1. Home
  2. ગુજરાતી
  3. રાજ્યમાં કોરોનાની સંકટ ઘડીમાં સરકાર કહે તે તમામ કામગીરી કરવા કોંગ્રેસ તત્પર છેઃ હાર્દિક પટેલ
રાજ્યમાં કોરોનાની સંકટ ઘડીમાં સરકાર કહે તે તમામ કામગીરી કરવા કોંગ્રેસ તત્પર છેઃ હાર્દિક પટેલ

રાજ્યમાં કોરોનાની સંકટ ઘડીમાં સરકાર કહે તે તમામ કામગીરી કરવા કોંગ્રેસ તત્પર છેઃ હાર્દિક પટેલ

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતીઓની એકતાસીર રહી છે કે, સંકટની ઘડીમાં ખંભેખંભા મીલાવીને કામ  કરતા હોય છે. કોંગ્રેસે કોરોનાની સંકટ ઘડીમાં સર્વપક્ષિય બેઠક બોલાવીને સાથે મળીને કામ કરવા સરકારને અનુરોધ કર્યો હતો. સરકારે હજુ સુધી સર્વપક્ષિય બેઠક બોલાવવાનો નિર્ણય લીધો નથી. ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે આજે ટ્વિટ કરીને ગુજરાતની જનતાને કોરોનાની મહામારીથી બચાવવા અમે સરકારને તમામ મદદ કરવા તૈયાર છીએ. સરકાર કહેશે તે કામ કરવા કોંગ્રેસ તૈયાર છે.

રાજ્યમાં  કોરોનાના  કહેર વચ્ચે ગુજરાત કૉંગ્રેસના નેતા હાર્દિક પટેલે  મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને  સંબોધીને એક ટ્વિટ કરી છે. જેમાં તેમણે મુખ્ય પ્રધાનને કોરોના મહામારીમાં કૉંગ્રેસને પણ મદદ કરવા દેવાની વિનંતી કરી છે. નોંધનીય છે કે, આ પહેલા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ  લોકોને નિઃશુલ્ક વહેંચી શકાય તે માટે રાજ્ય સરકાર પાસે 10,000 રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી. આ સાથે કોરોના વાયરસના દર્દીઓને મદદરૂપ થવા માટે કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરૂ કરી છે.  હાર્દિક પટેલે મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીને ટ્વિટ કરતા કહ્યું કે,  અમે  ગુજરાતની જનતાને કોરોના મહામારીથી બચાવવા તથા મદદ કરવા માટે વિનંતી કરીએ છીએ. અમારા કૉંગ્રેસ પક્ષ પાસે 65 ધારાસભ્યો છે તો તમે અમને પણ કામ કહો જેથી સરકારની જનતાના હિતમાં મદદ કરી શકીએ. આ મહામારીમાં સાથે મળીને કામ કરવું પડશે.

મુખ્ય પ્રધાનને  ટ્વિટ કર્યાના થોડા કલાકો પહેલા હાર્દિકે અન્ય એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, ગુજરાતની જનતા ક્યાં ક્યાં લાઈન લગાવશે. પહેલા કોરોના પરીક્ષણ માટે લાઇનમાં, ત્યારબાદ હૉસ્પિટલમાં પથારી માટે લાઇન,  ત્યારબાદ રેમડેસિવીર માટે લાઇન લગાવી અને હવે તેમના પરિવારોની લાશો માટે પણ લાઇન લગાવવી પડે છે. આ સરકાર જનતાને કેટલું પરેશાન કરશે.

શુક્રવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ લોકોને નિઃશુલ્ક વહેંચી શકાય તે માટે રાજ્ય સરકાર પાસે 10,000 રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી. કોરોના વાયરસના દર્દીઓને મદદરૂપ થવા માટે કૉંગ્રેસે હેલ્પલાઇન નંબર 9099902255 પણ શરૂ કરી છે.  ચાવડાએ જણાવ્યું હતું ક, હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરીને કોરોના વાયરસ અંગેની કોઈપણ માહિતી અને માર્ગદર્શન મેળવી શકે છે. આ સાથે ચાવડાએ કોરોના વાઇરસની પરિસ્થિતિને જોતાં સર્વપક્ષીય બેઠક બોલાવવાની પણ માગ કરી છે. અને જણાવ્યું કે કોરોના RT-PCR ટેસ્ટ માટે બૂથ ઊભા કરવા કૉંગ્રેસ ગુજરાત સરકારને બધી રીતે મદદ કરવા તૈયાર છે. કૉંગ્રેસ કાર્યાલયોમાં મેડિકલ સુવિધા ઊભી કરવા આ માટે કૉંગ્રેસ તૈયાર છે. અમદાવાદ અને સુરતમાં કોવિડ કૅર સેન્ટર કરવા માટે અમે સરકાર પાસે પરવાનગી માગી છે. આ બે શહેરો બાદ કૉંગ્રેસ પક્ષ રાજ્યના બીજા જિલ્લા અને તાલુકા મથકોમાં પણ કોવિડ સેન્ટર શરૂ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code