1. Home
  2. ગુજરાતી
  3. પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના
પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના

પરિવાર સાથે ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે કેદારનાથ ધામ ખાતે કરી પૂજા-અર્ચના

0
Social Share
  • જનરલ બિપિન રાવત કેદારનાથ ધામમાં ભોલે બાબાના દરબારમાં
  • જનરલ રાવતે પરિવાર સાથે કેદરનાથમાં કરી પૂજા-અર્ચના

રુદ્રપ્રયાગ : ભારતીય સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતે બુધવારે પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ ખાતે ભગવાન ભોલેનાથના દર્શન કર્યા છે. સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવતનું કેદારનાથ ધામ ખાતે પ્રશાસન, મંદિર સમિતિ અને તીર્થ પુરોહિતોએ સ્વાગત કર્યું હતું. સવારે નવ વાગ્યે અને પાંચ મિનિટે જનરલ રાવત પોતાના પરિવાર સાથે કેદારનાથ ધામ ખાતેના હેલિપેડ પર પહોંચ્યા હતા.

હેલીપેડથી મંદિર પહોંચ્યા બાદ તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. લગભગ અડધો કલાકની પૂજા બાદ તેમણે મંદિર સમિતિ, પ્રશાસનના અધિકારીઓ તથા અન્ય લોકો સાથે વાતચીત કરી હતી.

સેનાધ્યક્ષ જનરલ રાવત અહીંથી બદરીનાથ ધામ દર્શન માટે રવાના થયા હતા. તેમની બદરીનાથ મુલાકાતને જોતા સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code