1. Home
  2. Tag "rainfall"

ઘટાટોપ વાદળો અને વીજળીની ગર્જના સાથે ચોમાસું જામ્યું, જાંબુઘોડામાં 6 ઈંચ, બોડેલીમાં 5 ઈંચ,

અમદાવાદઃ રાજ્યમાં હવામાનમાં ઉકળાટ સાથે ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. વીજળીની ગર્જના પણ થઈ રહી છે. ત્યારે વરસાદ તૂટી પડશે એવો માહોલ સર્જાયો છે. આજે મંગળવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 104 તાલુકામાં ઝાપટાંથી લઈને6 ઈંચ વસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના જાંબુઘોડામાં 6 ઈંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 5 ઈંચ, અને જેતપુરપાવીમાં ચાર ઈંચ વરસાદ પડ્યો […]

હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ, 21મી સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં ભાદરવાને ભરપૂર બનાવવા મેઘરાજા સમયાંતરે વરસી રહ્યા છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયેલા છે. ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 24.64 ઈંચ સાથે મોસમનો સરેરાશ 74.51 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની […]

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિથી કપાસના પાકમાં 20 ટકા જેટલી મોટી નુક્સાનીનો અંદાજ

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને લીધે ખેડુતો ચિંતિત બન્યા હતા ત્યાંજ મેઘરાજાએ વધુ હેત ઊભરાવીને ખેડુતોની ચિંતા વધારી દીધી છે. કારણકે રાજકોટ, જામનગર અને જૂનાગઢ પંથકમાં થયેલા ભારે વરસાદથી ખરીફ પાકોમાં અને ખેતીની જમીનમાં વ્યાપક નુક્સાન થઇ ચૂક્યું છે. કપાસમાં અને ઠેકઠેકાણે તલ, મગ અને અડદ જેવા ટૂંકાગાળાના પાકમાં બગાડ થયો હોવાનો પ્રાથમિક અંદાજ છે. […]

ગુજરાતમાં હવે ક્યારે વરસાદ પડશે ? શું કહે છે, હવામાન વિભાગ

અમદાવાદઃ  ગુજરાતમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ ભાદરવાને ભરપુર બનાવવા મેધરાજાના પુનઃરાગમનથી ખેડુતો ખૂશખૂશાલ બન્યા છે. રાજ્યમાં મોસમનો સરેરાશ 71.63 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે […]

ગુજરાતમાં હજુ ચાર દિવસ ભારે વરસાદની આગાહી, મંગળવારે પણ 70થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો

અમદાવાદઃ રાજ્યમાં મંગળવારે સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે આજે પણ બપોરના 12 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માગરોળમાં 6 ઈંચ, કેશોદ અને માળિયામાં 4 ઈંચ, વંથલીમાં ત્રણ ઈંચ, આ ઉપરાંત જુનાગઢ શહેર, કોટડાસાગણી, ગોંડલ, સુરતના બારડોલી નવસારીના ગણદેવી સહિત 70 તાલુકામાં વરસાદ પડ્યો હતો. […]

ગાંધીનગર જિલ્લામાં સીઝનનો 51.99 ટકા વરસાદ પડ્યો, સૌથી વધુ કલોલ તાલુકામાં 66.89 ટકા વરસાદ વરસ્યો

ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગાંધીનગરનાં દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 51.99 ટકા વરસાદ નોંધાયો છે. જે પૈકી જિલ્લાના કલોલ તાલુકામાં સૌથી વધુ 66.89 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ સૌથી ઓછો ગાંધીનગરમાં 39.44 ટકા વરસાદ નોંધાયો છે. પાટનગર ગાંધીનગર શહેર […]

ભલે.. અષાઢ અને શ્રાવણ પૂર્ણ થયો, હજુ વરસાદના યોગ છેઃ ભાદરવો ભરપૂર બનવાની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં હજુ પણ મેઘરાજા મનમુકીને વરસતા નથી, વરસાદ માટે મુખ્ય ગણાતા બે મહિના અષાઢ અને શ્રાવણ મહિનો પૂર્ણ થવા છતાં વરસાદની ઘટ પુરી થઈ શકી નથી. ત્યારે  આજથી 3 દિવસ સારા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થશે તેવી શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત છે. હવામાન વિભાગે […]

શા માટે પડે છે વીજળી? જાણો વીજળી પડવા પાછળનું કારણ

મેઘ મહેર દરમિયાન વીજળી પણ પડે છે વીજળી સાથે ગર્જના પણ થાય છે જાણો શા માટે આ વીજળી પડે છે નવી દિલ્હી: કુદરતની માયા તો અપરંપાર છે. મેઘ જ્યારે વરસે છે ત્યારે તેની સાથો સાથ ક્યારેક ગર્જના સાથે વીજળી પણ ચમકવાની કે પડવાની ઘટના બનતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે વીજળી શા […]

મેઘરાજાની પુનઃ પધરાણી, વલસાડના ઉંમરગામમાં 6 કલાકમાં 10 ઈંચ, 56 તાલુકામાં વરસાદના ઝાંપટા

અમદાવાદઃ  ગુજરાતમાં વરસાદ ખેંચાતા સરકાર પણ ચિંતિત બની હતી. પણ જન્માષ્ટમીના દિનથી મેધરાજાથી પુનઃ પધરાણી થઈ છે. ખેડુતો સાથે સરકારને પણ રાહત થઈ છે. આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં 56 તાલુકામાં ઝાંપટાથી લઈને 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં વલસાડના ઉંમરગામમાં 10 ઈંચ, વાપીમાં 4 ઈંચ, કપરાડામાં બે ઈંચ, પારડી, […]

ગુજરાતમાં સોમવારથી બુધવાર સુધીમાં મેઘરાજાનું પુનઃરાગમન થશેઃ હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા વિશમ સ્થિતિ ઊભી થવાના એંધાણ વર્તાય રહ્યા છે. ત્યારે સામવારથી બુધવાર સુધીમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે કેટલાક હવામાન નિષ્ણાતો તો એવું કહી રહ્યા છે, કે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. અને ભાદરવો મહિનો પણ ભરપુર રહેશે. આથી હવે ગુજરાતમાં સારા વરસાદની આશા ખેડુતો રાખી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code