1. Home
  2. Tag "NORTH GUJARAT"

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયાં

અમદાવાદઃ ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આજે સવારથી જ આકાશ વાદળછાયું રહ્યું હતું. દરમિયાન ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદને પગલે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. અમદાવાદમાં સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. દરમિયાન બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. […]

અંબાજી ખાતે “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો શુભારંભ

અમદાવાદઃ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12 થી 16 મી ફેબ્રુઆરી સુધી “શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નું ભવ્ય આયોજન કરાયું છે. બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આજથી શરૂ થયેલ “શ્રી 51 […]

ઉત્તર ગુજરાતઃ શિયાળાની ઠંડીમાં વિવિધ કઠોળ અને દાળથી બનતી રગડ લોકોની પ્રથમ પસંદ બની

શિયાળો આવતા જ આપણા ખાવાના વ્યંજનોમાં પણ ફેરફાર આવી જાય છે. શિયાળો એટલે શરીરમાં બાર મહિનાની શક્તિ સંગ્રહ કરવાની ખાસ ઋતુ છે. જેમાં સ્વાસ્થ્ય વર્ધક જુદા જુદા વસાણા ખાવામાં આવે છે. ઉત્તર ગુજરાત અને એમાંય મહેસાણા જિલ્લામાં એક ખાસ વાનગી ખુબ પ્રચલિત છે. રગડના નામે ઓળખાતી આ વાનગીને લીલા શાકભાજી અને અનેક પ્રકારના કઠોળ, દાળના […]

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી વધી, નલિયા સૌથી ઠંડુ નગર

અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઘુતમ તાપમાનમાં સરેરાશ એકથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થયો છે. કચ્છ જિલ્લાનું નલિયા 8.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. તો, રાજકોટ અને બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો ઘટાડો થતા આજે વહેલી સવારે કડકડતી ઠંડીનો […]

ઉત્તર ગુજરાતમાં બટાટાના વાવેતરનો પ્રારંભ, ચાલુ વર્ષે ઉત્પાદન વધવાની ખેડૂતોને આશા

અમદાવાદઃ દિવાળી વેકેશન બાદ લાભ મૂહૂર્તમાં રોજગાર ધંધા શરૂ થઇ ચૂક્યા છે. અરવલ્લી જિલ્લામાં બટાટાનું વાવેતર શરૂ થઇ ગયું છે. 14 નવેમ્બરથી 30 નવેમ્બરનો સમયગાળો બટાટાના વાવેતર માટે અનુકુળ માનવામાં આવે છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પણ બટાટાના વાવેતરની શુભ શરૂઆત કરી દીધી છે. સમગ્ર ભારતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બટાટા પ્રોસેસિંગ એટલે કે, ચિપ્સ […]

ઉત્તર ગુજરાતમાં વાદળછાંયુ વાતાવરણ, કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટણાથી ખેડૂતો ચિંતિત

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં વાદળછાયાં વાતાવરણ સાથે પાટણના સિદ્ધપુર અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદના છાંટણા પડતા ખેડુતો ચિંતિત બન્યા છે. હાલ ખરીફ પાકની સિઝન ચાલી રહી છે. અને ખેડુતોએ પકવેલો પાક હાલ ખળામાં છે. ત્યારે વરસાદી વાતાવરણને લીધે ખેડુતોમાં ચિંતા પેઠી છે. ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લીધી છે. પરંતુ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ગુજરાતના કેટલાક […]

ઉત્તર ગુજરાતના ડીસા સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદથી બાજરીનો પાક ધોવાયો

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં સારોએવો વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થયાની ફરિયાદો ઊઠી છે. જેમાં ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં આઠ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક જગ્યાએ ખેતીપાકને વ્યાપક નુકસાન થયું હતુ. અંદાજિત 10થી વધુ ગામડામાં બાજરીનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.  આ ઉપરાંત ઊંઝાના આજુબાજુ વિસ્તારમાં વરસાદ થવાથી ખેડૂતોને […]

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, તલોદ, બાયડ 8 ઈંચ, દાંતીવાડા ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડાયું

અમદાવાદઃ  ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોસ સર્જાયો છે. રવિવારે દિવસ દરમિયાન સાબરકાંઠાના તલોદ, અરવલ્લીના બાયડ અને ધનસુરા 8 ઈંચ વરસાદ તેમજ સાબરકાંઠાના પ્રાતિજમાં 7 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 5 ઈંચ, તથા બેથી ચાર ઈંચ સરેરાશ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. દાંતીવાડા ડેમના 4 દરવાજા ખોલીને ડેમમાંથી 10,659 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું […]

ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની ધમકેદાર એન્ટ્રીબાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો હતો, એટલું જ નહીં સપ્ટેમ્બર મહિનામાં પણ કેટલાક શહેરો-નગરોમાં હળવો વરસાદ વરસ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ રાજ્યમાં કેટલાક શહેરો-નગરોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેથી ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. રાજ્યમાં 24 કલાકમાં 43 તાલુકામાં વરસાદી માહોલ […]

નર્મદા મુખ્ય નહેરની માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઈ યોજનાનો 18 ગામના ખેડૂતોને લાભ મળશે

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માતપુર-બ્રાહ્મણવાડા ઉદવહન સિંચાઇ યોજનાનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે વિકાસની રાજનીતિ દ્વારા આયોજનબધ્ધ આગળ વધવાનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતે પુરૂ પાડ્યું છે,  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે વિકસિત ગુજરાતના નિર્માણ થકી વિકસિત ભારતના નિર્માણ માટે  સૌને પ્રતિબધ્ધ બનવા આહવાન કરી જણાવ્યું હતું કે સરકાર હંમેશાં ખેડૂતોની સાથે રહી છે અને તેમની  સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code