1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા પાસે પિકઅપ વાન પલટી ખાંતા બેનાં મોત, 9ને ઈજા
અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા પાસે પિકઅપ વાન પલટી ખાંતા બેનાં મોત, 9ને ઈજા

અમદાવાદ-રાજકોટ હાઈવે પર સાયલા પાસે પિકઅપ વાન પલટી ખાંતા બેનાં મોત, 9ને ઈજા

0
Social Share

સુરેન્દ્રનગરઃ અમદાવાદ-રાજકોટ હાઈવે પર અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો છે. સાયલા નજીક પૂરફાટ ઝડપે આવેલી પિકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા પીકઅપ વાન રોડ સાઈડ પરથી ઉતરીને પલટી ખાંતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે નવ મુસાફરોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા છે. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.

અમદાવાદ-રાજકોટ  હાઈવે પર ફરી અકસ્માત સર્જાયો હતો. જેમાં પિકઅપ વાન રોડની સાઈડમાં નીચે ઉતરી જતા અકસ્માત થયો હતો. ચોટીલાથી સાયલા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા  સારવાર માટે  હોસ્પિટલમાં ખસેડવામા આવ્યાં હતા. જૂનાગઢના શિવરાત્રિના મેળામાંથી પરત આવી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો અકસ્માતના સ્થળે દોડી ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જૂનાગઢથી મુસાફરોને અમદાવાદ તરફ લઈને જઈ રહેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો. જેમાં પીકઅપ વાન  રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી. જેમાં ચોટીલાથી સાયલા  જતા હાઈવે રોડ પર ક્રિષ્ના હોટલ નજીક અકસ્માત સર્જાયો હતો. એમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા અને 9 મુસાફરોને ઈજા પહોંચતા એમને લોહિલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ વાનમા તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને પ્રાથમિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. આ ઘટનાના પગલે ચોટીલા પોલીસે પણ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી જઇ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code