1. Home
  2. Tag "lalu yadav"

કોંગ્રેસ-આરજેડી એસસી અને એસટીના અધિકારો છીનવી લેવા માંગે છેઃ નરેન્દ્ર મોદી

પટનાઃ બિહારમાં અરરિયા રેલીને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરજેડી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા. આ દરમિયાન પીએમ મોદીએ આરજેડી-કોંગ્રેસને તેમના સૌથી મોટા મુદ્દા પર ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અરરિયામાં ‘કર્ણાટક મુસ્લિમ આરક્ષણ’નો મુદ્દો ઉઠાવીને પીએમ મોદીએ કોંગ્રેસની સાથે આરજેડીની મુશ્કેલીમાં વધારો કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આરજેડી અને કોંગ્રેસ સાથે […]

લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યે કહ્યું અમે રામવિરોધી નથી: મીસા ભારતીએ કરી ચૂંટણી પછી અયોધ્યા જવાની વાત

પટના : લોકસભા ચૂંટણી પ્રચારમાં ભાજપ અયોધ્યામાં રામમંદિરને લઈને વિપક્ષી દળો પર આક્રમક છે. ત્યારે બિહારમાં આરજેડી ચીફ લાલુપ્રસાદ યાદવના પુત્રી રોહિણી આચાર્ય અને મીસા ભારતીએ મોટા નિવેદન આપ્યા છે. રોહિણી આચાર્યે કહ્યું છે કે અમે રામ વિરોધી નથી. જ્યારે મીસા ભારતીએ સ્પષ્ટ કર્યું છે કે અમે ચૂંટણી બાદ અયોધ્યા જઈશું. મહત્વપૂર્ણ છે કે અયોધ્યામાં […]

અસદુદ્દીન ઓવૈસીએ લાલુ-તેજસ્વીનું ટેન્શન વધાર્યું, AIMIMનું બિહારની 11 બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન

પટના: અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમએ બિહારની 11 લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાનું એલાન કર્યું છે. તેનાથી લાલુપ્રસાદ અને તેજસ્વી યાદવની પાર્ટી આરજેડી સહીત આખા મહાગઠબંધનની ચિંતા વધવાની છે. ઓવૈસીની પાર્ટી બિહારની 40 લોકસભા બેઠકોમાંથી કિશનગંજ, અરરરિયા, કટિહાર, પૂર્ણિયા સહીતની 11 બેઠકો પર પોતાના ઉમેદવારોને ઉતારશે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો ધરાવતા મતક્ષેત્રોમાં એવૈસી ગત કેટલાક […]

સોનિયા ગાંધી પુત્ર રાહુલને વડાપ્રધાન અને લાલુ યાદવ પુત્રને મુખ્યમંત્રી બનાવવા માંગે છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે શનિવારે બિહારની રાજધાની પટનામાં આયોજીત એક મહાસંમેલનને સંબોધિત કરતી વખતે કોંગ્રેસ અને આરજેડી પર પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માંગે છે જ્યારે લાલુ યાદવ તેમના પુત્ર (તેજશ્વી યાદવ)ને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. બંનેને માત્ર પોતાના પરિવારની […]

હિંદુ ધર્મમાં પુત્ર નહીં, શિષ્યની પરંપરા હોવાની ભાજપની લાલુ યાદવને શિખામણ, ઈન્ડી ગઠબંધન પર પ્રહાર

નવી દિલ્હી: હિંદુ ધર્મમાં પુત્રની નહીં, શિષ્યની પરંપરા છે. રામના ભક્ત હનુમાનના ઘણાં મંદિરો તમે દેશમાં જોયા હશે, પરંતુ ભગવાન રામના પુત્ર લવકુશના મંદિર નહીં જોયા હોય. આ વાતો ભાજપે સોમવારે પીએમ મોદીના પરિવાર પર ટીપ્પણી કરનારા લાલુ યાદવને આપેલા જવાબમાં કહી છે. સોમવારે ભાજપના પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ પાર્ટીના મુખ્યમથક પર મીડિયાને સંબોધિત કર્યું. […]

