1. Home
  2. ગુજરાતી
  3. શરદીમાં ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ,મળશે જોરદાર રાહત
શરદીમાં ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ,મળશે જોરદાર રાહત

શરદીમાં ડુંગળીનો આ રીતે કરો ઉપયોગ,મળશે જોરદાર રાહત

0
Social Share

જ્યારે પણ શરદી થાય ત્યારે દરેક વ્યક્તિને નાક અને માથું દુખવાનું શરૂ થઈ જતું હોય છે, લોકોને માથામાં દુખાવો અને નાકમાં થોડી બળતરા થતી હોય તેવું લાગતું હોય છે, આવામાં જો ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો આનાથી શરદીમાં મહદઅંશે રાહત મેળવી શકાય છે.

સૌથી પહેલા તો શરદીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે ડુંગળીના શરબતનું સેવન કરી શકો છો. જો તમારે ડુંગળીની ચાસણી બનાવવી હોય તો એક વાસણમાં ડુંગળીનો રસ લો અને તેમાં ઓછામાં ઓછા બે ચમચી મધ મિક્સ કરો અને થોડીવાર માટે છોડી દો. હવે 4-4 કલાકના અંતરે ચાસણીનું સેવન કરો.

આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો શરદી અને ફ્લૂ મટાડવા માટે વરાળ લેવી શ્રેષ્ઠ છે. ડોકટરો પણ શરદીના કિસ્સામાં સ્ટીમ લેવાની ભલામણ કરે છે. શરદી વખતે નાક બંધ રહે છે અને છાતીમાં લાળ જમા થાય છે. આ કફથી કફની સમસ્યા શરૂ થાય છે. તમારે માત્ર પાણીને ઉકાળીને તેમાં ડુંગળીના ટુકડા નાખવાના છે. 5 મિનિટ માટે સ્ટીમ કરો.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે અને તેની કોઈ પૃષ્ટિ કરવામાં આવતી નથી.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code