1. Home
  2. Tag "mosque"

સબરીમાલા યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓએ મસ્જિદમાં ન જવું જોઈએ, ભાજપના ધારાસભ્યની અપીલ

સબરીમાલા મંદિરને લઈને ભાજપના ધારાસભ્ય રાજા સિંહ દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈને તેલંગાણામાં વિવાદ થયો છે. તેમણે કેરળના સબરીમાલા મંદિરની મુલાકાત લેતા અયપ્પા ભક્તોને તેમની યાત્રા દરમિયાન કોઈપણ મસ્જિદમાં ન જવાની અપીલ કરી હતી. રાજા સિંહે શુક્રવારે હૈદરાબાદમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભક્તોએ અયપ્પા દીક્ષાના નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ. તેણે કહ્યું કે જો તેઓ […]

ઓમાનમાં મસ્જિદમાં ગોળીબારની ઘટનામાં એક ભારતીય સહિત છના મોત

મસ્કતઃ ઓમાનની રાજધાની મસ્કતમાં શિયા મસ્જિદ પાસે ઈસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં માર્યા ગયેલા છ લોકોમાં એક ભારતીય નાગરિકનો પણ સમાવેશ થાય છે. રાત્રે ઇમામ અલી મસ્જિદ પાસે થયેલા ગોળીબારમાં એક પોલીસ કર્મચારી અને ચાર પાકિસ્તાની નાગરિકોએ પણ જીવ ગુમાવ્યો હતો જ્યારે 28 અન્ય ઘાયલ થયા હતા. મસ્કતમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા […]

રમઝાન પહેલા સાઉદી અરેબિયાએ જાહેર કર્યો નિયમ, હવે મસ્જિદોની અંદર આ કામની મનાઈ

નવી દિલ્હી: રમઝાનથી પહેલા ઈસ્લામના બે પવિત્ર શહેરો મક્કા અને મદીનાના દેશ સાઉદી અરેબિયાએ ઈફ્તારને લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક દેશે મસ્જિદોની અંદર ઈફ્તાર પ્રતિબંધ લગાવી દીધો છે. રમઝાન ઈસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો હોય છે, તેને ઈસ્લામનો સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે. આ વર્ષ રમઝાન 10 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, જે […]

આવતા વર્ષે મેથી અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ થશે શરૂ,નિર્માણ માટે વિશ્વભરમાંથી દાન એકત્ર કરવામાં આવશે

લખનઉ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ તેજ ગતિએ ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન રામ લલ્લાની પ્રતિમાનું પણ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન હવે ધન્નીપુરમાં મસ્જિદના નિર્માણના અહેવાલો છે. એવું માનવામાં આવે છે કે મસ્જિદનું નિર્માણ કાર્ય આવતા વર્ષે મે સુધીમાં શરૂ થઈ જશે.અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે સાઉદી અરેબિયાની મસ્જિદ-એ-હરમના […]

હમાસ મસ્જિદનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરતું હોવાનો ઈઝરાયલનો દાવો, વીડિયો કર્યો જાહેર

નવી દિલ્હીઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. દરમિયાન બંધનનો મુક્ત કરવા મામલે ઈઝરાયલ દ્વારા ચાર દિવસ યુદ્ધ વિરામનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ઈઝરાયલ દ્વારા હમાસના કૃત્યોને લઈને વધુ એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં હમાસના આતંકવાદીઓ મસ્જિદ જેવા ધાર્મિક સ્થળનો આતંકવાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરવામાં આવતા હોવાનો દાવો કર્યો હતો. […]

ચીનઃ મસ્જિદ તોડવાની હિલચાલથી પોલીસ-મુસ્લિમો આમનેસામને, ઈસ્લામિક દેશો પર લોકોની નજર

નવી દિલ્હીઃ ભારતમાં લઘુમતી સમુદાય સાથે કોઈ પણ અણબનાવ બને ત્યારે પાકિસ્તાન અને તૂર્કી સહિતના ઈસ્લામિક દેશો કાગારોડ મચાવવાનું શરૂ કરી દે છે. પરંતુ ચીનમાં લઘુમતી એટલે કે મુસ્લિમો ઉપર ખુલ્લેઆમ અત્યાચાર થાય છે પરંતુ કોઈ પણ ઈસ્લામિક દેશ બોલવાની હિંમત કરતું નથી. વર્ષોથી ચીનમાં ઉઈગર મુસ્લિમો ઉપર અત્યાચાર ગુજાવવામાં આવે છે. હવે ચીનમાં વહીવટી […]

પેશાવરમાં મસ્જિદમાં હુમલા બાદ આતંકવાદીઓએ નિશાન બનાવ્યું પોલીસ સ્ટેશન

નવી દિલ્હીઃ પાકિસ્તાનની મુશ્કેલી ખતમ થવાનું નામ નથી લઈ રહી. એક તરફ આર્થિક સંકટ અને બીજી તરફ આતંકવાદે દેશની કમર તોડી નાખી છે. પેશાવરની મસ્જિદમાં થયેલા વિસ્ફોટમાંથી દેશ હજુ બહાર આવ્યો ન હોતો કે બીજો આતંકવાદી હુમલો થયો છે આ વખતે આતંકવાદીઓએ પોલીસ સ્ટેશનને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મિયાંવાલી જિલ્લાના એક પોલીસ સ્ટેશન […]

પેશાવરની મસ્જિદમાં TTPએ આતંકવાદી ઉમર ખાલીદના મોતનો બદલો લેવા કર્યો આત્મઘાતી હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પેશાવરમાં હાઈ સિક્યોરિટી ઝોન ગણાતા મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો હતો. જેમાં 90ના મોત થયાં હતા જ્યારે 60થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાં હતા. જ્યારે બોમ્બ બ્લાસ્ટ થયો ત્યારે મસ્જિદમાં મોટી સંખ્યામાં નમાઝ માટે લોકો એકત્ર થયાં હતા. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલિબાન એટલે કે ટીટીપીએ જવાબદારી લીધી હતી. આતંકવાદી સંગઠન ટીટીપીએ જણાવ્યું હતું કે, […]

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં મોટો વિસ્ફોટ,અનેક લોકો ઘાયલ

દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર ફિદાયીને હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાં જ ફિદાયીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.આ હુમલામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો.વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.સ્થાનિક લોકો ઘટનાસ્થળે […]

અફઘાનિસ્તાનની મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ,અત્યાર સુધીમાં 14 લોકોના મોત 

હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ અત્યાર સુધીમાં 14 લોકોના મોત મસ્જિદના ઈમામ અને મૌલવીના મૃત્યુના અહેવાલ દિલ્હી:તાલિબાનના કબજા બાદથી અફઘાનિસ્તાન સતત બોમ્બ વિસ્ફોટોની ઝપેટમાં આવી રહ્યું છે. દેશમાં ફરી એકવાર વિસ્ફોટની ઘટના સામે આવી છે. હેરાત પ્રાંતમાં ગુજરગાહ મસ્જિદમાં મોટો બોમ્બ વિસ્ફોટ થયો છે, જેમાં મસ્જિદના ઈમામ માર્યા ગયા છે. અહેવાલ મુજબ,આ વિસ્ફોટમાં મસ્જિદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code