ભોપાલઃ પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં રોકાણકારોના સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે. સમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે. હું તમને કહી દઉં કે ભારત પરિણામો આપે છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે દાયકામાં મધ્યપ્રદેશે પરિવર્તનનો એક નવો યુગ જોયો છે.
પીએમ મોદીએ ત્રણ નવા ક્ષેત્રોની ભૂમિકા પર ભાર મૂક્યો. કાપડ, પર્યટન અને ટેકનોલોજી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, MP રોકાણ માટે એક મોટું સ્થળ બની રહ્યું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસનો મોટો ભાગ મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. એમપી મુંબઈ સાથે જોડાઈ રહ્યું છે.
5 હજાર કિલોમીટરનું રોડ નેટવર્ક બનાવવામાં આવ્યું છે. મધ્યપ્રદેશમાં લોજિસ્ટિક્સ સંબંધિત ક્ષેત્રો પણ પ્રગતિ કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં રેલ નેટવર્કનું 100% વીજળીકરણ પૂર્ણ થઈ ગયું છે.