મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. યુવા બેટ્સમેન શુભમન ગિલને ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. જ્યારે ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટીમમાં સ્થાન મળ્યું નથી. બીસીસીઆઈએ શુભમન ગિલને ટેસ્ટ ટીમની કમાન સોંપી છે. જ્યારે વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ટેસ્ટ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી. તે IPL 2025 માં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. આ પહેલા તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમ ઈન્ડિયાનો મુખ્ય ખેલાડી રહ્યો હતો.
બીસીસીઆઈએ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશદીપ, અર્શદીપ સિંહ અને શાર્દુલ ઠાકુરના રૂપમાં 6 બોલરોની પસંદગી કરવામાં આવી છે. રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવના રૂપમાં ત્રણ સ્પિનર છે. ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયરની પસંદગી કરવામાં આવી છે. નાયર આઠ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં પરત ફર્યા છે. તેણે ભારત માટે છેલ્લે 2017 માં ટેસ્ટ ક્રિકેટ રમ્યું હતું. શાર્દુલ ઠાકુરની ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે પણ પસંદગી કરવામાં આવી છે.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ટીમ ઈન્ડિયા: શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ ઈસ્વરન, કરુણ નાયર, નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, મોહમ્મદ સિરાઝ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશદીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવ