1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં વાયુવેગ પ્રસરતો કોરોના – સંક્રમણ દર 10 ટકાથી વધીને 22 ટકા થયો
અમદાવાદમાં વાયુવેગ પ્રસરતો કોરોના – સંક્રમણ દર 10 ટકાથી વધીને 22 ટકા થયો

અમદાવાદમાં વાયુવેગ પ્રસરતો કોરોના – સંક્રમણ દર 10 ટકાથી વધીને 22 ટકા થયો

0
Social Share
  • અમદાવાદમાં આગની જેમ ફેલાયો કોરોના
  • સંક્રમણ દરમાં 2 ટકાનો વધારો
  • 10 ટકાથી 22 ટકા પર પહોંચ્યો સંક્રમણ દર

 

અમદાવાદ – જ્યા દેશ ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યો છે ત્યા દેશના કેટલાકા રાજ્યોમાં કોરોના ફેલાવાની ગહતિ પવનની જેમ વઘી છે,કોરોના સંક્રમણ દર વધતા જ દિવસેને દિવસે કેસની સંખ્યા બમણી જોવા મળી રહી છે,જો વાત કરવામાં આવે અમદાવાદ શહેરની તો અહી કોરોનાના કેસો માત્ર 5 થી 6 દિનસની અંદર જ બમણા વધ્યા છે.

જો વિતેલા દિવસની વાત કરીએ તો અમદાવાદમાં 10 હજારથી વધુ ટેસ્ટ કરાયા જેમાં 2 હજાર 311 કોરોના પોઝિટિવ કેસ નોઁધાયા. એ જોતાં અમદાવાદનો પોઝિટિવિટી રેટ 22 ટકા નોંધાયો છે. જેથી એમ કહી શકાય કે અમદાવાદમાં દર 4 ટેસ્ટમાંથી એકનો રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે , જ્યાં બે દિવસ પહેલા સંક્રમણ દર 12 ટકા જોવાતો હતો જે હવે 22 ટકા જોવા મળે છે.

અમદાવાદ શહેરમાં 6 અને 7 જાન્યુઆરીના રોજ કરાયેલા કોરોના ટેસ્ટ  અને નવા આવેલો કેસની સરખામણી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને જિલ્લામાં 17 હજાર 133 ટેસ્ટ થયા જેમાંથી  1હજાર 862નો રિપોર્ટ પોઝિટિવ હતો, અર્થાત એમ કહેવું રહ્યું કે  કુલ ટેસ્ટની સરખામણીએ પોઝિટિવિટી રેટ 10.87 હતો, જ્યારે 7 જાન્યુઆરીએ સકારાત્મકતા રદરમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. જે હવે 22.25 ટકા પર પહોંચી ચૂક્યો છે,એટલે કે કોરોના હવે પવનની ગતિએ ફેલાઈ રહ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code