1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. એસ.જયશંકરની બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ કરાશે
એસ.જયશંકરની બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ કરાશે

એસ.જયશંકરની બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિનું લોકાર્પણ કરાશે

0
Social Share

અમદાવાદઃ કેન્દ્રીય મંત્રી એસ.જયશંકર 4 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેમની અંગ્રેજી બુક ‘The India Way: Strategies for an Uncertain World’ની ગુજરાતી આવૃત્તિ ‘નવા ભારતની રણનીતિ’નું લોકાર્પણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી એસ.જયશંકરએ લખેલી બુક ‘The India Way: Strategies for an Uncertain World’નો ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવ્યો છે. આ પુસ્તરનું નામ ‘નવા ભારતની રણનીતિ’ રાખવામાં આવ્યું છે. આગામી 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં આ બુકનું લોકાર્પણ અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય વિચાર મંચ, ફાઉન્ડેશન ફોર પબ્લિક અવેયરનેશ એન્ડ પોલીસી તથા આર.આર.શેઠ એન્ડ કંપની પ્રા.લીના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 4 સપ્ટેમ્બરના રોજ અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના જે.બી.ઓડિટોરિયમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુસ્તક નવા ભારતની રણનીતિનું લોકાર્પણ કરવામાં આવશે. તેમજ પુસ્તકના લેખક વિદેશ મંત્રી ડો.એસ.જયશંકર વક્તવ્ય આપશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code