1. Home
  2. revoinews
  3. આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાનો કરાશે આરંભ
આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાનો કરાશે આરંભ

આજથી દેશભરમાં ત્રીજા સ્વચ્છતા અભિયાનના પ્રથમ તબક્કાનો કરાશે આરંભ

0
Social Share

દિલ્હીઃ- દેશભમાં આજથી સ્વચ્છતા અભિયાનનો આરંભ થવા જઈ રહ્યો છે આ ત્રીજા અભિયાનનો પ્રથમ તબક્કો હશે.આ પહેલા 2 સ્વચ્છતા અભિયાન થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે સ્વચ્છતા અભિયાનનો અભિયાનનો પ્રથમ તબક્કો 15 થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ તબક્કામાં તમામ મંત્રાલયો અને વિભાગો પેન્ડિંગ કેસો અને સ્વચ્છતા માટેની જગ્યાઓની ઓળખ કરશે. અમે નિકાલ કરવા માટે બિનજરૂરી સામગ્રીના જથ્થાનું પણ મૂલ્યાંકન કરાશે.

તે જ સમયે, અભિયાનનો બીજો તબક્કો ગાંધી જયંતિ એટલે કે 2જી ઓક્ટોબરથી શરૂ થશે, જે 31મી ઓક્ટોબર સુધી ચાલશે. આ અમલીકરણનો તબક્કો હશે. આમાં, તમામ મંત્રાલયો અને વિભાગો પ્રારંભિક તબક્કામાં પસંદ કરાયેલા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના પ્રયાસો કરશે. DARPG આ સંદર્ભમાં સાપ્તાહિક એકીકૃત અહેવાલ પણ તૈયાર કરશે. જે કેબિનેટ સચિવાલય અને પીએમઓને સોંપવામાં આવશે. આ ઝુંબેશનો ઉદ્દેશ્ય અન્ય વસ્તુઓની સાથે કચરાના નિકાલ દ્વારા સંપત્તિ પેદા કરવાના પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.

આ પહેલા , કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે નવી દિલ્હીમાં વિશેષ સ્વચ્છતા અભિયાન 3.0નું વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને જન આંદોલનમાં ફેરવી દીધું છે અને લોકોએ તેને સામાજિક સુધારણા આંદોલન તરીકે સ્વીકાર્યું છે.

સરકાર મિશન મોડમાં સામાન્ય માણસ દ્વારા સામનો કરવામાં આવતી મૂળભૂત સમસ્યાઓને ઉઠાવશે. આ વિશેષ અભિયાન એવા સમયે શરૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં G-20 સમિટને અભૂતપૂર્વ સફળતા મળી હતી. ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ સમગ્ર દેશમાં આ અભિયાનના સંકલન અને સંચાલન માટે નોડલ વિભાગ હશે. વિભાગ આ વિશેષ અભિયાન 3.0 ના અમલીકરણ પર પણ દેખરેખ રાખતો જોવા મળશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code