1. Home
  2. Tag "sea"

સિરક્રીકના સમુદ્રમાં બીએસએફ અને પાક. મરીનની બોટ નજીક આવી જતાં ચકમક ઝરી

ભુજ :  કચ્છની ભારે સંવેદનશીલ સિરક્રીક સરહદે ભારતીય સીમા સુરક્ષા દળ અને પાકિસ્તાન મરિનની ચોકિયાત નૌકાઓ પેટ્રોલિંગ સમયે સામસામે આવી જતાં થોડા સમય માટે મામલો તંગ બની ગયો હતો. આ બનાવ બન્યાને સમર્થન આપતા સીમાદળના ગુજરાત ફ્રન્ટીયરના આઇજીએ હવે સ્થિતિ સામાન્ય હોવાનું સ્પષ્ટ કર્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કચ્છના સંવેદનશીલ ગણાતી સિરક્રિક દરિયાઈ જળસીમાં પર […]

સૌરાષ્ટ્રના ઘૂંઘવાટા સમુદ્રમાં 20 તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ તરીને જશે

દ્વારકાઃ ગુજરાતમાં 1600 કિમી. દરિયા કિનારો આવેલો છે.જેમાં સૌરાષ્ટ્રના દરિયામાં અવાર-નવાર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રનો દરિયો તોફાની ગણાય છે. અને ઘૂંઘવાટા સમુદ્રમાં તરવાની સ્પર્ધા સાહસિક ગણાય છે. ત્યારે  સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાથી સોમનાથ સુધી આગામી તા.20મી ફેબ્રુઆરીના રોજ નવતર સ્પર્ધા યોજાશે. જેમાં સંભવત પ્રથમ વખત જ દ્વારકાથી દરિયો તરીને 20 તરુણો અને યુવાનો […]

ગુજરાતઃ વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે સુસવાડા મારતો પવન ફુંકાયો, દરિયામાં ઉંચા મોજા ઉછળ્યાં

માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના દરિયામાં કરંટ જોવા મળ્યો અમદાવાદઃ ગુજરાતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ગઈકાલે ગાઢ ધમ્મુસની ચાદર છવાઈ હતી. દરમિયાન આજે સમગ્ર રાજ્યમાં સુસવાટા મારતો ફરવન ફુંકાયો હતો. જેથી લોકોએ ઠંડી અનુભવી હતી. બીજી તરફ દરિયામાં ઉંચા મોજા ઉછડ્યાં હતા. દરમિયાન તંત્ર દ્વારા માછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરી છે. સુત્રોના […]

પોરબંદરના દરિયામાં બે દિવસીય તરણ સ્પર્ધામાં 600 સ્પર્ધકોએ હરખભેર ભાગ લીધો

પોરબંદર :  સ્વીમિંગ સ્પર્ધા કોઈ સરોવર કે નદીમાં નહીં પણ પોરબબંદરના દરિયામાં યોજાય રહી છે. યુવાઓમાં સાહસ અને શોર્યનો સંચાર કરવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા સમુદ્ર તરણ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરના ઘુઘવાતા સમુદ્રમાં બે દિવસીય ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત […]

જાફરાબાદની લાપતા બોટસહિત 8 ખલાસીઓની ભાળ મળતા થયો હાશકારો

મિની વાવાઝોડામાં ગુમ થયેલી જાફરાબાદની બોટ મળી 8 લાપતા ખલાસી મહારાષ્ટ્ર પહોંચી ગયા માછીમારોએ રાહતનો શ્વાસ લીધો પોરબંદર: મિની વાવાઝોડમાં ગાયબ થયેલી જાફરાબાદની લાપતા બોટની ભાળ મળી છે. બે દિવસ પહેલા દરિયામાં ફૂંકાયેલા પવનથી બોટ ડૂબી હોવાની આશંકા હતી. પણ હવે બોટ મળી આવતા હાશકારો થયો છે. આ બોટમાં સવાર 8 ખલાસી સંપર્ક વિહોણા થયા હતા. […]

ઓખા નજીક દરિયામાં માછીમારોની બોટમાં આગ લાગી, કોસ્ટ ગાર્ડે 7 માછીમારોને બચાવ્યા

ભૂજઃ દિવાળીના તહેવારો દરમિયાન પણ માછીમારો દરિયો ખેડવા ઉપડી ગયા હતા. સાથે ગુજરાતની મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું . દરમિયાન મધદરિયે એક બોટમાં ભીષણ આગ લાગી હતી. મધદરિયે જ બોટમાં આગ લાગતા માછીમારો ફસાયા હતા. જેઓને કોસ્ટ ગાર્ડના જવાનોએ બચાવી લીધા હતા. કોસ્ટ ગાર્ડે 7 ભારતીય માછીમારોના જીવ […]

જેતપુરના ઉદ્યોગોના ગંદા પાણી પાઈપલાઈન મારફતે દરિયા ઠાલવાની યોજનાનો વિરોધઃ કોંગ્રેસ પદયાત્રા યોજશે

અમદાવાદઃ જેતપુરના ઉદ્યોગોનો કડદો પાઈપલાઈન મારફતે પોરબંદરના નવા બંદર નજીક દરિયામાં ઠાલવાની રાજ્યની ભાજપ સરકારની યોજના અનેક રીતે વિનાશકારી છે. આ વિનાશથી સાગરકાંઠા વિસ્તારને બચાવવા અને રાજ્યની ભાજપ સરકારને સોમનાથ મહાદેવ સદબુદ્ધી આપે તે માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના […]

દરિયાના પાણી હવે ઘોઘા ગામમાં નહીં પ્રવેશે, 10 કરોડના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવાશે

ભાવનગર :  જિલ્લાના ઘોઘાથી ગોપનાથ સુધીનો દરિયો તોફાની ગણાય છે. આથી  દરિયાના પાણી ઘોઘા ગામમાં વારંવાર ઘૂંસી જતા હોય છે.અંગ્રેજોના સમયમાં બનેલી અને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા સુનામી અને હાઈટાઇડના સમયે આ દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘુસી જતું હોવાથી આ દિવાલને ફરી બનાવવાની માંગ ઘોઘાવાસીઓ દ્વારા […]

સૌરાષ્ટ્રના દરિયામાં સર્જાયું લો પ્રેશરઃ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. આકાશમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. તેમજ હવામાં ભેજનું પ્રમામ વધતા અસહ્ય ઉકળાટને ગમે ત્યારે વરસાદ તૂટી પડશે તેમ લાગી રહ્યું છે. આજે બુધવારે સવારના 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન 16 તાલુકામાં સામાન્ય વરસાદના ઝાંપટા પડ્યા હતા. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લોપ્રેશર અને સાઈક્લોનિક સરક્યુલેશનને સિસ્ટમને […]

જામનગર નજીકનો સમુદ્ર તોફાની બનવાની શક્યતાને લીધે માછીમારોને દરિયો ખેડવા પ્રતિબંધ

જામનગરઃ  સામાન્યરીતે જુન અને જુલાઈમાં જામનગરનો દરિયો તોફાની રહેતો હોય છે. આથી દરિયો ખેડવા પર કે માછીમારી કરવા પર 1 જૂનથી 30 જુલાઈ સુધી સુરક્ષાના કારણોસર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. કારણ કે, આ સમયગાળા દરમિયાન દરિયો તોફાની બનતો હોય છે જેને કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. જેને પગલે મત્સ્યોદ્યોગ વિભાગ તથા પોર્ટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code