1. Home
  2. Dharma-ધર્મ
  3. માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ગુંજે છે હર હર મહાદેવનો નાદ
માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ગુંજે છે હર હર મહાદેવનો નાદ

માત્ર ભારત જ નહીં, વિદેશોમાં પણ ગુંજે છે હર હર મહાદેવનો નાદ

0
Social Share

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: આ વર્ષે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે. જ્યારે પણ શિવ મંદિરની વાત આવે ત્યારે આપણા મનમાં કેદારનાથ, કાશી વિશ્વનાથ કે સોમનાથના નામ જરૂર આવે છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતની સરહદોની બહાર પણ મહાદેવના એવા અનેક પ્રાચીન અને ભવ્ય મંદિરો છે જે આસ્થાનું કેન્દ્ર છે? જો તમે આ શિવરાત્રીએ વિદેશ પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો આ 6 શિવ મંદિરોની મુલાકાત લેવા જેવી છે.

  • પશુપતિનાથ મંદિર ( નેપાળ)

નેપાળની રાજધાની કાઠમાંડુમાં બાગમતી નદીના કિનારે આવેલું આ મંદિર વિશ્વના સૌથી પવિત્ર શિવ મંદિરોમાંનું એક છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન પામેલા આ મંદિરમાં મહાદેવની ‘પશુપતિ’ સ્વરૂપે પૂજા થાય છે. ભારતીયો માટે વિઝા-ફ્રી એન્ટ્રી હોવાથી અહીં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

  • પ્રમ્બનન મંદિર (ઈન્ડોનેશિયા)

 ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર સ્થિત પ્રમ્બનન મંદિર સંકુલ ત્યાંનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. આ મંદિરની સ્થાપત્ય કલા અદ્ભુત છે અને તેની દિવાલો પર રામાયણના પ્રસંગો કંડારવામાં આવ્યા છે. અહીં ભગવાન શિવને ‘મહાદેવ’ તરીકે પૂજવામાં આવે છે.

  • મુન્નેશ્વરમ મંદિર (શ્રીલંકા)

 શ્રીલંકામાં આવેલું મુન્નેશ્વરમ મંદિર રામાયણ કાળ સાથે જોડાયેલું હોવાનું માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ મુજબ, ભગવાન રામે અહીં શિવલિંગની પૂજા કરી હતી. આજે પણ અહીં મહાશિવરાત્રી અને નવરાત્રી દરમિયાન ભવ્ય ઉત્સવો યોજાય છે.

  • સાગર શિવ મંદિર (મોરિશિયસ)

મોરિશિયસમાં આવેલું આ મંદિર સમુદ્રની વચ્ચે સ્થિત છે, જે તેને અત્યંત ખાસ બનાવે છે. ચારે બાજુ પાણી અને વચ્ચે બિરાજમાન મહાદેવના દર્શન કરવા એ એક આધ્યાત્મિક અને નયનરમ્ય અનુભવ છે. અહીં પ્રકૃતિ અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળે છે.

  • શિવ મંદિર (ઓકલેન્ડ-ન્યૂઝીલેન્ડ)

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં આવેલું આ શિવ મંદિર વિદેશમાં વસતા ભારતીયોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. આધુનિક શૈલીમાં બનેલા આ મંદિરમાં તમામ ભારતીય પરંપરાઓ અને વિધિ-વિધાન સાથે અભિષેક અને પૂજા અર્ચના કરવામાં આવે છે.

  • પ્રેહ વિહિઅર (થાઈલેન્ડ/કંબોડિયા)

થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર પહાડી વિસ્તારમાં આવેલું આ પ્રાચીન મંદિર ખ્મેર સંસ્કૃતિની ઓળખ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્વનું આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને તેની કોતરણી જોઈને પ્રવાસીઓ મંત્રમુગ્ધ થઈ જાય છે.

જો તમે આ શિવરાત્રીએ આમાંથી કોઈ સ્થળે જવા માંગતા હોવ, તો નેપાળ અને શ્રીલંકા જેવા દેશો ભારતીય પ્રવાસીઓ માટે સરળ વિઝા પ્રક્રિયા ધરાવે છે. આધ્યાત્મિક શાંતિની સાથે વિદેશી સંસ્કૃતિનો અનુભવ લેવા માટે આ શ્રેષ્ઠ તક છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code