હારિજના મામલતદાર પટેલે પોતાની કચેરીના બિલ્ડિગ પરથી છલાંગ લગાવીને કરી આત્મહત્યા
પાટણઃ જિલ્લાના હારીજના મામલતદારે પોતાની કચેરીના બિલ્ડિંગ પરની છત પરથી પટકાતા મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મામલતદાર વી.ઓ. પટેલે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે સુસાઈડ નોટ્સ મળી નથી. મામલતદારના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ તેમના વતન દીઓદર તાલુકાના લીલાધર ગામે લઈ જવાયો હતો. […]