1. Home
  2. ગુજરાતી
  3. સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે
સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

0
Social Share

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ શકે છે. કેન્દ્રીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.

ભારતમાં ચાલુ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. લોકસભા ચૂંટણી પૂર્વે આ મોદી સરકારનું આ અંતિમ બજેટ છે. જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. સંસદનું આ બજેટ સત્ર ખુબ મહત્વનું માનવામાં આવી રહ્યું છે. તેમજ વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાનો રોડમેપ તૈયાર કર્યો છે. જેથી આ બજેટ સત્ર તોફાની રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code