1. Home
  2. Tag "will be closed"

ચારધામઃ બદ્રીનાથ અને યમુનોત્રી ધામના કપાટ બંધ કરવાની તારીખ જાહેર થઈ

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં ચાર ધામયાત્રા હવે સમાપ્તિ તરફ આગળ વધી રહી છે, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ બંધ થવાની તારીખ જાહેર થયા બાદ હવે બદ્રીનાથ ધામના કપાટ બંધ કરવાની તારીખની જાહેરાત કરાઈ છે. બદ્રીનાથ ધામમાં કપાટ આગામી તા. 18મી નવેમ્બરે બંધ કરાશે. બદ્રીનાથ ધામ કપાટ શિયાળા માટે તા. 18મી નવેમ્બરના રોજ વિધિ વિધાન સાથે […]

રાજ્યમાં સાયન્સની કોલેજોને પુરતા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ, ગુજરાત યુનિ.સંલગ્ન 3 કોલેજો બંધ થશે

અમદાવાદઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આ વખતે ગત વર્ષની તુલનાએ 7 ટકા જેટલું ઓછું આવ્યું છે. દર વર્ષે એન્જિનિયરિંગ અને ફાર્મસી સહિતની વિવિધ વિદ્યાશાખાઓમાં પ્રવેશને અંતે ઘણીબધી બેઠકો ખાલી રહેતી હોય છે. ત્યારે આ વર્ષે ઈજનેરી અને ફાર્મસીમાં વધુ બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. જ્યારે વિજ્ઞાનની કોલેજોની હાલત સૌથી વધુ કફોડી બનશે. કારણ કે […]

મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના ગાંધી વિચાર કેન્દ્રને આખરે તાળાં મારવા પડશે

ભાવનગરઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો ભાવનગર સાથેનો સંબંધ ગાઢ રહ્યો છે. ભાવનગરમાં મહાત્મા ગાંધીજીએ કોલેજ કક્ષાનું શિક્ષણ લીધુ એ  યુનિવર્સિટીમાં  ગાંધી વિચાર કેન્દ્ર  વર્ષોથી કાર્યરત છે, એને હવે કાયમી તાળા મારવાનો વખત આવ્યો છે. ઇ.સ.2010 એટલે કે છેલ્લાં 12 વર્ષથી યુજીસીની કોઇ પણ પ્રકારની ગ્રાન્ટ વગર આ સેન્ટર ચાલતું હતુ આ સેન્ટર હવે કાયમીપણે બંધ કરવા […]

PM મોદીની મુલાકાતને લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી તા.28મીથી પાંચ દિવસ મુલાકાતીઓ માટે બંધ રહેશે

કેવડિયાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના સ્થળોનો પર્યટન સ્થળ તરીકે સારોએવો વિકાસ કરાયો છે. દેશ-વિદેશના અનેક લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. હવે નર્મદા ઘાટ પાસે ગંગામૈયાની જેમ નર્મદા મૈયાની આરતી પણ યોજાશે આ કાર્યક્રમનો પ્રારંભ કરાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. 31 ઓક્ટોબરના રાષ્ટ્રીય […]

અમદાવાદનો જીવરાજ પાર્ક ફ્લાઈઓવર બ્રીજ 7મી ઓગસ્ટ સુધી બંધ રહેશે

અમદાવાદઃ  મેટ્રો પ્રોજેક્ટની કામગીરી માટે  જીવરાજ પાર્ક ફ્લાઈઓવર બ્રીજ  ફરીથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આજે 1 ઓગસ્ટ થી 7 ઓગસ્ટ સુધી આ બ્રિજ તમામ વાહનવ્યવહાર માટે રાખવામાં આવશે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા બ્રિજ બંધ રાખવાનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ મેટ્રોની કામગીરી માટ બ્રિજ ત્રણ દિવસ બંધ […]

ચોટિલામાં સુપ્રસિદ્ધ ચામુંડા માતાજી મંદિર દર્શનાર્થીઓ માટે આગામી 20 મે સુધી બંધ રહેશે

સુરેન્દ્રનગરઃ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અનેક ધાર્મિક સ્થળો ભાવિક-ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યા છે. મંદિરના ટ્રસ્ટો દ્વારા ભક્તોના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રસિદ્ધ એવા ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર ટ્રસ્ટ દ્વારા આગામી 20 મે સુધી દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવા આવ્યો છે. સુપ્રસિદ્ધ  તિર્થ ધામ એવા સુરેન્દ્રનગર જિલ્લાના નેશનલ હાઇવે પર આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code