1. Home
  2. Tag "Land"

UP: 1970માં પૂર્વ પાકિસ્તાનથી આવેલા 63 હિન્દુ પરિવારોને ખેતી અને ઘર માટે અપાશે જમીન

અમદાવાદઃ કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સહિતના પડોશી દેશોમાંથી ધાર્મિક કારણોસર શરણ લેનારા પરિવારોને ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. દરમિયાન વર્ષ 1970માં પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશથી આવીને ઉત્તરપ્રદેશના કાનપુરમાં વસવાટ કરનારા લગભગ 73 જેટલા હિન્દુ પરિવારોનું પુનઃવર્સન કરવામાં આવશે. તેમજ મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી 1.20 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. સુત્રોના […]

ઉકાઇ ડેમ 345 ફુટ છલોછલ ભરાયેલો છે, ત્યારે રવિપાક માટે 149000 હેક્ટર જમીનને પાણી અપાશે

સુરતઃ ગુજરાતમાં આ વર્ષે પડેલા વરસાદને કારણે ઉકાઈ ડેમ 345 ફૂટની સપાટીએ છલોછલ ભરાયેલો છે. હાલ ઉકાઈ જળાશયમાં 6729.90 એમ.સી.એમ. પાણી સંગ્રહિત થયેલું છે. જેથી ઉકાઈ આધારિત વિસ્તારના લોકોને સિંચાઈથી લઈને પિવાના પાણીની મુશ્કેલીઓ પડશે નહી. લોકોને સિંચાઈ અને પીવાનું પાણી સમયસર મળી રહે તેના આયોજન અર્થે આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી […]

ફ્રાન્સથી વધુ ત્રણ રાફેલ વિમાનોએ ઉડાન ભરીને જામનગર એરપોર્ટ પર લેન્ડ થયા

જામનગરઃ  શહેરના એરબેઝ પર વધુ ત્રણ રાફેલ વિમાન આવી પહોંચ્યા હતા. ફ્રાંસના એરબેઝથી જામનગરમાં આ રાફેલ વિમાનો લેન્ડ થયા. અત્યાર સુધી ભારત પાસે 26 રાફેલ વિમાન હતા. વધુ 3 વિમાન આવવાથી હવે ભારત પાસે કુલ 29 રાફેલ વિમાન થઈ જશે. 29 રાફેલ વિમાન સામેલ થયા બાદ દેશની ઉત્તર અને પૂર્વ સીમા પર મોટી સંખ્યામાં ફાઈટર […]

જમ્મુ-કાશ્મીરઃ આર્ટીકલ 370 દૂર થયાં બાદ અત્યાર સુધીમાં માત્ર બે વ્યક્તિઓએ કરી જમીનની ખરીદી

દિલ્હીઃ તા. 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 દૂર કરવામાં આવ્યાં બાદ કોઈ પણ ભારતીય હવે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી કરી શકે છે. જો કે, જમ્મુ-કાશ્મીરમાંથી 370 દૂર થયાં બાદ બે વર્ષના સમયગાળામાં બે વ્યક્તિઓએ જમીનની ખરીદી કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાંથી કેન્દ્ર સરકારે આર્ટીકલ 370 દૂર કરવામાં આવી છે. તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ […]

કેન્દ્રના ભારતમાલા પ્રોજેક્ટમાં જમીનનું પુરતુ વળતર ન મળતા બનાસકાંઠાના ખેડુતોનો વિરોધ

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના થરાદ ,સૂઇગામ અને વાવમાંથી પસાર થતાં કેન્દ્ર સરકારના ડ્રિમ પ્રોજેકટ ભારતમાલાનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે ખેડૂતોની વ્હારે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યોએ આવીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ચીમકી ઉચ્ચારી હતી કે, ખેડૂતોને યોગ્ય વળતર નહિ મળે તો અમે ભારતમાલાનું કામકાજ બંધ કરાવીને હાઇકોર્ટેમાં જઈશું. ભારત સરકારનો ડ્રિમ પ્રોજેકટ ભારતમાલા બનાસકાંઠાના સરહદી […]

અમદાવાદ આસપાસની જમીનો લીઝ કે ભાડે આપી શકાશે નહીં, સરકાર કર્યો નિર્ણય

અમદાવાદઃ શહેરને સ્પોટર્સ સિટી બનાવવા માટે રાજ્ય સરકારના ઇશારે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળે આસપાસના ગામડાની જમીનો અનામત કરી દીધી છે. હવે આ જમીનો કોઇપણ વ્યકિત કે સંસ્થાને વેચી શકાશે નહીં. ભાડે આપી શકાશે નહીં કે લીઝ પર આપી શકાશે નહીં. જે જમીનો અનામત કરવામાં આવી છે તેમાં ચાંદખેડા, મોટેરા, ઝૂંડાલ, ભાટ, કોટેશ્વર, સુઘડ અને કોબા […]

કચ્છના અબડાસા પંથકમાં એક લાખ એકર જમીનમાં કપાસનું વાવેતર

ભૂજ :  અબડાસાના પિયત ક્ષેત્ર (બોર આધારિત)ના ગામોની ખેતીલાયક જમીન પર ખેડૂતોએ ખરીફ પાક કપાસ પર પસંદગી ઉતારી છે. બોર આધારિત ખેતીવાળાં 32થી 35 ગામોમાં કપાસનું વાવેતર શરૂ કરાયું છે. અબડાસા કપાસની ખેતી માટે જાણીતું છે. આ વાવેતર માટે જમીન, પાણી અને વાતાવરણ અનુકૂળ હોય અહીં લાંબા તારવાળા `રૂ’નું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે પણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાઈવે માટે સંપાદન કરાયેલી જમીનનું વળતર ખેડૂતોને હજુ મળ્યુ નથી

વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ દેશભરના લોકોને થઈ રહ્યું છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવામાં કોઈ અગવડ ન પડે તે માટે  સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે.રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે  જગતનો તાત […]

કચ્છમાં લૂપ્ત થતાં ઘોરાડ પક્ષીને બચાવવા વીજ લાઈનો જમીનમાં બીછાવવા સુપ્રીમનો આદેશ

ભુજ :  કચ્છમાં ઘોરાડની વસતી વર્ષ 2013થી 2021 દરમિયાન તીવ્ર ગતિએ ઘટી જવા પામી છે.  વર્ષ 2014થી 2018 દરમિયાન બે ઘોરાડ પક્ષી વીજતારો સાથે અથડાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે  નર ઘોરાડ પક્ષીની લાંબા સમયથી ગેરહાજરી પણ ચિંતાનો વિષય બની ગયો છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે 18 ઘોરાડ પક્ષી વીજતારોથી ટકરાઇને મૃત્યુ પામતાં […]

હનુમાનજીના મંદિર માટે મુસ્લિમ વેપારીએ પુરી પાડી જમીન

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લુરૂમાં એક મુસ્લિમ વેપારીએ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પુરુ પાડ્યું છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજી મંદિરનો વિસ્તાર વધારવા માટે એક પોતાની લગભગ રૂ. એક કરોડની 1634 સ્કેવર ફૂટ જમીન દાન કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લુરૂ નજીક આવેલા હનુમાનજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવતા હતા. જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code