1. Home
  2. Tag "Invitation"

કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે એટલે રામ મંદિરનું વિશેષ આમંત્રણ મળ્યું હોય તો કોંગ્રેસના નેતાઓ હાજર રહેવુ જોઈએઃ શિવસેના

મુંબઈઃ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી તરીકે સામેલ થશે. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. લોકસભાની ચૂંટણીને લઈને રામ મંદિરના નિર્માણનો મહત્વનો  મુદ્દો માનવામાં આવે છે. દરમિયાન શિવસેના (UBT)એ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીની આત્મ હિંદુ છે અને જો પાર્ટીને રાજકીય મતભેદોને સાઈડમાં […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું ખેડગે અને સોનિયા ગાંધીને આમંત્રણ, અધીર રંજન ચૌધરીએ જવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. 22મી જાન્યુઆરીના રોજ યોજાશે. આ કાર્યક્રમ માટે ભાજપના નેતાઓની સાથે વિપક્ષી નેતાઓને પણ આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ જણાવ્યું હતું કે, હજુ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આમંત્રણ મળ્યું નથી, જો આણંત્રણ મળશે તો ચોક્કસ હાજરી આપીશ. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગે અને […]

રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ માટે લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ

નવી દિલ્હીઃ રામ મંદિર માટે આંદોલન કરનારા સિનિયર નેતા મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ અડવાણીને અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદના આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું હતું કે, રામ મંદિરના આંદોલનના નેતા લાલ કૃષ્ણ અડવાણી અને ડો.મુરલી મનોહર જોશીને તા. 22મી […]

ટેસ્લાને કર્ણાટકમાં રોકાણ કરવા માટે રાજ્ય સરકારે આમંત્રણ આપ્યું

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ઇન્કને રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું છે. રાજ્ય સરકારે ટેસ્લાને કહ્યું કે, ભારતમાં કંપનીના વિસ્તરણ માટે કર્ણાટક એક આદર્શ સ્થળ છે અને અહીંના સત્તાવાળાઓ કંપની અને તેના સાહસોને ટેકો આપવા અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા તૈયાર છે. ટેસ્લાએ આ સપ્તાહની શરૂઆતમાં કહ્યું હતું કે, […]

જાપાની ઉદ્યોગોને મેક-ઈન-ઈન્ડિયા હેઠળ ભારતે આપ્યું આમંત્રણ

નવી દિલ્હીઃ ભારત-જાપાન વચ્ચે સંરક્ષણ સંબંધો વધારવાની તકમાં, સંરક્ષણ સચિવ ગિરધર અરમાણેએ 7મી ભારત-જાપાન સંરક્ષણ નીતિ સંવાદ દરમિયાન જાપાની ઉદ્યોગને મેક-ઈન-ઈન્ડિયા માટે આમંત્રણ આપ્યું હતું. સંયુક્ત સંવાદની સહ-અધ્યક્ષતા તેમના અને જાપાનના આંતરરાષ્ટ્રીય બાબતોના વાઇસ મિનિસ્ટર ઓકા માસામીએ નવી દિલ્હીમાં કરી હતી. “મેક-ઈન-ઈન્ડિયા” પહેલના ભાગ રૂપે, સંરક્ષણ સચિવે જાપાની સંરક્ષણ ઉદ્યોગોને ભારતમાં રોકાણની સંભાવના પર ધ્યાન […]

પીએમ મોદી અને ઈઝરાયલના પીએમ વચ્ચે વાત થઈ, ભારત આવવા આપ્યું આમંત્રણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ સાથે ફોન ઉપર વાત કરી હતી. પીએમ મોદીએ બેંજામિન નેતન્યાહુને ભારત આવવાનું આમંત્રણ આપ્યું છે. જેથી તેઓ ટુંક સમયમાં ભારતનો પ્રવાસ કરે તેવી શકયતા છે. પીએમ મોદીએ નેતન્યાહૂ છઠ્ઠીવાર ઈઝરાયલના પીએમ બનવા બદલ શુભકામના પાઠવી હતી. તેમજ સફળ કાર્યકાળની કામના કરી હતી. આ અંગે પીએમ મોદીએ ટ્વીટ કર્યું […]

ભારત જોડો યાત્રામાં સામેલ થવા કોંગ્રેસે ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીને આમંત્રણ પાઠવ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, હાલ યાત્રા દિલ્હીમાંથી પસાર થઈ હતી. તેમજ ઉત્તરપ્રદેશમાં આ યાત્રા યોજાશે. દરમિયાન ભારત જોડો યાત્રામાં જોડાવવા માટે સ્થાનિક કોંગ્રેસના નેતાએ અમેઠીના ભાજપના સાંસદ સ્મૃતિ ઈરાનીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. બીજી તરફ ભાજપના સ્થાનિક નેતાએ જણાવ્યું હતું કે, ભાજપના નેતાઓ અને કાર્યકરો પણ […]

આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાની ભવ્ય જીત બાદ ભાજપ હાઈકમાન્ડ દ્વારા સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી હતી. દરમિયાન આજે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી હતી. દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ભુપેન્દ્ર પટેલને  ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવ્યું છે. શપથ ગ્રહણ સમારોહ તા. 12 […]

અમદાવાદ નજીક યોજાનારા પ્રમુખસ્વામી મહોત્સવના ઉદઘાટન માટે પીએમ મોદીને આમંત્રણ અપાયું

અમદાવાદઃ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઊજવણી માટે BAPS સંસ્થા દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નવેમ્બર સુધીમાં મહોત્સવ માટેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. આ મહોત્સવના ઉદ્દઘાટનની તારીખ 15મી ડિસેમ્બરના બદલે 14મી ડિસેમ્બર કરવામાં આવી છે. આ મહોત્સવનું ઉદ્દઘાટન લપકામણ ગામમાં થવાની શક્યતા છે. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્દઘાટન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા […]

પાકિસ્તાને સાર્ક સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું

દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાનએ SAARC સંમેલન માટે ભારતને આમંત્રણ મોકલ્યું હોવાનું જાણવા મળે છે. જો કે, ભારતને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યું નહીં હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને તાજેતરમાં જ આશા વ્યક્ત કરી હતી કે, આ વર્ષે સાર્ક સંમેલનનું પાકિસ્તાનમાં આયોજન કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code