1. Home
  2. Tag "HIGH COURT"

રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી, પોલીસી કેમ બનાવાતી નથી ?

અમદાવાદઃ રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. ચોમાસાની વરસાદી સીઝનમાં તો ઢોર જોહેર રસ્તાઓ પર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ સુનાવણી દરમિયાન ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની ઝાટકણી કાઢીને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, સરકાર આ મુદ્દે પોલીસી કેમ બનાવતી નથી. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ એ.એસ.સુપેહિઆ અને […]

હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું મોનીટરીંગ, સંકલન અને નિરાકરણ માટે ઉચ્ચ્સ્તરીય સમીતીની રચના

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ વિવિધ ચર્ચા સંદર્ભે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, હાઇકોર્ટમાં સરકારના પડતર કેસોનું સતત મોનીટરીંગ, સંકલન તેમજ ઝડપી નિકાલ માટે એક ઉચ્ચસ્તરીય સમિતીનું ગઠન કરવામાં આવશે. હાઇકોર્ટમાં રાજ્ય સરકારના પડતર કેસોના ઝડપી નિકાલ માટે કાયદા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ IILMS(INTEGRATED INSTITITIONAL LITIGATION MANAGEMENT SYSTEM […]

દિલ્હી હાઈકોર્ટે રૂ. 2000ની નોટો પરત ખેંચવા અંગેની પીઆઈએલને ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે સોમવારે ચલણમાંથી રૂ. 2,000ની નોટો પરત ખેંચી લેવાના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના નિર્ણયને પડકારતી PILને ફગાવી દીધી હતી. ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે અરજી ફગાવી દીધી હતી. અગાઉ આ અરજી પર ચુકાદો 30 મેના રોજ અનામત રાખવામાં આવ્યો હતો. અરજદાર રજનીશ ભાસ્કર ગુપ્તાએ દલીલ કરી હતી […]

અમદાવાદઃ છેતરપીંડીની તપાસ મામલે હાઈકોર્ટે સાયબર ક્રાઈમની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ સોશિયલ મીડિયા મારફતે યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લાખો રૂપિયા પડીને છેતરપીંડી આચરવાના કેસમાં સાયબર ક્રાઈમના ગુનામાં સાઈબર ક્રાઈમની તપાસ સામે રાજ્યની વડી અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. બે વર્ષ પહેલા થયેલી અરજીની યોગ્ય કાર્યવાહી નહીં કરવા મામલે કોર્ટમાં અરજી થઈ હતી. જેમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને તપાસનો રિપોર્ટ રજુ કરવા માટે તપાસનીશ એજન્સીને નિર્દેશ કર્યો […]

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોના ઉપયોગ સામે હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી માંગ્યો જવાબ

અમદાવાદઃ પંજાબની જેમ ગુજરાતમાં પણ ડ્રગ્સની હેરાફેરી વધતી જાય છે. છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવાને મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરીને ગુજરાત સરકાર પાસે જવાબ માંગ્યો છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થતો હોવા મામલે હાઈકોર્ટે સુઓમોટો રિટ કરી છે. હાઇકોર્ટમાં આવેલા સગીરોના કેસોની વિગતોને […]

મોરબી પુલ દૂર્ઘટનાઃ મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવાશે

અમદાવાદઃ મોરબીમાં ઝુલતો બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં હાઈકોર્ટે મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખનું વળતર ચુકવવા માટે બ્રિજનો કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીને આદેશ કર્યો હતો. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને રૂ. 2-2 લાખનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળીના તહોવારો બાદ મચ્છુ નદી ઉપર બનેલો ઝુલતો પુલ ધરાશાયી થયો હતો. આ દૂર્ઘટનામાં 135 જેટલા વ્યક્તિઓના […]

પોલીસ કર્મચારી સામે કેસ ચાલતો હોય તો બદલી ના કરી શકાય, હાઈકોર્ટની ટકોર

અમદાવાદઃ પોલીસ કર્મચારી સામે કેસ ચાલકો તો હોય તો તેની બદલી કરવી યોગ્ય ગણાય નહીં, તેવી નોંધ ગુજરાત હાઈકોર્ટે એક અરજીની સુનાવણીમાં કર્યું હતું. પોલીસકર્મીઓની બદલી મુદ્દે ખુદ પોલીસ વિભાગે જ કેમ હાઇકોર્ટના પગથીયા ચઢવા પડે છે, તેવી નોંધ પણ રાજ્યની વડી અદાલતે કરી હતી. કેસની હકીકત અનુસાર, રેલવે વિબાગના પોલીસ કર્મચારીએ પોતાની બદલી મુદ્દે […]

મોરબી દુર્ઘટનામાં મળેલા વળતરથી પીડિત પરિવારોમાં અસંતોષ, હાઈકોર્ટમાં વ્યક્ત કરી નારાજગી

અમદાવાદઃ મોરબીમાં દિવાળીના તહેવારોમાં ઝુલતો પુલ તુટી પડવાની ઘટના રાજ્યની અદાલતમાં પહોંચી છે. પીડિતોએ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવેલા વળતર અંગે અસંતોષ વ્યક્ત કરીને હાઈકોર્ટમાં એફિડેવીટ દાખલ કર્યું હતું. રાજ્યની વડી અદાલતમાં મોરબી દુર્ઘટના અંગે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેસની હકીકત અનુસાર મોરબીમાં દિવાળી બાદ ઝુલતો પુલ તુટવાની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં […]

રાજ્યની અનેક શાળાઓમાં ગુજરાતી ભાષા કેમ ભણાવાતી નથી, હાઈકોર્ટનો સરકારને વેધક સવાલ

અમદાવાદઃ રાજ્યની શાળાઓમાં ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ હતી. જેની સુનાવણીમાં હાઈકોર્ટે સરકારને વેધક સવાલ કર્યો હતો કે, સરકારના પરિપત્ર દ્વારા પણ શા માટે યોગ્ય અમલ કરવામાં આવતો નથી. તેમજ અનેક સ્કૂલોમાં શા માટે ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી નથી તે અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે […]

સાબરમતી નદીમાં પ્રદુષણ ફેલાવવા મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી

અમદાવાદઃ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે મનપા તંત્ર તથા સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે, એટલું જ નહીં નદીમાં કેમિકલ યુક્ત પાણી છોડતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન સાબરમતી નદીમાં વધતા પ્રદુષણને લઈને રાજ્યની વડી અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ ગેરકાયદે રીતે હજુ સુધી નદીમાં પ્રદુષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code