1. Home
  2. ગુજરાતી
  3. કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે રાજ્યોને રૂ.7,532 કરોડની રકમ જાહેર કરી
કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે રાજ્યોને રૂ.7,532 કરોડની રકમ જાહેર કરી

કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે રાજ્યોને રૂ.7,532 કરોડની રકમ જાહેર કરી

0
Social Share

નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આજે સંબંધિત રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ્સ (SDRF) માટે 22 રાજ્ય સરકારોને રૂ. 7,532 કરોડ ફાળવ્યા છે. આ રકમ ગૃહ મંત્રાલયની ભલામણો અનુસાર જારી કરવામાં આવી છે. ગુજરાત માટે કેન્દ્ર સરકારે રૂ. 584 કરોડની રકમ ફાળવી છે. 15મા નાણાપંચની ભલામણોના આધારે કેન્દ્ર સરકારે વર્ષ 2021-22થી 2025-26 માટે SDRF માટે રૂ. 1,28,122.40 કરોડ ફાળવ્યા છે. આ રકમમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. 98,080.80 કરોડ છે. કેન્દ્ર સરકારે અગાઉ જ વર્તમાન રિલીઝ પહેલાં રૂ. 34,140.00 કરોડ રિલીઝ કર્યા છે. વર્તમાન રિલીઝ  સાથે, રાજ્ય સરકારોને અત્યાર સુધીમાં SDRFના કેન્દ્રીય હિસ્સાની કુલ રકમ વધીને રૂ. 42,366 કરોડ થઈ છે.

કેન્દ્ર સરકારે આંધ્ર પ્રદેશ માટે રૂ. 493.60 કરોડ, અરુણાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ માટે રૂ. 110.40 કરોડ, આસામ માટે રૂ. 340.40 કરોડ, બિહાર માટે રૂ. 624.40 કરોડ, છત્તીસગઢ માટે રૂ. 181.60 કરોડ, ગોવા માટે રૂ. 4.80 કરોડ, ગુજરાત માટે રૂ. 584 કરોડ, હરિયાણા માટે રૂ. 216.80 કરોડ, હિમાચલ પ્રદેશ માટે રૂ. 180.40 કરોડ, કર્ણાટક માટે રૂ. 348.80 કરોડ, કેરળ માટે રૂ. 138.80 કરોડ, મહારાષ્ટ્ર માટે રૂ. 1420.80 કરોડ, મણિપુર માટે રૂ. 18.80 કરોડ, મેઘાલય માટે રૂ. 27.20 કરોડ, મિઝોરમ માટે રૂ. 20.80 કરોડ, ઓડિશા માટે રૂ. 707.60 કરોડ, પંજાબ માટે રૂ. 218.40 કરોડ, તમિલનાડુ માટે રૂ. 450 કરોડ, તેલંગાણા માટે રૂ. 188.80, ત્રિપુરા માટે રૂ. 30.40 કરોડ, ઉત્તર પ્રદેશ માટે રૂ. 812 કરોડ અને ઉત્તરાખંડ માટે રૂ. 413.20 કરોડની રકમ ફાળવી છે.

દેશભરમાં ભારે વરસાદને પગલે માર્ગદર્શિકા હળવી કરવામાં આવી છે અને છેલ્લા નાણાકીય વર્ષમાં રાજ્યોને આપવામાં આવેલી રકમના ઉપયોગના પ્રમાણપત્રની રાહ જોયા વિના રાજ્યોને તાત્કાલિક સહાય તરીકે રકમ જાહેર કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005ની કલમ 48 (1) (a) હેઠળ દરેક રાજ્યમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF)ની રચના કરવામાં આવી છે. આ ફંડ રાજ્ય સરકારો પાસે સૂચિત આપત્તિઓના સામના માટે ઉપલબ્ધ પ્રાથમિક ભંડોળ છે. કેન્દ્ર સરકાર સામાન્ય રાજ્યોમાં SDRFમાં 75% અને ઉત્તર-પૂર્વ અને હિમાલયના રાજ્યોમાં 90% યોગદાન આપે છે.

નાણાં પંચની ભલામણ મુજબ વાર્ષિક કેન્દ્રીય યોગદાન બે સમાન હપ્તામાં બહાર પાડવામાં આવે છે. માર્ગદર્શિકા મુજબ, ભંડોળ અગાઉના હપ્તામાં બહાર પાડવામાં આવેલ રકમના ઉપયોગના પ્રમાણપત્રની પ્રાપ્તિ અને SDRF દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ પર રાજ્ય સરકાર તરફથી અહેવાલ પ્રાપ્ત થવા પર આપવામાં આવે છે. જો કે, તાકીદને ધ્યાનમાં રાખીને, આ વખતે ભંડોળ બહાર પાડતી વખતે આ જરૂરિયાતોને માફ કરવામાં આવી હતી.

એસડીઆરએફનો ઉપયોગ માત્ર ચક્રવાત, દુષ્કાળ, ભૂકંપ, આગ, પૂર, સુનામી, અતિવૃષ્ટિ, ભૂસ્ખલન, હિમપ્રપાત, વાદળ ફાટવા, જીવાતોના હુમલા અને હિમ અને શીત લહેર જેવી સૂચિત આફતોના પીડિતોને તાત્કાલિક રાહત આપવા માટેના ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવશે. રાજ્યોને SDRF ભંડોળની ફાળવણી ભૂતકાળના ખર્ચ, વિસ્તાર, વસ્તી અને આપત્તિ જોખમ સૂચકાંક જેવા બહુવિધ પરિબળો પર આધારિત છે. આ પરિબળો રાજ્યોની સંસ્થાકીય ક્ષમતા, જોખમ એક્સપોઝર અને સંકટ અને નબળાઈને પ્રતિબિંબિત કરે છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code