રામમંદિર સામે લાલુ-રાબડીનું ‘નફરતી વલણ’!: પ્રાણપ્રતિષ્ઠા પહેલા RJDએ કહ્યુ- મંદિર માનસિક ગુલામીનો માર્ગ

પટના: સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થાન પર ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિશ્વના હિંદુઓમાં ભગવાન રામલલાની ભવ્ય રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અનેરો ઉત્સાહ છે. પરંતુ વોટબેંકની રાજનીતિમાં ડૂબેલા દેશના ચોક્કસ રાજકીય પક્ષો અને તેના નેતાઓની રામમંદિર સામેની નફરત અને વાંધા હજી જઈ […]

લાલુ પ્રસાદ યાદવની સામેની કેન્દ્રીય એજન્સીની કાર્યવાહીથી નિતિશકુમાર ખુશઃ સુશીલ મોદીનો દાવો

નવી દિલ્હીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના ઘર અને તેમના પરિવારજનો ઉપર ઈડી-સીબીઆઈના પડેલા દરોડાથી નિતિશ કુમાર દુઃખી-નારાજ નથી, પરંતુ તેઓ આ કાર્યવાહીથી ખુશ હોવાનો દાવો ભાજપના સિનિયર નેતા સુશીલ મોદીએ જણાવ્યું હતું. દિલ્હી સ્થિત ઘર ઉપર પડેલા દરોડામાં વાંધાજનક દસ્તાવે મળી આવવાથી સૌથી વધારે ખુશ નીતિશ કુમાર છે. તેમણે વધુમાં […]

બિહારઃ લાલુ યાદવ અને નીતિશકુમાર ભેગામળીને નવી પાર્ટી ઉભી કરે તેવી શકયતા

નવી દિલ્હીઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ભાજપનો સાથ છોડીને આરજેડી અને કોંગ્રેસ સહિતની પાર્ટીઓની મદદથી ફરીથી સત્તા હાંસલ કરી છે. હવે નિતિશકુમાર ફરીથી ભાજપમાં સામેલ થાય તેવી કોઈ શક્યતા હાલ દેખાતી નથી. બીજી તરફ જેડીયુમાં નીતિશકુમાર સિવાય અન્ય કોઈ એવુ મોટુ નામ નથી જે નીતિશકુમારની ગેરહાજરીમાં પાર્ટીને સાચવી શકે. બીજી તરફ લાલુપ્રસાદ યાદવની પાર્ટી આરજેડી […]

ઘાસચારા કૌભાંડમાં લાલુ યાદવની મુશ્કેલી વધી, કોર્ટે ફરમાવી 5 વર્ષની સજા

નવી દિલ્હીઃ ઘાસચારા કૌભાંડનો સામનો કરતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. ડોરાંડા કેસમાં ખાસ સીબીઆઈ અદાલતે લાલુ પ્રસાદ યાવદને ગુનેગાર ઠરાવ્યાં હતા. સજા ઉપરની સુનાવણી બાદ અદાલતે લાલુ પ્રસાદને પાંચ વર્ષની સજા ફરમાવી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત 60 લાખનો દંડ ફરમાવ્યો છે. ચારા કૌભાંડના ડોરાન્ડા તિજોરીમાંથી ગેરકાયદેસર રીતે […]

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદની મુશ્કેલીમાં વધારોઃ વધુ એક કેસમાં દોષિત

નવી દિલ્હીઃ અવિભાજિત બિહારના રૂ. 950 કરોડના ચારા કૌભાંડ સંબંધિત પાંચમા કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ યાદવને દોષિત ઠેરવવામાં આવ્યા છે. રાંચીની સીબીઆઈ કોર્ટે ડોરંડા ટ્રેઝરીમાંથી 139.35 કરોડની ઉચાપતના કેસમાં તેમને દોષિત ઠેરવ્યો છે. કોર્ટે આ કેસમાં 24 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે, જ્યારે લાલુના નજીકના નેતા જગદીશ શર્મા અને ધ્રુવ ભગત સહિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code