1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઉપલેટામાં ખનીજ માફિયાઓનો ત્રાસ, રેડ કરી તો અધિકારીઓ પર કર્યો હુમલો
ઉપલેટામાં ખનીજ માફિયાઓનો ત્રાસ, રેડ કરી તો અધિકારીઓ પર કર્યો હુમલો

ઉપલેટામાં ખનીજ માફિયાઓનો ત્રાસ, રેડ કરી તો અધિકારીઓ પર કર્યો હુમલો

0
Social Share
  • ઉપલેટામાંમાં ખનીજ માફિયા બન્યા બેફામ
  • રેડ દરમિયાન ખનિજ કર્મીઓ પર હુમલો
  • 11 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો

રાજકોટ: ઉપલેટામાં ખનીજ માફિયા બેફામ બન્યા છે. ઉપલેટામાં ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનિજ અંગે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન ખનિજ કર્મીઓ પર હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું. આ રેડ રાજકોટ ખાણ ખનીજ વિભાગ દ્વારા નાગવદર ખાતે કરવામાં આવી હતી.

ખાણ ખનીજના અધિકારીઑ ઝડપેલા મુદ્દામાલ સીઝ કરવા લઈ જતા હતા, ત્યારે તેમના પર હુમલો થયો હતો. જોકે, હુમલા બાદ રોયલ્ટી ઇન્સ્પેક્ટર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઉપલેટા પોલીસમાં નાગવદરના ચાર વ્યક્તિઓ વિરૂદ્ધ ફરજ રૂકાવટની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમ, ખનીજ વિભાગ દ્વારા કુલ 11 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. હાલ સમગ્ર બાબતે પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code