1. Home
  2. ગુજરાતી
  3. ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બીજા તબક્કામાં 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બીજા તબક્કામાં 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ બીજા તબક્કામાં 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ

0
Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં લગભગ 62 ટકા જેટલું મતદાન થયું હતું. દરમિયાન આજે બીજા તબક્કામાં 9 જિલ્લાની 55 બેઠકો ઉપર સવારથી જ મતદાન શરૂ થયું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કેન્દ્રો ઉપર ઉમટી પડ્યાં હતા. અનેક જગ્યાએ ઈવીએમમાં ખામીની ફરિયાદો ઉઠી હતી. હાલ 55 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. સાંજના 5 કલાકમાં લગભગ 60 ટકા જેટલુ મતદાન થયું હતું. જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે એકંદરે સરેરાશ 65થી 70 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ઉત્તરપ્રદેશમાં બીજા તબક્કાના મતદાનમાં બપોરના 3 કલાક સુધીમાં 52 ટકા જેટલુ મતદાન થયું હતું.. સૌથી વધારે અમરોહા ખાતે જંગી મતદાન થયું હોવાનું જાણવા મળે છે. સવારે પ્રથમ ચાર કલાકમાં 23.04 ટકા જેટલુ મતદાન થયું હતું. બપોરના એક કલાક સુધીમાં 39 ટકા જેટલુ મતદાન થયું હોવાનું જાણવા મળે છે.

ઉત્તરપ્રદેશના સહારનપુર, બિજનૌક, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહ, બદાયું, બરેલી અને શાહજહાંપુર જિલ્લાની 55 બેઠકો ઉપર સવારથી મતદાન ચાલી રહ્યું છે. આ બેઠકો ઉપર 586 જેટલા ઉમેદવારોનું બે કરોડથી વધારે મતદારો ભાવી નક્કી કરશે. દરમિયાન સમાજવાદી પાર્ટીએ ચૂંટણીપંચને પત્ર લખ્યો હતો. તેમાં મતદાનની પ્રક્રિયાને લઈને ફરીયાદ કરી હતી. તેમજ ઈવીએમ ખરાબ હોવાની પણ ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. અલગ-અલગ સ્થળો ઉપર ઈવીએમમાં ખામી આવી હોવાની ફરિયાદ કરી છે. સહારનપુર, બરેલી અને સંભલમાં મતદાન કેન્દ્રો ઉપર ઈવીએમમાં ખરાબીની ફરિયાદ કરી હતી. દરમિયાન યોગગુરૂ બાબા રામદેવએ દાદૂબાગ સ્થિત મતદાન કેન્દ્રમાં વોટ નાખ્યો હતો. તેમની સાથે આચાર્ય બાલકૃષ્ણ પણ ઉપસ્થિત હતા. બાબા રામદેવે કહ્યું હતું કે, અમે દેશ માટે અને એવી શક્તિઓની વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ જે દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દને બગાડી રહ્યાં છે.

ભાજપના સિનિયર નેતા અને સાંસદ સંતોષ ગંગવારએ મતદાન કર્યાં બાદ કહ્યું હતું કે, જે રીતે ઉત્તરપ્રદેશમાં વિકાસ કાર્યો થયાં છે. જેથી મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી રહ્યાં છે. બરેલીના એસએસપી રોહિત સિંહ સજવાનએ જણાવ્યું હતું કે, બરેલીના દરેક બુથ ઉપર પોલીસ કર્મચારીઓ અને પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરવામાં આવ્યો છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું હતું કે, મતદાન કેન્દ્રો ઉપર શાંતિપુર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે. સવારે કેટલાક સ્થળો ઉપર ઈવીએમમાં ખામીની ફરિયાદો મળી હતી. જો કે, તાત્કાલિક ઈવીએમ ઠીક કરવામાં આવ્યાં હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code