યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના જનરલ ઈરિના વેનેડિક્ટોવાનો દાવો- કિવમાંથી 400થી વધુ મૃતદેહ મળી આવ્યા,રશિયન સૈનિકોની ક્રુરતા છતી થઈ
- રશિયા એ યુક્રેનમાં મચાવી તબાહી
- કિવમાંથી 410 લોકોના મળી આવ્યા મૃતદેહો
દિલ્હીઃ- છેલ્લા 40 જેટલા દિવસોથી રશિયા દ્રારા યુક્રેનમાં હુમલાો કરવામાં આવી રહ્યા છે જેને લઈને યુક્રેનની સ્થિતિ બદથી બદ્તર થતી જોવા મળી રહી છે, રશિયા દ્રારા થતા હુમલામાં ઘણા યુક્રેનીઓ માર્યા ગયા છે, હાલ પણ સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.
રશિયા એ કરેલા હુમલાઓના એક મહિના બાદ યુક્રેનમાં તબાહીના દ્રશ્યો જોવા ણળી રહ્યા છે. રશિયન સૈનિકોની નિર્દયતા યુક્રેનિયનોના ચહેરા પરના ભયમાં પ્રતિબિંબિત થાય છે. રશિયન સૈનિકો રાજધાની કિવ પર કબજો કરી શક્યા ન હોવા છતાં કિવમામ વિનાશ સર્જ્યો હતો ,વિતેલા દિવસને રવિવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સકીના જનરલ ઇરિના વેનેડિક્ટોવાએ દાવો કર્યો હતો કે કિવ વિસ્તારમાંથી 410 મૃતદેહો મળી આવ્યા છે.
ઝેલેન્સકીના જનરલ ઈરિના વેનેડિક્ટોવાએ રવિવારે કહ્યું હતું કે કિવ અને તેની આસપાસ રસ્તા પર પડેલા મૃતદેહો પરથી રશિયન સૈનિકોની ક્રૂરતા જોઈ શકાય છે. તેમણે કહ્યું કે કિવ વિસ્તારમાંથી 410 મૃતદેહો મળી આવ્યા છે.
આ સહીત વેનેડિક્ટોવાએ રાષ્ટ્રીય ટેલિવિઝનમાં કહ્યું હતું કે : “ક્યોવ પ્રદેશના મુક્ત કરાયેલા વિસ્તારોમાંથી 410 મૃત નાગરિકોના મૃતદેહો પુનઃપ્રાપ્ત કરવામાં આવ્યા હતા. ફોરેન્સિક નિષ્ણાતો પહેલાથી જ 140 ની તપાસ કરી ચૂક્યા છે.”