1. Home
  2. Tag "university"

જૈનોને બદનામ કરવાનો એક અમેરિકી યુનિવર્સિટીનો પ્રયાસઃ જાણો શું છે મામલો?

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં નવો વિવાદ: શું વિદ્યાર્થીઓ જમવાના પૈસા બચાવવા ‘જૈન’ હોવાનો દાવો કરી રહ્યા છે? સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાઃ 3 ફેબ્રુઆરી, 2026 – An American university’s attempt to defame Jains અમેરિકામાં કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડસ્થિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હાલ જૈન સમુદાય સંદર્ભે વિવાદનું કેન્દ્ર બની છે. કેમ્પસની એક એવી વાત યુનિવર્સિટીની બહાર સુધી ફેલાઈ છે જેને કારણે વિદ્યાર્થીઓનો વિશ્વાસ, ધાર્મિક […]

આસામના પ્રતિનિધિમંડળે એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત લીધી

બનાસકાંઠા, 3 ફેબ્રુઆરી, 2026 – Banas dairy ગુજરાત વિધાનસભા અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત “Youth Immersion Programme (3rd Edition 2026)” અંતર્ગત આસામના ૨૯ સભ્યોના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી અને બોડોલેન્ડ યુનિવર્સિટીના ૨૪ વિદ્યાર્થીઓ અને પાંચ પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની જીવાદોરી સમાન બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની […]

ગુજરાતમાં યુનિવર્સિટીઓ કે કોલેજોની કેન્ટીનમાં હવે પિઝા, બર્ગર કે ફાસ્ટફુડ પીરસી શકાશે નહીં

રાજકોટઃ ગુજરાતમાં તમામ સરકારી યુનિવર્સિટીઓ તેમજ સંલગ્ન કોલેજોની કેન્ટીનમાં હવે પિઝા, બર્ગર, સમોસા, નૂડલ્સ સહિતની ફાસ્ટ ફૂડની વસ્તુઓ પીરસી શકાશે નહીં,  હાયર એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટની કેન્ટીનમાં માત્ર હેલ્ધી ફૂડ જ પીરસવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ યુનિવર્સિટીઓ અને કોલેજોની કેન્ટીનમાં પીરસવામાં આવતી ખાદ્ય વસ્તુઓ અંગે માર્ગદર્શિકા બહાર પાડી છે. એટલે હવે ફાસ્ટફુડ કે પિઝા, બર્ગર […]

ક્રાંતિકારી બિરસા મુંડાની પુણ્યતિથિઃ બિરસા મુંડાના નામથી રાજપીપળામાં કાર્યરત છે યુનિવર્સિટી

ભારત માતાને અંગ્રેજોની ઝંઝીરોમાંથી મુકત કરવા માટે હજારો ક્રાંતિવીરોએ બલિદાનો આપ્યા છે. એવા જ સ્વાતંત્ર્ય સેનાની અને આદિવાસીઓના જનનાયક, લોકનેતા એટલે બિરસામુંડા. બિરસા મુંડા તેમનો જન્મ હાલના ઝારખંડ રાજયમાં 15મી નવેમ્બર 1875માં રાંચીમાં થયો હતો. તેમની માતાનું નામ કર્મી તથા પિતાનું નામ સુગના મુંડા હતું. બિરસાએ સાલ્ગા ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. જોકે પહેલાથી જ આદિવાસી […]

સ્વનું ભલું નહિ, પણ સૃષ્ટિની ભલાઈ માટે વિચારવું એ ભારતનો સ્વભાવઃ રાજ્યપાલ

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 54મા પદવીદાન સમારોહના દિક્ષાંત પ્રવચનમાં ભારતના નવયુવાનોને અમૃત્તપુત્રો ગણાવ્યા હતા. તેમણે દેશની યુવાપેઢીનો ડંકો વિશ્વભરમાં વાગે છે એમ જણાવી યુવા છાત્રોને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી […]

તાલિબાનનો આદેશઃ અફઘાનિસ્તાનમાં વિદ્યાર્થિનીઓના યુનિ.માં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવાયો

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કેટલાક નિયમોમાં ફેરફાર થયાં છે. દરમિયાન અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારે વિદ્યાર્થિનીઓના યુનિવર્સિટીમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે. ભારતે અફઘાનિસ્તાનમાં મહિલાઓના શિક્ષણ અને માનવઅધિકારના ઉલ્લંઘન પર ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂત રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અફઘાનિસ્તાન પર ભારતનું વલણ રજૂ કર્યું હતું. […]

અફઘાનિસ્તાનમાં યુવતીઓ માટે યુનિવર્સિટીના દરવાજા બંધ,તાલિબાને મૂક્યો પ્રતિબંધ

દિલ્હી:તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ જારી કર્યો છે.જે મુજબ અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણ મંત્રીના પત્ર અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં યુવતીઓ અને મહિલાઓ માટે ચાલતી યુનિવર્સિટીઓને બંધ કરવાની જાહેરાત કરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, અફઘાન મંત્રીનું કહેવું છે કે,આ આદેશ આગળની સૂચના સુધી લાગુ છે અને તેને તાત્કાલિક અસરથી […]

ઓસ્ટ્રેલિયામાં વિદ્યાર્થીઓ હવે ભારતીય આયુર્વેદનો અભ્યાસ કરી શકશે

અમદાવાદઃ કોરોના મહામારીમાં આયુર્વેદીક ઉપચારને કારણે લોકોમાં આયુર્વેદ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે. એટલું જ નહીં વિદેશમાં પણ લોકો આર્યુવેદને અપનાવી રહ્યાં છે. દરમિયાન હવે ઓસ્ટ્રેલિયામાં પણ હવે વિદ્યાર્થીઓ આયુર્વેદનો અભ્યાસ કરી શકશે. જામનગર સ્થિત રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન એવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસેર્ચ ઈન આયુર્વેદ (આઈ.ટી.આર.એ.) ખાતે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી દ્વારા ખાસ M.O.U. […]

કેરાલાના રાજ્યપાલે કહ્યું : રાષ્ટ્રીય સહમતિના કારણે રાજ્યપાલ કુલપતિનું પદ સંભાળે છે, રાજ્ય સરકારોની ઈચ્છાથી નહીં.

કેરાલા: રાજ્યમાં કુલપતિઓની નિમણૂકનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, “યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક રાજ્ય સરકારની ઈચ્છાથી નહીં પણ રાષ્ટ્રીય સર્વસંમતિથી થઈ છે. યુનિવર્સિટીની નિમણૂકોમાં ભત્રીજાવાદને મંજૂરી આપી શકાય નહીં. જો રાજ્યના મુખ્યમંત્રીને હાલમાં આ નિમણૂક અંગે શું ચાલી રહ્યું છે, તેની માહિતી ના હોય, તો તેઓ મુખ્યમંત્રી […]

યુનિવર્સિટીઓમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી પ્રાધ્યપકોની ભરતીથી શિક્ષિત બેરોજગારોને થતો અન્યાયઃ કોંગ્રેસ

અમદાવાદ  : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજ્યની ચાર જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યાઓ કરાર આધારિત 11 માસના કોન્ટ્રાક્ટ પ્રથાથી ભરવાની તજવીજ સામે કોંગ્રેસે વિરોધ કર્યો છે. સરકારી હસ્તકની યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં 50 ટકાથી વધારે જગ્યાઓ 15 વર્ષથી ખાલી પડી છે, ત્યારે કાયમી ભરતી કરવાના બદલે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પધ્ધતિથી લાગતા વળગતાઓને ગોઠવવાની કવાયત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code