1. Home
  2. Tag "qatar"

ઈઝરાયલના પીએમ નેતન્યાહૂએ ન્યૂઝ ચેનલ અલ ઝઝીરાને ગણાવી આતંકી, દેશમાં લગાવ્યો પ્રતિબંધ

તેલ અવીવ: ઈઝારયાલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અલઝઝીરાના પ્રસારણ પર ઈઝરાયલમાં રોક લગાવી દીધી છે. નેતન્યાહૂએ અલ ઝઝીરાને આતંકી ચેનલ ગણાવી છે. સોમવારે ઈઝરાયલની સંસદમાં એક કાયદો પારીત કરીને અલ ઝઝીરાને પ્રતિબંધિત કરવામાં આવી. અલ ઝઝીરા પર ઈઝરાયલની સંસદમાં ગંભીર આરોપો લાગ્યા છે. ઈઝરાયલના પીએમએ કહ્યુ છે કે અલ ઝઝીરાથી દેશની સુરક્ષાને ખતરો છે. 7 ઓક્ટોબરે […]

PM નરેન્દ્ર મોદી દોહા પહોંચ્યાં, કતારના પ્રધાનમંત્રીને મળ્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએઈના બે દિવસના પ્રવાસ બાદ આજે તેઓ કતાર પહોંચ્યાં હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કતારના દોહા ખાતે તેમની પ્રથમ કાર્યક્રમમાં કતારના પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી મહામહિમ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીને મળ્યા હતા. બંને નેતાઓએ વેપાર, રોકાણ, ઉર્જા, નાણા અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વિસ્તારવા અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. તેઓએ […]

ભારત અને કતાર ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુએઈ અને કતારની મુલાકાત પહેલા પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, હું 13-14 ફેબ્રુઆરી દરમિયાન સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે અને 14-15 ફેબ્રુઆરી દરમિયાન કતારની યાત્રા કરી રહ્યો છું. યુએઈની આ મારી સાતમી અને 2014 પછી કતારની બીજી મુલાકાત હશે. છેલ્લા નવ વર્ષોમાં UAE સાથે વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, […]

PM મોદીના હસ્તક્ષેપથી જ ફરી ભારત આવવાનું શક્ય બન્યું, કતરથી પરત ફરેલા જવાનોએ વ્યક્ત કરી ખુશી

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા સાત ભારતીય નાગરિકો નવી દિલ્હી પહોંચી ગયા છે. ભારત પહોંચેલા નાગરિકોનું કહેવું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ વિના તેમના માટે ભારત પરત આવવું અશક્ય હતું. મોડી રાત્રે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે કતાર દ્વારા તમામ આઠ નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. જોકે, અત્યાર સુધીમાં માત્ર સાત ભારતીયો […]

કતરની જેલમાં બંધ ભારતના આઠ પૂર્વ જવાનોની મુક્તિ, સાત જવાન સ્વદેશ પરત ફર્યાં

નવી દિલ્હીઃ કતારમાં જાસૂસીના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા ભારતના આઠ પૂર્વ નૌવ સૈનિકોને છોડવમાં આવ્યા છે. જેમાંથી સાત ભારતમાં પરત ફર્યા છે. વિદેશ મંત્રાલય આ બાબતે પૃષ્ઠી કરતા કહ્યું છે કે, ભારત સરકાર કતારમાં સજા ભોગવી રહેલા ભારતના પૂર્વ સૈનિકોને ભારત પરત ફરવા પર સ્વાગત કરે છે. ભારત સરકારના પ્રયાસોથી આ નૌ સૈનિકોની ઘર વાપસી […]

કતારમાં ભારતના આઠ ભૂતપૂર્વ મરીનને મૃત્યુદંડની સજા રોકી દેવામાં આવી

નવી દિલ્હીઃ કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા પર રોક લગાવી દીધી છે, એમ વિદેશ મંત્રાલયે માહિતી આપી છે. મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કતારની અપીલ કોર્ટના આજના નિર્ણયને ધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમાં સજામાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં કતારની […]

કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 પૂર્વ જવાનોને ભારતીય રાજદૂત મળ્યા

નવી દિલ્હીઃ કતારમાં મૃત્યુદંડની સજા પામેલા 8 ભૂતપૂર્વ મરીનના મુદ્દે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકાર સમગ્ર મામલા ઉપર નજર રાખી રહ્યું છે. ભારતીય રાજદૂત તમામ 8 પૂર્વ જવાનોને મળ્યા છે. બીજી તરફ મોતની સજાના આદેશ સામે અપીલ બાદ આ મામલે કોર્ટમાં અત્યાર સુધીમાં બે સુનાવણી થઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું […]

હમાસનું વાર્ષિક બજેટ 1.5 બિલિયન પાઉન્ડ, ઈરાન અને કતર કરે છે આર્થિક મદદ

નવી દિલ્હીઃ હમાસ-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે હમાસના ફંડીંગને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો હતો કે હમાસે ગાઝામાં અનેક ઠેકાણાઓ બનાવ્યા છે અને તેમના નેતાઓ તેમને વિદેશથી ફંડિંગ મોકલી રહ્યા છે. ઈઝરાયેલે દાવો કર્યો હતો કે ઈંધણની અછત વચ્ચે હમાસ પાસે 5 લાખ લીટર ઈંધણ છે, પરંતુ તેઓ તે લોકોને આપી રહ્યાં […]

આતંકીઓનું સંરક્ષક કતાર અને ભારત પર વધતા પ્રહારો

(સ્પર્શ હાર્દિક) નૂપુર શર્માને વિવાદોમાં ઘેરીને એમને પરેશાન કરવાની ઘટના હજુ ઘણાંનાં મન પર તાજી હશે. આ ઘટનાથી મિડલ-ઇસ્ટના જે દેશો પોતાના કટ્ટર વલણને કારણે લોકોની નજરે ચડેલા એમાંનો એક દેશ હતો કતાર (અથવા ક઼તર). આ જ કતાર ફરી ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પછી ચર્ચામાં આવે છે. ગાઝા પટ્ટીનાં લોકોનાં મનમાં ઝેર ભરીને એમને […]

કતારમાં ભારતના 8 પૂર્વ નૌસૈનિકોને ફાંસીની સજા, જાસૂસીનો લાગ્યો હતો આરોપ

દોહાઃ  કતારની એક અદાલતે  એક વર્ષથી વધુ સમયથી પોતાની કસ્ટડીમાં રાખેલા 8 પૂર્વ ભારતીય નૌસેનાના કર્મચારીઓને મોતની સજા સંભળાવી છે. ભારત સરકારે મૃત્યુદંડ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે. મુખ્ય ભારતીય યુદ્ધ વોરની કમાન સંભાળનાર સન્માનિત અધિકારીઓ સહિત આઠ લોકો, ડહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલટન્સી સર્વિસિઝ માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code