1. Home
  2. Tag "pavagadh"

પાવાગઢમાં હવે મંદિર સુધી રોપ-વે લંબાવવાની સરકારે આપી મંજુરી, દર્શનાર્થીઓને મળશે લાભ

વડોદરા : પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે. અને ડુંગર પર દુધિયા તળાવ સુધી રોપ-વેની સુવિધા છે. અને ત્યાંથી પગથિયા ચડીને નિજ મંદિર સુધી જવું પડે છે. આથી બિમાર કે અશક્ત, વૃદ્ધ યાત્રિકોને મુશ્કેલી પડતી હતી. હવે યાત્રિકોની મુશ્કેલી મહિનાઓમાં દુર થઈ જશે. કારણે કે, સરકારે નીજ મંદિર સુધી રોપ-વેને […]

પાવાગઢમાં દિવાળીના પર્વ નિમિત્તે દર્શનના સમયમાં ફેરફાર કરાયો

મંદિર સવારે 5 વાગે ભક્તો માટે દર્શનાર્થે ખોલાશે સાંજના 7.30 કલાક સુધી ભક્તો દર્શન કરી શકશે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ કરાયું વિશેષ આયોજન અમદાવાદઃ દિવાળીના પર્વનો પ્રારંભ થઈ ગયો છે અને મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો તહેવારોની ઉજવણી કરવા માટે પોતાના ગામ તરફ પરત ફરી રહ્યાં છે. દરમિયાન દિવાળીના તહેવારોમાં ધાર્મિક સ્થળો ઉપર […]

પાવાગઢ તળેટીમાં ફાયરિંગની તાલીમ પુરી કરીને પરત ફરતા SRP જવાનોની બસ પલટી જતાં 45 ઘવાયા

હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક એસઆરપી જવાનોને લઈ જતી બસ અચાનક પલટી જતાં 45 જેટલા એસઆરપીના જવાનોને ઈજાઓ થતાં હાલોલની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ હનાવની જાણ થતાં પોલીસ અને 108 અમ્બ્યુલન્સ દોડી ગયા હતા. બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ રોડ સાઈડની કોતરમાં ઉતરીને પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતની વિગતો […]

પાવાગઢમાં માચીથી ડૂંગર તરફના રોડ પર રોપવે કંપની દ્વારા કરાયેલા દબાણો દુર કરાયા

પાવાગઢઃ પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢના માચી ખાતે આવેલા ચાચર ચોકની આસપાસની સરકારી જમીન ઉપર ઉભા થયેલા વર્ષો જૂના દબાણો તોડી પાડવામાં આવ્યા બાદ માચીથી ડુંગર તરફના માર્ગ ઉપર અત્રે ઉડન ખટોલા સેવા ચલાવતી કંપની દ્વારા કરવામાં આવેલા દબાણો તોડી પાડીને હટાવી દેવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે રોપ વે સેવા કંપનીને ફાળવવામાં […]

પાવાગઢમાં ફરીથી રોપ-વે સેવા પુનઃ શરુ કરાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સરળતા રહે તે માટે રોપ-વે સેવાઓ કાર્યરત છે. જો કે, ટેકનિકલ ખામી સર્જાતા બંધ કરવામાં આવી હતી. તેમજ ગણતરીના કલાકોમાં જ સમારકામ કરીને તેને પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. પાવાગઢમાં આવેલ રોપવે ગઈ કાલે ટેકનિકલ ખામીને લીધે અને સુરક્ષાની દ્રષ્ટિએ એક દિવસ માટે બંધ કરવામાં […]

પાવાગઢમાં રોપ-વેના પિલરની ગરગડીમાંથી કેબલ ઉતરી જતાં ઉડનખટોલામાં યાત્રિકો ફસાયાં

પાવાગઢઃ યાત્રાધામ પાવાગઢમાં ગુરૂવારે સાંજે  રોપવેમાં ટેક્નીકલ ખામી સર્જાતા ઘણાબધા યાત્રિકો ઉડનખટોલામાં અધવચ્ચે જ લટકીને અટવાઈ ગયા હતા. તંત્ર અને રોપવેના ઈજનેરો દ્વારા પ્રવાસીઓને ઉડનખટોલામાંથી સહી સલામત ઉતારવાની કામગીરી હાથ ધરી હતી. 10 બોગીમાં ફસાયેલા યાત્રિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરૂવારે મોડી સાંજે રોપ-વેનાં પિલર નંબર- 4ની ગરગડીમાંથી કેબલ ઊતરી જતાં રોપ-વે […]

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા નવતર પહેલ,ડ્રોન ટેકનોલોજીથી બીજનો છંટકાવ થશે

પાવાગઢ : રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે. ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી […]

પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં કૂદરતનો અનોખો નજારો, શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ગોધરાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી […]

પાવાગઢમાં વરસાદને લીધે રેન બસેરાનો સ્લેબ તૂટી પડતા 8 યાત્રિકો દટાયા, મહિલાનુ મોત, 7ને ઈજા

વડોદરાઃ રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં  માચી ખાતે આવેલા ચાચરચોકમાં બનાવવામાં આવેલા પથ્થરના રેન બસેરાનો કેટલોક હિસ્સો એકાએક તૂટી પડતાં આઠ જેટલાં યાત્રિકો ઇજાગ્રસ્ત થયા હતા.આજે ગુરૂવારે બપોરના ટાણે ગાજવીજ સાથે વરસાદ પડતાં કેટલાક યાત્રિકો રેન બસેરા નીચે ઊભા હતા એ સમયે દુર્ઘટના સર્જાતાં 3 મહિલા, 3 પુરુષો અને બે બાળકો ઇજાગ્રસ્ત થયાં હતાં, જ્યારે એક […]

પાવાગઢમાં દર્શને આવતા વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તોને માટે રોપ-વેથી લિફ્ટની સુવિધા અપાશે

ગોધરાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો છેલ્લા એક દાયકામાં પ્વાસમ ક્ષેત્રે સારોએવો વિકાસ થયો છે. પાવાગઢ મહાકાલીના મંદિરની ભવ્ય ડિઝાઈન કર્યા બાદ વધુ એક સુવિધા ઉભી કરવાની દિશામાં નવો નિર્ણય કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝન અને દિવ્યાંગ દર્શનાર્થીઓને ધ્યાનમાં રાખીને અહીં રોપ-વેથી મંદિર સુધી પહોંચવા માટે બે લિફ્ટ બનાવવામાં આવશે. કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢના ટ્રસ્ટી વિનોદ વરીયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code