1. Home
  2. Tag "strike"

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પગાર વધારો કરાયા છતાં યે માનતા નથી, હડતાળ યથાવત

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો-કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનાઉકેલ માટે ઘણા દિવસથી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂપિયા 4000નો વધારો કરવાની જાહેરાત કરી હતી, અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવાની અપીલ કરી હતી. પરંતુ  આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરીને વિરોધ યથાવત રાખ્યો છે. રાજ્યના આરોગ્ય […]

રાજકોટ કલેકટર કચેરીમાં કોન્ટ્રાકટ અને ફિકસ પગારમાં નોકરી કરતા કર્મચારીઓની હડતાળ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓના આંદોલનો સરકાર માટે માથાના દુઃખાવા રૂપ બન્યા છે. સરકારી કર્મચારી યુનિયનો સાથે સમાધાન બાદ પણ કેટલાક કર્મચારીઓમાં હજુ નારાજગી છે. ત્યારે સરકારમાં કરાર આધારિત આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં કામ કરતા કર્મચારીઓ પણ સમાન કામ સમાન વેતનની માગણી કરી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કરાર આધારિત, આઉટસોસિગ અને […]

રાજકોટ જિલ્લા પંચાયત કચેરી સામે આશા વર્કરોએ પડતર પ્રશ્નો ઉકેલવા ધરણા સાથે સુત્રોચાર કર્યો

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે આશા વર્કરોએ પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજકોટમાં જિલ્લા પંચાયતની કચેરી સામે  1500 જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા. અને સરકાર પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે,’સરકાર જ મહિલાઓનું શોષણ કરી રહી છે ગુજરાત આંગણવાડી […]

સુરેન્દ્રનગર જિલ્લાના વન કર્મચારીઓ પડતર પ્રશ્નેના ઉકેલ માટે અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના વન વિભાગનાં વનપાલ, વનરક્ષક સહિતનાં કર્મચારીઓ ગ્રેડ-પે, રજા પગાર, પોલીસને આપવામાં આવેલા લાભો જેવા લાભો વન વિભાગનાં કર્મચારીઓને આપવા વિગેરે જેવી પડતર માંગણીઓના ઉકેસ માટે  અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. જિલ્લાનાં 200થી વધુ વનકર્મચારીઓ આ હડતાળમાં જોડાતા  જંગલો, ઘાંસની વીડીઓ, ઘુડખર અભ્યારણ્ય હાલમાં રેઢા થઈ ગયા છે. ત્યારે વન કર્મચારીઓનાં પ્રશ્નોનું […]

ગાંધીનગરમાં કરાર આધારિત કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ધરણાં કર્યા

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં વિવિધ કર્મચારી મંડળો સરકાર સામે મોરચો માંડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક હોય કર્મચારીઓને પણ પોતાના પડતર પ્રશ્નોનો ઉકેલ આવી જશે તેવી આશા જાગી છે. ત્યારે હવે સરકારમાં કરારા આધારિત, આઉટસોર્સથી નોકરી કરતા કર્મચારીઓએ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે ઘરણાં કર્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારની અલગ અલગ શાખામાં વર્ગ-3 અને […]

રાજ્યના તલાટી કમ મંત્રીઓ 2જી ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે,

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓ પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સરકારનું નાક દબાવી રહ્યા છે. હવે તલાટી-મંત્રીઓ પણ સરકાર સામે બાંયો ચઢાવી રહ્યા છે. જિલ્લા પંચાયત સેવાની 14 કેડરોના 19 જેટલા પ્રશ્નો વણ ઉકેલ્યા રહ્યા છે. આથી તલાટી કમ મંત્રી કર્મચારીઓની ધીરજ ખુટી પડતા તારીખ 2જી, ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. […]

ગુજરાતમાં ખાનગી ડોક્ટરોની હડતાળ:ઓપીડી,ઈમરજન્સી સહિતની સેવાઓ રહેશે બંધ

રાજકોટ:ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાજ્યભરની ખાનગી હોસ્પિટલો, લેબોરેટરી દ્વારા આજે સવારે 7  થી શનિવારે સવારે 7 સુધી હડતાળ પાડવામાં આવશે.રાજ્યભરના ૩૦ હજારથી વધુ તબીબો આ હડતાળમાં જોડાશે.આ હડતાળનું એલાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આપવામાં આવ્યું છે આઇસીયુ ફરજીયાત ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની નોટિસના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન […]

વિદેશથી ભણીને આવેલા અને ઈન્ટર્નશીપ કરતા તબીબોની 13માં દિવસે હડતાળનો આવ્યો અંત

અમદાવાદઃ  વિદેશથી MBBS કરીને આવેલા અને રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી. શહેરની બી.જે. મેડિકલ કોલેજ ખાતે સતત તેર દિવસ સુધી ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા હડતાળ કરવામાં આવી હતી. જો કે ડોક્ટર્સ દ્વારા કોઈપણ માગ પૂર્ણ થયા વિના જ ઇન્ટર્ન ડોક્ટરો કામ પર પરત ફર્યા હતા. આખરે આરોગ્ય વિભાગના ACS […]

અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ, સરકારનું ફરમાન છતાં તબીબો હોસ્ટેલ ખાલી કરતાં નથી

અમદાવાદ :  શહેરના અસારવા વિસ્તારમાં આવેલી બી.જે. મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળનો બુધવારે આઠમો દિવસ હતો. ત્યારે બી.જે. મેડિકલ કોલેજના ડીન તરફથી હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટર તેમજ ઇન્ટર્ન ડોક્ટરોને 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા ફાઈનલ નોટિસ આપી દેવાઈ હતી. જોકે, બુધવાર સાંજ સુધીમાં  એક પણ રેસિડન્ટ તબીબોએ હોસ્ટેલ ખાલી કરી નથી. બીજી તરફ 50 ટકા મહિલા […]

ગુજરાતના ST નિગમના કર્મચારીના પ્રશ્નો નહીં ઉકેલાય તો 16મી જૂનથી હડતાળની ચીમકી

અમદાવાદઃ ગુજરાતમાં એસટી નિગમના કર્મચારીઓએ પણ સરકાર સામે બાંયો ચડાવી છે. કર્મચારીઓના યુનિયનો દ્વારા પડતર પ્રશ્નો  ઉકેલવાની સરકાર સમક્ષ અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામાં આવી હતી છતાં પણ પ્રશ્નો ન ઉકેલાતા એસટીના કર્મચારીઓએ 16મી જુનથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. એટલે કે સરકાર માગણી નહીં સ્વીકારે તો 16મીથી એસટી બસના પૈડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code