ગુજરાતમાં 24 હજાર મેગાવોટની જરૂરિયાત સામે 5 હજાર મેગાવોટ વીજળી ઉત્પાદન થાય છે. નાગરિકો, ખેડૂતો, ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં વીજળીની સુવિધા મળી રહે તેવા હેતુથી તા. 31-12-2023ની સ્થિતિએ ગુજરાત સરકાર દ્વારા કુલ 15 કંપનીઓને ફિક્સ કોસ્ટ પેટે વર્ષ 2022માં રૂ.14058 કરોડ તેમજ વર્ષ ૨૦૨૩(પ્રોવિઝનલ)માં 15065 કરોડ એમ કુલ રૂ. 29123 કરોડની રકમ ચૂકવાઇ છે. રાજ્યના ખેડૂતોને […]

વીજળીની સરેરાશ ઉપલબ્ધતા ગ્રામીણ વિસ્તારોમાં વધીને 20.6 કલાક, શહેરી વિસ્તારોમાં 23.8 કલાક થઈ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે છેલ્લાં 9 વર્ષમાં 1,94,394 મેગાવોટની ઉત્પાદન ક્ષમતાનો ઉમેરો કરીને વીજ ક્ષેત્રને વીજળીની ઉણપમાંથી ઊર્જા-પર્યાપ્તમાં પરિવર્તિત કર્યું છે. વીજ ઉત્પાદનની વર્તમાન સ્થાપિત ક્ષમતા આશરે 4,26,132 મેગાવોટ છે. ચાલુ વર્ષ 2023-24માં ઉમેરવામાં આવેલી કુલ ઉત્પાદન ક્ષમતા 9,943 મેગાવોટમાંથી 1,674 મેગાવોટ અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી અને 8,269 બિન-અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી છે. વર્ષ દરમિયાન 7,569 મેગાવોટ […]

ઉત્તરાખંડઃ એક પ્રોજેક્ટમાં વીજ કરંટ લાગતા 15ના મોતની આશંકા, અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દૂર્ઘટના સર્જાઈ છે. વીજ કરંટ લાગવાથી 15 લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત અકસ્માતમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ચમોલીમાં અલકનંદા નદીના કિનારે નમામી ગંગે પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યાં એક ટ્રાન્સફોર્મર ફાટવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક પણ વધી શકે […]

દિલ્હીવાસીઓને લાગ્યો ઝટકો,વીજળી 10 ટકા મોંઘી થઈ

દિલ્હીમાં વીજળીના દરમાં વધારો PPAC દ્વારા ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી વધારાઈ લોકો આ વધારાથી ચોંકી ઉઠયા  દિલ્હી : રાજધાની દિલ્હીમાં વીજળીના દરમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં PPAC (પાવર પરચેઝ એગ્રીમેન્ટ કોસ્ટ) દ્વારા ઈલેક્ટ્રિસિટી ડ્યૂટી વધારવામાં આવી છે. દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દિલ્હીના ટ્રાન્સ-યમુના વિસ્તાર, જૂની દિલ્હી અને નવી દિલ્હીમાં રહેતા લોકો આ વધારાથી ચોંકી ગયા છે. […]

દેશમાં સરકારે એક વર્ષમાં 249 અબજ યુનિટ વીજળી બચાવી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 249 અબજ યુનિટ વીજળી બચાવી છે. તેના કારણે બિલમાં 1.60 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહે ‘નેશનલ એનર્જી ડેટાઃ સર્વે એન્ડ એનાલિસિસ 2021-22’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા નીતી આયોગના સહયોગથી […]

ગુજરાતમાં વર્ષ 2011-12માં માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટની સરખામણીએ દસ વર્ષમાં આંકડો બમણો થયો

અમદાવાદઃ સામાજિક અને આર્થિક વિકાસ માટેનો એક અગત્યનો માપદંડ વીજળી છે. વર્ષ 2011-12માં રાજ્યનો સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1233 યુનિટ હતો, જે આજે વર્ષ 2021-22માં વધીને 2283 યુનિટ થયેલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ માથાદીઠ વીજ વપરાશ 1255ની સરખામણીમાં લગભગ બમણો હોવા છતાં પણ અમારી સરકાર સતત વીજ પુરવઠો પૂરી પાડી રહી છે. રાજ્યની વીજ કંપનીઓ […]

US: ઈલેક્ટ્રિક પોલ સાથે પ્લેન અથડાયું,90 હજાર ઘરોની વીજળી ગુલ

દિલ્હી:અમેરિકાના મેરીલેન્ડમાં મોન્ટગોમેરી કાઉન્ટીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. અહીં એક નાનું પ્લેન ક્રેશ થયું અને ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાયું.જેના કારણે સમગ્ર વિસ્તારમાં વીજળીની મોટી કટોકટી સર્જાઈ છે.મોન્ટગોમેરીમાં લગભગ એક ક્વાર્ટર એટલે કે 90 હજાર ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ. મોન્ટગોમરી કાઉન્ટી પોલીસે જણાવ્યું હતું કે,રોથબરી ડો અને ગોશેન રોડ પર એક નાનું […]

ચોટીલામાં ભારે વરસાદ વચ્ચે વીજ કંપનીની ટીસીમાં ખામી સર્જાતા 82 ગામમાં અંધારપટ

અમદાવાદઃ રાજ્યભરમાં ફરી એકવાર ચોમાસુ સક્રિય થયું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. દરમિયાન વીજ કંપનીના 10થી વધુ ટીસી બળી જતાં શહેરની સાથે તાલુકાનાં 82 જેટલાં ગામડાંમાં પણ વીજળી ગુલ થઈ ગઈ હતી. જેથી અંધારપટ છવાયો હતો. વીજ કંપની દ્વારા […]

તમિલનાડુઃ વીજ કરંટથી 11ના મોત અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

નવી દિલ્હીઃ તમિલનાડુમાં એક મંદિરમાં શોભાયાત્રા દરમિયાન વીજકરંટ લાગવાથી 11 વ્યક્તિઓના મોત થયાં હતા. આ દૂર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરીને મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 50 હજાર રૂપિયા આપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર તંજાવુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code