અમદાવાદની સાબરમતી જેલના કેદીઓ 1લી મેથી પોતાના પરિવાર સાથે ફોનથી વાત કરી શકશે
અમદાવાદ: શહેરમાં સાબરમતી જેલનું તંત્ર પ્રિઝન ઈન્મેટ કોલિંગ સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યોજના 1લી મેથી શરૂ કરી દેવાશે. જેના થકી કેદીઓ તેમના પરિવાર સાથે ફોન કરીને વાતચીત કરી શકશે. કેદીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ અંગે ગુપ્ત માહિતી મેળવવા માટે કોલ રેકોર્ડ પણ કરવામાં આવશે. જેલ અને સુધારાત્મક વહીવટના ડાયરેક્ટર જનરલે જણાવ્યું […]


