1. Home
  2. Tag "forest department"

સાસણગીરમાં ગેરકાયદે સિંહ દર્શન કરાવનાર સામે આકરી કાર્યવાહી કરાશે

જૂનાગઢઃ સાસણ સિંહ સદન ખાતે વન્ય પ્રાણી સંબંધિ ગુન્હાઓ અટકાવવા તથા વન વિભાગ પોલીસ સહિતની જુદી -જુદી એજન્સીઓ વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે માટે વાઈલ્ડ લાઈફ ક્રાઈમ સેલ જોઈન્ટ મીટ યોજાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાની અધ્યક્ષતામાં અને જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા ગીર પશ્ચિમના નાયબ વન સંરક્ષક પ્રશાંત […]

ગાંધીનગરમાં વન વિભાગનો વર્કશોપ યોજાયો, 2070 સુધીમાં શુન્ય ઉત્સર્જનના લક્ષ્યાંકને હાંસલ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય વન અને પર્યાવરણ વિભાગ, તેમજ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ભારતીય વન સંશોધન અને શિક્ષણ પરિષદ દ્વારા કાર્બન ક્રેડિટ અને માન્યતા પ્રાપ્ત વળતર વનીકરણને બદલતા કાયદાકીય દ્રષ્ટિકોણ હેઠળ સ્વીકારવાના હેતુથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ,  એસ.કે. […]

બનાસકાંઠાને હરિયાળો બનાવવા માટે વન વિભાગની 19 નર્સરીઓમાં 66 લાખ રોપાઓ ઉછેરાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારા વરસાદને કારણે વનરાજી ખીલી ઊઠી છે, જિલ્લાના વન વિભાગ દ્વારા વધુને વધુ વૃક્ષારોપણ થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. નાગરિકો, સામાજિક સંસ્થાઓને પણ અપીલ કરવામાં આવી છે. જિલ્લાને લીલોછમ્મ- હરિયાળો બનાવવા માટે સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક અભયકુમારસિંઘના સીધા માર્ગદર્શન હેઠળ પવિત્ર ઉપવન, પંચવટી, અર્બન ફોરેસ્ટ, વન […]

મા કાલિકાનું મંદિર વધુ સ્વચ્છ બન્યું : કોકોપીટના ઉપયોગથી પાવાગઢ ડુંગર વૃક્ષોથી લીલોછમ બન્યો

આપણાં દેશમાં અસંખ્ય મંદિરો આવેલાં છે,જેમાં લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે, દેવ અને ગુરુ પાસે ખાલી હાથે ના જવાય. શ્રીફળ વગર કોઇ વ્યક્તિ દેવ કે દેવી પાસે જતી હોતી નથી. શ્રીફળ એટલે કે નારિયેળ દરેક મંદિરમાં વપરાતું ફળ છે.નારિયેળ વગર કોઇ દેવ કે દેવીની પૂજા શક્ય નથી.એક શ્રીફળ માત્ર […]

સાસણ સિંહ સદન ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બેઠક યોજી

અમદાવાદઃ જૂનાગઢમાં બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહ સહિતના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે રાજ્ય સરકારે વિવિધ પગલાંઓ લીધા હતા. દરમિયાન રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ બિપરજોય વાવાઝોડામાં ગીરના સિંહના વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે લેવામાં આવેલા પગલાં સંદર્ભે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સાસણ સિંહ સદન ખાતે બેઠક યોજી હતી. મંત્રીએ વાવાઝોડાના સમયમાં સમગ્રતયા ખાસ કરીને સિંહોના રેસક્યુ […]

વોવાઝોડાનું સંકટઃ ગીર જંગલમાં સાવજોની સલામતી માટે સતર્ક વનવિભાગનું સઘન પેટ્રોલીંગ

અમદાવાદઃ ગુજરાતના દરિયા કિનારા ઉપર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. વાવાઝોડાની શકયતાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને દરિયાકાંઠા વિસ્તારમાં જોરશોરથી લોકોને સલામત સ્થળ પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન જૂનાગઢના ગીર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સાવજોની સલામતીને ધ્યાનમાં રાખીને વનવિભાગ પણ ગીર જંગલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ કરી રહ્યું છે. તેમજ […]

પાટનગર ગાંધીનગરને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા 46 હેકટરમાં 1.37 લાખ રોપા વવાશે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરને ગ્રીનસિટી યાને હરિયાળું બનાવવા ચોમાસા દરમિયાન વધુને વધુ વૃક્ષારોપણ થાય એવા પ્રયાસો કરવામાં આવશે. એક સમયે ગાંધીનગરમાં સૌથી વધારે લીલાછમ વૃક્ષો હતા. અમદાવાદથી ગાંધીનગર જતાં રોડની બન્ને સાઈડ પર નજર ન પહોંચે ત્યાં સુધી ઘટાદાર લીલાછમ વૃક્ષો જોવા મળતા હતા. પરંતુ વિકાસની તેજ દોડમાં નડતરરૂપ અનેક વૃક્ષો ધડમૂળથી કપાઈ ગયા હતા. અને […]

સાવરકૂંડલામાં સાવજે ત્રણ વ્યક્તિ પર હુમલો કર્યા બાદ વન વિભાગે આઠ સિંહને પાંજરે પૂર્યા

અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વનરાજોએ અઢ્ઢો જમાવતા લોકો સીમ-ખેતરો જતાં પણ ડરતા હતા, દરમિયાન તાલુકાના ઘનશ્યામનગરની સીમમા છેલ્લા ત્રણ માસ દરમિયાન નરભક્ષી બનેલા સાવજે એક પછી એક ત્રણ વ્યકિતને ફાડી ખાધાની ઘટના બાદ વનતંત્રએ હવે આ વિસ્તારના તમામ સિંહને પાંજરે પુરી દઇ સમગ્ર વિસ્તારને સિંહ મુકત કરી દીધો છે. અગાઉ આઠ સિંહ અને એક દીપડાને […]

જૂનાગઢઃ 4 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે

અમદાવાદઃ જૂનાગઢમાં દેવ ઉઠી એકાદશીથી ગિરનારની લીલી પરિક્રમાનું વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓને કોઈ સમસ્યા ન નડે તે માટે આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આગામી તારીખ 4 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા દર વર્ષે દેવ ઉઠી એકાદશીથી શરૂ થઈ કાર્તિકી પૂર્ણિમા સુધી એટલેકે પાંચ દિવસ સુધી યોજાય […]

બનાસકાંઠાને લીલોછમ બનાવવા માટે વન વિભાગ દ્વારા 54.65 લાખ રોપાઓનું વિતરણ કરાશે

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2004થી પ્રતિવર્ષ વન મહોત્સવની ઊજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે 73 માં જિલ્લા સ્તરીય વન મહોત્સવની ઉજવણી 12 ઓગષ્ટ-2022ના સવારે-9.00 કલાકે બનાસ મેડિકલ કોલેજ મારિયા ખાતે અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના રાજય મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવશે. જે અંતર્ગત જિલ્લામાં 54.65 લાખ રોપાઓના ઉછેર થકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code