1. Home
  2. Tag "saurashtra"

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. દરમિયાન દ્વારકામાં ગણતરીના કલાકોમાં જ નવ ઈંચ જેટલો વરસાદ વરસતા ઠેર-ઠેર પાણી ભરાયાં છે. હવામાન વિભાગે સુરતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલઃ ઉમરગામમાં 12 અને વાપીમાં 10.5 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગને કારણે અનેક વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે.  24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 14 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વલસાડના ઉમરગામમાં 12 ઈંચ અને વાપીમાં સાડા 10 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ-રસ્તા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદને કારણે નદી-નાળા […]

બિપરજોય વાવાઝોડાના સંકટને પગલે સૌરાષ્ટ્રના વિવિધ એરપોર્ટ બંધ કરાયાં

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ હાલ જખૌથી 80 કિમી દૂર છે. આ વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન ફુંકાતો હોવાથી અનેક સ્થળો ઉપર વૃક્ષો ધરાશાયી થવાના તથા કાચા મકાન તુટી પડવાની ઘટનાઓ સામે આવી છે. દરમિયાન વાવાઝોડાની શકયતાને પગલે […]

રાજ્યના 115 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ, વાવાઝોડા બાદ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાની અસરને પગલે સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરો-નગરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, આ ઉપરાંત અમદાવાદ સહિતના શહેરો-નગરોમાં પણ તેની અસર જોવા મળી રહી છે અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. દરમિયાન રાજ્યમાં 24 કલાક દરમિયાન 115 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો હતો. એટલું જ નહીં વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે […]

વાવાઝોડાની અસરઃ સૌરાષ્ટ્રના 17 તાલુકામાં ધોધમાર વરસાદ, વેરાવળમાં દસ ઈંચ જેટલો વરસાદ

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બીજી તરફ વાવાઝોડાની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દરમિયાન સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસરના પગલે 17 જેટલા તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠા નજીક વસવાટ કરતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે અત્યાર […]

બિપરજોય વાવાઝોડુઃ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અપાયું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ બિપરજોય વાવાઝોડુ ધીમે-ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે રાજ્ય સરકારે દરિયાકાંઠા વિસ્તારોને સાબદા રહેવા તાકીદ કરી છે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓને કચેરી નહીં છોડવા આદેશ આપવાની સાથે રાજ્ય સરકારના મંત્રીઓને દરિયાકાંઠા વિસ્તારની વ્યવસ્થાપનની જવાબદારી સોંપી છે. દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટ એરિયામા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. વહીવટી […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં તા. 9થી 11 જૂન સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ ચોમાસુ સિઝનમાં સંભવિત કુદરતી આપત્તિ સામે પહોંચી વળવા રાજ્ય વહીવટી તંત્ર સજ્જ છે,તેમ SEOC, ગાંધીનગર ખાતે વિવિધ વિભાગો અને સુરક્ષા દળો સાથે વેધર વોચ ગ્રુપની પ્રથમ સમીક્ષા બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડે જણાવ્યું હતું. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ અને એસડીઆરએફની 26 જેટલી ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો-પ્રેશર […]

વાવાઝોડાનું સંકટઃ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડુ ટકરાવવાની શકયતા

અમદાવાદઃ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને રાજ્ય ઉપર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે. આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ટકરાશે, તેમજ દરિયો તોફાની બનવાની સાથે 60થી 90 કિમીની ઝડપે પવન ફુંકાશે. બે વર્ષ ગાઉ તાઉતે વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું હતું. રાજ્ય ઉપર ફરી એકવાર વાવાઝોડાનુ સંકટ તોડાઈ રહ્યું છે જેથી વહીવટી તંત્રને […]

સૌરાષ્ટ્રમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે, છૂટાછવાયાં વિસ્તારોમાં ઝાપટાં પડશે

રાજકોટઃ ચોમાસાના વિધિવત આગમનને હજુ 20 દિવસનો સમય બાકી છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મેઘરાજાની વહેલા પઘરામણી થઈ ગઈ છે. રવિવારે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજુ ચાર દિવસ છૂટા છવાયાં વિસ્તારોમાં વરસાદના ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સોમવારે દરિયાકાઠાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code