1. Home
  2. Tag "pavagadh"

પાવાગઢમાં 25 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારા પંચમહોત્સવ માટે જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

હાલોલઃ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલી ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા […]

પાવાગઢની પર્વતમાળાની કોતરો પ્રકૃતિની સફાઈ કરતા 10થી વધારે પક્ષીરાજ ગીધનો વસવાટ

અમદાવાદઃ કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની પાવાગઢના ડુંગરોમાં નાની વસાહત જોવા મળી છે. જોખમમાં આવી ગયેલી પક્ષી જગતની આ જાત એ પાવાગઢની પર્વતમાળાની કોતરોમાં બનાવેલા માળાઓમાં ઇંડાનું સેવન કરી કેટલાક બચ્ચાઓને જન્મ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મુજબ અહિં 10 પુખ્ત વયનાં ગીધ વસ્યા છે. ઇન્ડિયન વલ્ચર પ્રકારના આ ગીધ છે. વિશ્વભરમાં ગીધની 23 […]

વડાપ્રધાન યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી પગથિયાં ચડીને મહાકાલી માતાજી મંદિર દર્શને પહોંચ્યા

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના કાલિકા માતાના મંદિરના નવનિર્મિત શિખર પર ધ્વજારોહણ કર્યું હતું. વડાપ્રધાન પાવાગઢ વડાતળાવ ખાતે બનાવાયેલા હેલીપેડ ઉપર ઉતરીને સીધા જ પાવાગઢ મંદિર પરિસર જવા રવાના થયા હતા. તેઓ રોપવે દ્વારા નિયત સ્થાન સુધી પહોંચ્યા હતા, તેવા સમયે ધુમ્મસ ભર્યા વાતાવરણની સાથે વરસાદના અમી છાંટણા પણ પડી રહ્યા […]

પાવાગઢઃ મહાકાળી માતાજી મંદિરના શિખર ઉપર પાંચ સદી બાદ ધ્વજા ફરકાવાઈ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના મંદિરના શિખર ઉપર આજે પાંચ સદી બાદ અને આઝાદીના 75 વર્ષ પઢી ધ્વજા ફરકતી થઈ હતી. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. તેમજ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું હતું. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાવાગઢ ડુંગર ખાતે શ્રી કાલિકા […]

દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ પાવાગઢમાં માતાજીની પીજા-અર્ચના કરી મહાકાળી માતાજીના મંદિરમાં ધ્વજારોહણ કર્યું અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાવાગઢ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. તેમજ 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સદીઓ બાદ પાવાગઢ મંદિરના શિખર […]

પાવાગઢના મહાકાળી મંદિરની કાયાપલટ, સોનાથી મઢેલા શિખર પર ધ્વજા ચડાવશે PM મોદી

વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18મીને શનિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વડોદરાની મુલાકાત લીધા બાદ યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે. સુપ્રસિદ્ધ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ […]

યાત્રાધામ પાવાગઢમાં નીજ મંદિર સુધી ડુંગરના પથ્થરો કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરાશે

વડોદરાઃ  પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને જતાં યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે માતાજીના નીજ મંદિર સુધી પહોંચવા માટે ડુંગર કાપીને લિફ્ટની સુવિધા ઊભી કરવામાં આવશે. ઘણાબધા યાત્રિકો ડુંગર પર પગથિયા ચડીને દર્શને જઈ શક્તા નથી. રોપ-વેમાં પણ યાત્રિકોની સારી એવી ભીડ રહેતી હોય છે. આથી લિફ્ટની સુવિધા ઊભી કરવામાં […]

પાવાગઢના માચીમાં ખોદકામ દરમિયાન પૌરાણિક તોપગોળાં અને લોખંડના નાળચા મળી આવ્યા

પાવાગઢ:  રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના માચી ખાતે ખોદકામ દરમિયાન મોટી સંખ્યામાં તોપના ગોળા અને લોખંડના નાળચા મળી આવતા પુરાતત્વ વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી ગયાા હતા અને ખોદકામની કામગીરી અટકાવી સંશોધન શરૂ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ પાવાગઢ ખાતે માચીમાં હાલમાં મોટાપાયે નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન માંચીમાં ચોક બનાવવાની કામગીરી માટે ખોદકામ કરાઈ […]

નવરાત્રીઃ-આસો સુદ આઠમના દિવસે પાવાગઢ શક્તિપીઠ ખાતે શ્રદ્ધાળુઓનો ભારે જમાવડો

પાવગઢમાં આઠમના દિવસે ભક્તોની ભીડ લાખો લોકો માતાના દર્શનાર્થે આવ્યા 2 લાખ જેટલા શ્રધ્ધાળુંઓએ દર્શનનો લાભ લીઘો વડોદરાઃ- દેશમાં નવલી નવરાત્રીનો મહિલા પૂર્ણ થવાને આરે છે,ત્યારે માતાના દર્શન માટે ઠેર ઠેર મંદિરોમાં ભક્તોનો ભારે જમાવડો થઈ રહ્યો છે, ગુજરતાના સુપ્રસિદ્ધ યાત્રાઘામ અવા પાવગઠ શક્તિપીઠ ખાતે લાખો શ્રદ્ધાળુંઓએ હાજરી આપી માતાના દર્શન કરવાનો લ્હાવો લીધો છે, […]

નવરાત્રી દરમિયાન પાવાગઢમાં તળેટીથી માચી સુધી ખાનગી વાહનો લઈ જવા પર પ્રતિબંધ

વડોદરાઃ નવરાત્રીનું પર્વ એટલે માતાજીની આરાધનાનું પર્વ, નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર અને પાવાગઢમાં મહાકાળીના મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળતી હોય છે. કોરોના કાળ બાદ પ્રથમ વખત ભક્તો નવરાત્રિ દરમિયાન પાવાગઢમાં મા મહાકાળીના દર્શન કરી શકશે. કોરોના મહામારી બાદ આ વર્ષ પાવાગઢની મહાકાળીના દર્શન કરી શકાશે. આવતીકાલ ગુરૂવારથી શરૂ થતી નવરાત્રિમાં પાવાગઢ જનારા યાત્રાળુઓ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code