1. Home
  2. Tag "farmers protest"

જેતપુરમાં ભાદર નદીમાં ઉદ્યોગોના પ્રદૂષિત પાણી છોડાતા ખેડૂતોનો વિરોધ

રાજકોટ, 11 ફેબ્રુઆરી 2026:  જિલ્લાના જેતપુરમાં ભાદર નદી પ્રદૂષિત બની છે. જેતપુર અને આજુબાજુના વિસ્તારોમાં કારખાનેદારો તેમજ કેમિકલની ફેકટરીઓ દ્વારા પ્રદૂષિત પાણી ભાદર નદીમાં છોડવામાં આવતું હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જેતપુરના કેરાળી-લુણાગરા પાસે ભાદર નદીમાં કેમિકલ માફિયાઓ દ્વારા ઝેરી પાણી છોડાતા નદી પ્રદૂષિત થઇ છે. આ ઘટનાને લઇને ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ GPCB […]

મહેસાણા પંથકના ખેડૂતોએ તમાકૂ પરના તોતિંગ ટેક્સ સામે કર્યો વિરોધ

મહેસાણા, 25 જાન્યુઆરી 2026:  કેન્દ્ર સરકારે તમાકુ અને તમાકુની બનાવટો પર તોતિંગ ટેક્સ લાદ્યો છે. તેના કારણે તમાકુ ઉત્પાદક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ઊંઝાના ઉનાવામાં તમાકુ પકવતા ખેડૂતો અને વેપારીઓ સરકારની નીતિ સામે મેદાનમાં આવ્યા છે. સરકાર દ્વારા બિન ઉત્પાદિત તમાકુ પર જે રીતે ટેક્સનું ભારણ વધારવાની તૈયારી કરાઈ છે, તેના કારણે વેપારીઓ અને […]

ભાવનગર જિલ્લામાં સર્વેની કામગીરી સામે ખેડૂતોનો વિરોધ, 100 ટકા વળતરની માગ

જિલ્લાના તમામ તાલુકાઓમાં માવઠાથી 100 ટકા નુકસાન થયુ છે, હજુ પણ વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને કરી રજુઆત ભાવનગરઃ ગોહિલવાડમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં માવઠાએ વિનાશ વેર્યો છે. અને ખેડૂતોના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. શિહોર તાલુકાના કેટલાક ગામોના વાડી-ખેતરોમાં વરસાદી […]

રાજુલાના ધાતરવાડી ડેમમાંથી પાઈપલાઈન નાંખવા સામે ખેડુતોનો વિરોધ

રાજુલા અને જાફરાબાદને પીવાનું પાણી આપવા પાઈપલાઈન નાંખવામાં આવશે, ખેડુતો કહે છે, પીવા માટે પાણી અપાશે તો સિંચાઈ માટેનું પાણી નહીં મળે ડેમ વિસ્તારના 13 ગામોના લોકોએ કર્યો ઉગ્ર વિરોધ અમરેલીઃ  રાજુલા તાલુકાના ધાતરવડી-1 ડેમમાથી રાજુલા અને જાફરાબાદ શહેરને પાણી આપવા માટે પાઇપ લાઇનના કામને મંજુરી આપી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પાઈપલાઈન નાંખવાની તૈયારીઓ […]

કડીમાં કોટન માર્કેટના મુહૂર્તના પ્રથમ દિવસે ડાંગરની હરાજી બંધ કરાતા ખેડુતોનો વિરોધ

વેપારીઓની મનમાની સામે ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો, વેપારીઓએ કામકાજના પ્રથમ દિવસે જ ડાંગરની હરાજી બંધ કરવાનો નિર્ણય લીધો, ખેડુતો ડાંગર ભરીને યાર્ડમાં આવ્યા ત્યારે જ જાણ થતાં રોષે ભરાયા મહેસાણાઃ કડી કોટન માર્કેટમાં મુહૂર્તના પ્રથમ દિવસે જ વેપારીઓની મનમાની સામે રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવે ચક્કાજામ કર્યો હતો. વેપારીઓએ ડાંગરની હરાજી બંધ કરી દેતા ખેડૂતોએ હાઈવે […]

દક્ષિણ ગુજરાતમાં સુગર મિલોએ શેરડીના ટનદીઠ ઓછા ભાવ જાહેર કરતા ખેડૂતોએ કર્યો વિરોધ

સુરત: દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1લી એપ્રિલથી શેરડીના ટન દીઠ ભાવ નક્કી કરાયા છે. જે ભાવ અપુરતા હોવાથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરવામાં આવી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો […]

રાયદાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા હટાવવા થરાદના ખેડુતોએ કૃષિમંત્રીને કરી રજુઆત

પાલનપુરઃ ગુજરાત સરકારે અન્ય કૃષિ પેદાશોની જેમ રાયડો પણ ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે. પરંતુ રાયડો 2400 કિલોની મર્યાદામાં ખરીદી રજિસ્ટેશન કરાતું હોવાથી બનાસકાંઠાના ખેડુતોમાં સરકાર સામે નારાજગી જાવા મળી રહી છે. થરાદ તાલુકા કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિ મંત્રીને સંબોધીને રાયડાની ખરીદીમાં 2400 કિલોની મર્યાદા […]

ભાવનગરના અલંગ વિસ્તારમાં સુચિત ટીપી સ્કીમ સામે 17 ગામોના ખેડુતોએ કર્યો વિરોધ,

ભાવનગરઃ અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા સૂચિત ટીપી સ્કીમનો ડ્રાફ્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ઘણાબધા ગામોની ફળદ્રુપ જમીનોનો સમાવેશ કરાતા ખેડુતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુચિત ટીપી સ્કીમના અસરગ્રસ્ત 17 ગામના ખેડૂતોએ રવિવારે તળાજાના મણાર ગામ પાસે એકઠા થઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તળાજા તાલુકાના મણાર ગામે બાપાસીતારામ મઢુલી ખાતે રવિવારે […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડુતોએ વિરોધ કરી હરાજી બંધ કરાવી

ભાવનગરઃ ગુજરાતમાં ડુંગળીના ઉત્પાદનમાં ગોહિલવાડ પંથક અગ્રેસર ગણાય છે. આ વખતે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું છે. બીજીબાજુ કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકતા ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે. ખેડુતોને ડુંગળીને માર્કેટયાર્ડ લાવવા સુધીનું ભાડું પણ નીકળતું નથી. દરમિયાન ગુરૂવારે મહારાજ કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટ યાર્ડમાં પાણીના ભાવે ડુંગળીની હરાજી થતાં […]

પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી ન છોડાતા ખેડુતો સિંચાઈ કચેરીને તાળાંબંધી કરશે

પાલનપુરઃ બનાસકાંઠામાં પાલનપુરના ગઢ વિસ્તારમાં કેનાલમાં પાણી છોડવામાં ના આવતા રવિ પાક સુકાઈ રહ્યો છે. આથી  200 જેટલાં ખેડૂતો પાલનપુરમાં આવેલી સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા હતા. અને જો ચાર દિવસમાં પાણી નહીં છોડાય તો કચેરીએ ધરણાં કરી તાળાબંધીની ચિમકી ઉચ્ચારી હતી. ખેડૂતોને ચાર દિવસ સુધી કેનાલમાં પાણી નહિ મળે તો ગુજરાત હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code