રાજ્યમાં ચૂંટણી વખતે પ્રચારના મેસેજ મોકલવા બાબતે લાગ્યો પ્રતિબંધ
- ચૂંટણીને લઈને નવું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું
- ચૂંટણી ગરમિયાન રાજકિય બાબતના મેસેજ પર પ્રતિબંધ લાગવાયો
દિલ્હીઃ-સામાન્ય રીતે ચૂંટણીના સમયે અનેક લોકો સાશિયલ મીડિયા થકી પ્રચાર પ્રસારના મેસેજ કરતા હોય છે, ત્યારે હવે સમગ્ર રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટાચૂંટણી-2021 આવનારી 21 તારીખથી લઈને 28 તારીખ સુધી મતદાન થનાર છે.તો આ બાબતે હવે એક નવો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ સમગ્ર ચૂંટણી મામલે ચૂંટણીને અનુલક્ષીને સુરત જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ.ધવલ પટેલ દ્રારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા પ્રમાણે મુજબ સુરત જિલ્લા શહેરી વિસ્તાર સહિતના વિસ્તારોમાં કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર અને ચૂંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યકિતએ મતદાન યોજાનારા દિવસો વખત પહેલાના 48 કલાક પહેલાથી મતદાન દ્યા સુધી પૂર્ણ થાય ત્યાં સુધી રાજકીય બાબતના એસએમએસ મોકલવા બાબતે પ્રતિબંધ જારી કરવામાં આવ્યો છે.
જો કે આ જાહેરનામુ ભારતના ચૂંટણી આયોગના સક્ષમ સત્તાધિકારી દ્વારા કરવામાં આવતા SMS પર લાગુ કરાશે નહી. જો કે આ સિવાયના હુકમનો ભંગ કરાનાર સામે સજા કરવામાં આવશે.
મતદાન દિવસો દરમિયાન મતદાન મથકની અંદર તથા મતદાનની મથકની બહાર 100 મીટરના અંતરમાં આવેલા કોઈપણ વ્યકિતે પ્રચાર પ્રસાર જેવા કૃત્યો પર પ્રતિબંધ લગાવ્યો છે
આ સાથે જ ચૂંટણીને લગતા નોટસ કે નિશાની પ્રદર્શિત કરવા, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણું સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
સાહિન-