1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણી વાયદા મુદ્દે ઈલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષો પાસે માંગ્યો અભિપ્રાય
ચૂંટણી વાયદા મુદ્દે ઈલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષો પાસે માંગ્યો અભિપ્રાય

ચૂંટણી વાયદા મુદ્દે ઈલેક્શન કમિશને તમામ રાજકીય પક્ષો પાસે માંગ્યો અભિપ્રાય

0
Social Share

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને ચૂંટણી વચનો અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી છે. મફતમાં વસ્તુઓ આપવા તથા ચૂંટણી રેવડી બંધ કરવા જેવી  ચર્ચાઓ વચ્ચે ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોને તાકીદ કરી છે કે, પોતાના ચૂંટણી વાયદાઓની નાણાકીય સદ્ધરતા વિશે મતદારોને જાણ કરવી પડશે. પંચે આ મામલે તમામ રાજકીય પક્ષોનો અભિપ્રાય પણ માંગ્યો છે.

ચૂંટણી પંચનું કહેવું છે કે જ્યારે પક્ષો મતદારોને તેમના વચનોની આર્થિક રીતે સદ્ધરતા વિશે અધિકૃત માહિતી આપશે, ત્યારે મતદારો તેનું મૂલ્યાંકન કરી શકશે. આયોગે તમામ પક્ષોને લખેલા પત્રમાં કહ્યું છે કે, ચૂંટણી વચનો અને તેની નાણાકીય સ્થિરતા પર સંપૂર્ણ માહિતી ન આપવાની અનિચ્છનીય અસરને અવગણી શકાય નહીં. પોકળ ચૂંટણી વચનો દૂરગામી અસરો ધરાવે છે. કમિશને એમ પણ કહ્યું કે, તે મતદારોને ચૂંટણી વચનો વિશે સંપૂર્ણ માહિતી ન આપીને દેશની નાણાકીય સ્થિરતા પર પડતી અયોગ્ય અસરને અવગણી શકે નહીં.

ચૂંટણી પહેલા વિવિધ પક્ષો દ્વારા મફતમાં સુવિધાઓ આપવાના વચનો આપવામાં આવે છે. આ ફ્રી રેવાડીને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, ચૂંટણી ભેટને લઈને કમિશનની નવીનતમ સૂચનાઓ મહત્વપૂર્ણ છે. આ વચનોને કારણે સરકારી તિજોરી પર બોજ પડવાનો મુદ્દો પણ વિચારણા હેઠળ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code