છત્તીસગઢ સરકાર ઓનલાઈન એજ્યુકેશન મારફતે દુનિયાના અન્ય દેશના વિદ્યાર્થીઓને પણ આપે છે શિક્ષણ
દિલ્હીઃ કોરોના મહામારીને પગલે દેશભરમાં સ્કેલૂ-કોલેજ બંધ છે. તેમજ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. છત્તીસગઢમાં પઢઈ તુંહર દુઆર કાર્યક્રમ હેઠલ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ શિક્ષકો દ્વારા બનાવવામાં આવેલા આ વિદ્યાર્થીઓથી ભારત ઉપરાંત અન્ય 16 દેશના વિદ્યાર્થીઓ પણ એજ્યુકેશન મેળવી રહ્યાં છે. અમેરિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ઈન્ડોનેશિયા, ઈરાક, સાઉદી અરબ, યુએઈ, તુર્કી, ગ્રીસ, મલેશિયા, ફિલીપીસ, કુવૈત, લેબનાન અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે. અન્ય દેશના વિદ્યાર્થીઓ સૌથી વધારે ફિઝીક્સ, કેમેસ્ટી, ગણીત, કોમર્સ અને અંગ્રેજીના વિષયના વીડિયો મારફતે જ્ઞાન મેળવી રહ્યાં છે.
છત્તીસગઢ સરકારની વેબસાઈટ મારફતે પઢઈ તુંહર દુઆર પોર્ટલ પર શિક્ષકો હિન્દી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. એસસીઆઈઆરટીના સંયુક્ત સંચાલક ડો. યોગેશ શિવહરેના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ હેઠળ ઓપન ઓર ઓલ ઓનલાઈન ક્લાક ચાલે છે. જેમાં 17 અન્ય દેશના વિદ્યાર્થીઓ પણ જોડાયાં છે. આમ ઈ-કંટેટનો લાભ દેશ ઉપરાંત અન્ય દેશના વિદ્યાર્થીઓને પણ મળી રહ્યો છે.
આ કાર્યક્રમ હેઠળ પહેલા વિદ્યાર્થીઓને ઓનલાઈન નોંધણી કરાવી પડે છે. પોર્ટ ઉપર જે વિષયનો વીડિયો જોવો હોય તા માટે નોંધણી કરાવવાની હોય છે. તેમજ હાલનું લોકેશનની જાણકારી પણ આપવી ફરજિયાત છે. જેના આધારે યુટ્યુબ એનાલિટિક્સથી આ આંકડો સામે આવ્યો છે. એસસીઆઈઆરટી મારફતે ધો-1થી 8ના વિદ્યાર્થીઓને તમામ વિષય ઉપર દરરોજ 45 મીનિટ અભ્યાસ કરાવવામાં આવે છે. આ ઉપરાંત ધો-9થી 12ના વિદ્યાર્થીઓને લાઈવ શિક્ષણ આપવામાં આવે છે. જેમાં કેટલાક આઈએએસ, આઈપીએસ, ડોકટર, એન્જિનીયર, કેરિયર કાઉન્સિલની દરરોજ મોટીવેશનલ સ્પીચ પણ હોય છે. જેમાં લોકો વધારે પસંદ કરે છે.