1. Home
  2. Tag "Land"

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]

ગુડબાય 2022: વિકાસની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ સારું રહ્યું, જમીનથી લઈને અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હીઃ આવતીકાલે આપણે પહેલાની જેમ સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત કરીશું. પરંતુ, નવા વર્ષની શુભેચ્છા દિવસ તરીકે. આજે મોડી રાત્રે 2022ને અલવિદા કહીશું, ત્યાર બાદ અમે વર્ષ 2023નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. વર્ષ 2022 દેશના વિકાસની દૃષ્ટિએ ઉત્તમ રહ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી. વિશ્વની પાંચમી […]

નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ  પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ […]

સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

અમદાવાદઃ સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 109243 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 104051 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 40658 હેકટરમાં ડાંગરની, 8911 હેકટરમાં તેલીબિયા પાકોમાં સોયાબીનની અને 8303 હેકટરમાં કઠોળ વર્ગમાં તુવેરનું વાવેતર થયું છે. […]

ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ જિલ્લાના ભાલ પંથકની હજારો એકર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવાની સરકારની હિલચાલ સામે 12 ગામના ખેડુતોએ વિરોધ કર્યો છે.  જિલ્લાના ભાલ પંથકમાં આવેલી હજારો એકર જમીનો પર વર્ષોથી ખેતી તથા મીઠાના અગરો અસ્તિત્વ ધરાવે છે, અને ખેડૂતો ચોમાસું-શિયાળુ સિઝનમાં ખેતી કરી પોતાનો તથા પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીનો પર ઔદ્યોગિક એકમો સ્થાપિત […]

ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલી કાયદાનું સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડુતોના જમીનને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય અને સરકારી તંત્રની આંટાઘૂટીનો સામનો કરવા ન પડે તો માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાને સરળ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ […]

ભાવનગરના ઘોઘા તાલુકામાં માઇનિંગને કારણે જમીન ઉપસી આવતાં ખેડૂતોમાં ભયનો માહોલ

ભાવનગરઃ  જિલ્લામાં વિકાસના નામે ખેતીની ફળદ્રુપ જમીનનો વિનાશ થઈ રહ્યો છે. જિલ્લાના ઘોઘાનાં બાડી-પડવા લિગ્નાઇટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલતા માઈનિંગના કારણે આજુબાજુના ગામની જમીનોમાં અસાધારણ ફેરફાર જોવા મળી રહ્યા છે. અહીં જમીનો પર કરવામાં આવી રહેલા ડમ્પિંગના કારણે ખેડૂતોની સોના જેવી જમીન નષ્ટ થઈ રહી છે. ડમ્પિંગના કારણે 40 ફૂટ જેટલી જમીન ઉપસી આવી છે જેના […]

મધ્યપ્રદેશઃ પન્નાની ધરતીમાં ફરી એકવાર 26.11 કેરેટનો કિંમતી હિરો મળ્યો

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કિંમતી હીરા માટે પ્રખ્યાત પન્નાની ભૂમિમાંથી ફરી એકવાર કિંમતી હીરો મળ્યો છે. કિશોરગંજ પન્ના નિવાસી એક મધ્યમ વર્ગના વેપારી સુશીલ શુક્લાને 26.11 કેરેટનો કિંમતી હીરો મળી આવ્યો છે. જે હીરાની ઓફિસમાં જમા કરાવવામાં આવ્યો છે. આગામી 24 ફેબ્રુઆરીએ યોજાનારી હીરાની હરાજીમાં તેને મૂકવામાં આવશે. પન્નાની હીરાની ખાણોમાંથી મળેલો આ ચોથો સૌથી મોટો […]

ચીને 6 દાયકામાં ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો

નવી દિલ્હીઃ ચીન ભારતની 38 હજાર વર્ગ કિમી જમીન ઉપર ગેરકાયદે કબજો કર્યો છે. ચીન ભારતની જમીન ઉપર ગેરકાયદે કબજો કરવાની કામગીરી છ દાયકાથી કરી રહ્યું છે. લોકસભામાં એક સવાલના જવાબમાં સરકારે આ માહિતી આપી હતી. વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરનએ એક સવાલના લેખીત જવામાં કહ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં છેલ્લા 6 દાયકામાં ચીને […]

ભાજપ સરકારે નિવૃત્ત સૈનિકોને જમીન ફાળવવાની યોજના અભેરાઈએ ચડાવી દીધીઃ મોઢવાડિયા

અમદાવાદઃ ગુજરાતની ભાજપ સરકાર માતૃભૂમિની રક્ષા કરીને પરત ફરેલા દેશના માજી સૈનિકોની અવગણના કરતી હોવાના આક્ષેપ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ  અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી વોટ મેળવવા સૈનિકોના પરાક્રમોને પોતાના નામે ચડાવી રાજકારણ રમતી હોય છે. પરંતુ માતૃભૂમિની રક્ષા કરતા સૈનિકોને નિવૃત્તિ બાદ હક આપવાની વાત આવે એટલે ગુજરાતની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code